SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ છાંટવા વગેરેથી તેને વેદના ઉત્પન્ન કરી. પછી સંઘમાં આવીને વિદ્યાબળથી સંઘની ફરતો અગ્નિનો કિલ્લો અને તેને ફરતી જળની ખાઈ બનાવીને અંદર સુખેથી રહ્યા. અહીં અસહ્ય વ્યાર્થિની પીડાથી રુષ્ટમાન થયેલા રાજાએ સંઘનો સંહાર કરવા માટે સૈન્ય સહિત સેનાપતિને મોકલ્યો. તે સેનાપતિ સંઘના પડાવ પાસે આવ્યો, પણ તેની ફરતો અગ્નિનો પ્રાકાર તથા જળની ખાઈ જોઈને ભય પામ્યો; એટલે તેણે દૂરથી મુનિને વિનંતિપૂર્વક કહ્યું કે “હે મુનિ! રાજાને કોપાયમાન ન કરો.” તે સાંભળીને પોતાનો અતિશય (શક્તિ) બતાવવા માટે મુનિએ તે સેનાપતિ અથવા મંત્રીને કહ્યું કે “મારું બળ કેટલું છે તે જુઓ.” એમ કહીને રાતા કણેરના વૃક્ષની એક સોટી સંહારની રીતે ચોતરફ ફેરવી, એટલે સમીપે રહેલા સર્વ વૃક્ષોનાં શિખરો પૃથ્વી પર પડી ગયાં. તે જોઈને મંત્રીએ મુનિને કહ્યું કે “ઉંદર માત્ર ઉપરની ઢાંકણી પાડી નાંખવાને સમર્થ હોય છે, પણ તે પાછી ઢાંકવાને સમર્થ હોતો નથી.” તે સાંભળીને બળભદ્ર મુનિએ શ્વેત કણેરના વૃક્ષની સોટી લઈને તેને સૃષ્ટાની રીતે ફેરવી, એટલે તે વૃક્ષોનાં શિખરો હતાં તેવાં પાછાં જોડાઈ ગયાં. તે જોઈને ચમત્કાર પામેલા મંત્રીએ રાજા પાસે જઈને રાજાને મુનિનું સામર્થ્ય જણાવ્યું, તેથી ભય પામેલો રાજા મુનિ પાસે આવી તેને વંદના કરીને બોલ્યો કે “હે મહારાજા! મારો અપરાધ ક્ષમા કરો. બાળક પિતાની અવજ્ઞા કરે છે, પણ પિતા તેના પર ક્રોઘ કરતા નથી.” મુનિ બોલ્યા કે જો તું જૈનઘર્મ અંગીકાર કરીશ તો તને આરામ થશે.” તે સાંભળીને મુનિના વચનથી રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પછી શ્રી સંઘે મોટા ઉત્સવથી શ્રી રૈવતગિરિ તીર્થના અધિપતિ શ્રી નેમિનાથજીની યાત્રા કરી. “યશોભદ્રસૂરિ તથા બલભદ્ર મુનિ જૈનશાસનના પ્રભાવક થયા. તેમને હું ભક્તિગુણ ઘારણ કરીને નિરંતર વંદના કરું છું અને તેમની સ્તુતિ કરું છું.” વ્યાખ્યાન ૩૪૭ સુલભબોધિનું સ્વરૂપ लोभिता बहुभिर्भोगैः, पित्रादिभिर्निरन्तरम् । धर्मप्राप्ति समीहन्ति, ते स्युः सुलभबोधिनः॥१॥ ભાવાર્થ-પિતા વગેરેએ નિરંતર ઘણા પ્રકારના ભોગથી લોભ પમાડ્યા છતા પણ જેઓ ઘર્મની પ્રાપ્તિને જ ઇચ્છે છે તેઓ સુલભબોધિ કહેવાય છે.” આ શ્લોકનો ભાવાર્થ નીચે જણાવેલા વૃષ્ટાંતથી જાણવો. છ મુનિઓની કથા ચિત્ર અને સંભૂતિ મુનિના જીવ પૂર્વ ભવે ક્ષિતિપ્રતિષ્ઠ નામના પુરમાં બે ગોપ હતા. તે પરસ્પર અતિ પ્રીતિવાળા હતા. અન્યદા તે બન્ને ગોપો સાઘુના સંગથી ચારિત્ર લઈ તેનું પ્રતિપાલન કરી દેવતા થયા. ત્યાંથી ચ્યવને પૃથ્વીપુર નગરમાં કોઈ એક શ્રેષ્ઠીના સહોદર પુત્રો થયા. તે બન્નેને બીજા ચાર મહદ્ધિક શ્રેષ્ઠીપુત્રો મિત્ર થયા. તે છયે મિત્રોએ ચિરકાળ સુઘી સંસારના સુખભોગ ૧-૨. આ સંહાર ને સૃષ્ટા બન્ને પ્રકારની વિશેષ સમજણ ગુરુગમથી મેળવવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy