SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૭]. સુલભબોધિનું સ્વરૂપ ૨૧૯ ભોગવીને એકદા ગુરુ પાસે ઘર્મોપદેશ સાંભળી ઇંદ્રિયોનું દમન કરી હર્ષથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તેઓ વિવિઘ પ્રકારનાં શાસ્ત્રો ભણીને છેવટ અનશન કરી પ્રથમ સ્વર્ગમાં નલિની ગુલ્મ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવો થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં બે ગોપના જીવો વિના બીજા ચારે જીવો પ્રથમ ચવ્યા. તેમાં એક કુરુદેશમાં ઈષકારપુરના રાજા ઈષકાર નામે થયો, બીજો દેવ તે રાજાની રાણી થયો, ત્રીજો તે જ રાજાનો ભૃગુ નામનો પુરોહિત થયો અને ચોથો તે ભૃગુ પુરોહિતની યશા નામે પત્ની થયો. હવે તે પુરોહિત વૃદ્ધ ઉમરનો થવા આવ્યો, તો પણ તેને કાંઈ સંતતિ થઈ નહીં; ત્યારે તે પુત્રની ચિંતાથી મનમાં અત્યંત આકુળવ્યાકુળ થવા લાગ્યો. અન્યદા પેલા બે ગોપ દેવો અવધિજ્ઞાનથી “અમે ભૃગુ પુરોહિતના પુત્રો થઈશું' એમ જાણીને સાધુના વેષે ભૃગુને ઘેર આવ્યા. તેમને જોઈને હર્ષથી ભૃગુ તથા તેની સ્ત્રી તેમને નમ્યા. પછી તેમના ઉપદેશથી શ્રાવકઘર્મ પામીને ભૃગુએ પૂછ્યું કે “હે પૂજ્ય! મારે પુત્ર થશે કે નહીં?” મુનિ બોલ્યા કે “તમારે બે પુત્રો થશે, પણ તે બાલ્યાવસ્થામાં જ દીક્ષા ગ્રહણ કરશે, તે વખતે તમારે તેને અંતરાય કરવો નહીં.” તે સાંભળીને દંપતીએ તેમનું વચન અંગીકાર કર્યું. દેવો સ્વસ્થાને ગયા. અન્યદા તે બન્ને દેવો સ્વર્ગથી ચ્યવીને યશાની કુક્ષિમાં અવતર્યા. ત્યારે ભૃગુએ વિચાર્યું કે “મારા પુત્રો જન્મથી જ કોઈ પણ સાધુને જુએ નહીં તો ઠીક.” એમ ઘારીને તે ભાર્યા સહિત કોઈ નાના ગામમાં જઈને રહ્યો. પછી સમય પૂર્ણ થયે યશાએ બે પુત્રોને જન્મ આપ્યો. તે પુત્રો વૃદ્ધિ પામતાં વિદ્યા ભણવાને યોગ્ય વયના થયા. તે વખતે તેના માતાપિતાએ તેમને શીખવ્યું કે “હે પુત્રો! જે મુનિઓ માથે મુંડન કરેલા, હાથમાં દંડ ઘારણ કરનારા અને નીચી દ્રષ્ટિ રાખીને દંભથી બગલાની જેમ ચાલનારા હોય છે તેઓ બાળકોને પકડીને મારી નાંખે છે અને રાક્ષસોની જેમ તેમનું માંસ ખાઈ જાય છે, માટે તમારે તે સાધુઓની પાસે જવું નહીં. તેઓ પ્રથમ વિશ્વાસ ઉત્પન્ન કરીને પછી મારી નાંખે છે.” આ પ્રમાણે સાંભળીને તે બાળકો સાઘુને જોવા પણ ઇચ્છતા નહીં. અન્યદા તે બન્ને ભાઈઓ સ્વેચ્છાએ ક્રીડા કરતા ગામ બહાર ગયા હતા; તેવામાં દૈવયોગે ગામમાંથી બહાર નીકળીને તેમની સન્મુખ આવતા મુનિઓને જોઈને તે બન્ને ભાઈઓ ત્રાસ પામી વન તરફ નાઠા. માર્ગમાં એક મોટો વટવૃક્ષ આવ્યો. તેના પર તે બન્ને ચડી ગયા. સાધુઓ પણ તે જ વટવૃક્ષની નીચે આવ્યા અને પૃથ્વી પ્રમાર્જીને જયણાથી જીવોને દૂર કરી ગામમાંથી પાત્રમાં આણેલું ભોજન ખાવા બેઠા. તે ભોજનમાંથી એક દાણો પણ પૃથ્વી પર પડવા દીધો નહીં, તેમજ જમતાં બચકારાનો શબ્દ પણ કર્યો નહીં. એ પ્રમાણે તે સાધુઓનું ચાલવું, બોલવું, ખાવું તથા જોવું વગેરે સમગ્ર ચેપ્ટન જીવરક્ષાપૂર્વક જોઈને વટવૃક્ષ ઉપર રહેલા તે બન્ને ભાઈઓએ વિચાર કર્યો કે “આ મુનિઓ તો અન્ન ખાય છે, માંસ ખાતા નથી, માટે આપણા માતાપિતાએ આપણને ખોટા સમજાવ્યા છે, અને તેથી આપણે અત્યાર સુધી ખોટી ભ્રાંતિમાં રહ્યા છીએ, પરંતુ આવા સાધુઓ આપણે પૂર્વે કોઈ પણ સ્થાને જોયા છે ખરા.” એમ ધ્યાન ફરતાં બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થયું; તેથી પૂર્વે ગ્રહણ કરેલા ચારિત્રનું સ્મરણ કરીને પ્રતિબોઘ પામેલા તે બન્ને વિચાર કરવા લાગ્યા કે “અહો! માતાપિતાએ મોહને વશ થઈને આપણને મૃષાવાણીથી છેતર્યા છે.” એમ વિચારી બન્ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy