SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ હતી. તેની ખબર નહીં હોવાથી તે બન્ને તેને ઊતરવા લાગ્યા એટલે તેમાં બૂડીને મરણ પામ્યા. ત્યાંથી અનેક ભવમાં ભ્રમણ કરીને ચૈત્રનો જીવ તું થયો, અને મૈત્રનો જીવ શંખદત્ત થયો. તે શંખદત્તે પૂર્વભવે તને મારવાનું ઘાર્યું હતું. તે કર્મથી તે તેને આ જન્મમાં સમુદ્રમાં નાંખો. ચૈત્રની સ્ત્રીઓ જે ગૌરી અને ગંગા હતી તે પતિના વિયોગથી વૈરાગ્ય પામીને તાપસી થઈ. એકદા ગૌરીએ અતિ તૃષા લાગવાથી સેવા કરનારી પાસે પાણી માગ્યું. તે વખતે તે દાસીને નિદ્રા આવતી હતી, તેથી આળસને લીધે તેણે ઉત્તર આપ્યો નહીં. ત્યારે ગૌરી ક્રોધથી બોલી કે “અરે! શું તને સાપ કરડ્યો છે કે મરેલા જેવી થઈને ઉત્તર પણ આપતી નથી?” તે વચન વડે ગૌરીએ દ્રઢ પાપકર્મ બાંધ્યું. ગંગાએ પણ એકદા પોતાની કામ કરનારીને કાંઈ કાર્ય માટે મોકલી હતી, તે બહુ વારે પાછી આવી ત્યારે ગંગાએ તેને કહ્યું કે “અરે! આટલી વાર તને કોઈએ બંદીખાને નાંખી હતી?” એમ બોલતાં તે ગંગાએ પણ દુષ્ટ કર્મ બાંધ્યું. ત્યાર પછી એક દિવસ કોઈ વેશ્યાને ઘણા પુરુષો સાથે વિલાસ કરતી જોઈને ગંગાએ વિચાર્યું કે “આ વેશ્યાને ઘન્ય છે કે જે ભ્રમરોથી પુષ્પલતાની જેમ અનેક કામી પુરુષોથી વીંટાયેલી છે. હું તો મંદભાગી છું કે જેનો પતિ પણ તજીને દૂર દેશ ગયો છે.” આવા વિચારથી તેણે દુષ્ટ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી મરણ પામીને તે બન્ને જ્યોતિષી થઈ. ત્યાંથી ચ્યવીને ગૌરીનો જીવ તારી પુત્રી થયો અને ગંગાનો જીવ તારી માતાપણે ઉત્પન્ન થયો. તેમની સાથે પૂર્વભવે પત્નીનો સંબંધ હોવાથી તને તેમના પર કામરાગ ઉત્પન્ન થયો.” આ પ્રમાણેનું સંસારનું સ્વરૂપ સાંભળી વૈરાગ્ય પામેલો શ્રીદત્ત બોલ્યો કે “હે સ્વામી! મને પાપીને મારા મિત્રનો મેળાપ થશે કે નહીં?” ગુરુએ કહ્યું કે “ખેદ ન કર, એક ક્ષણવારમાં જ તે અહીં આવશે.” એમ વાતો કરતા હતા, તેવામાં ત્યાં શંખદત્ત આવ્યો. શ્રીદત્તને ત્યાં બેઠેલો જોઈને શંખદત્તની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તે જોઈને ગુરુએ શંખદત્તને કહ્યું કે “હે ભદ્ર! કોપ ન કર; કેમકે ક્રોધરૂપી અગ્નિથી ગુણરૂપી રત્નો બળી જાય છે. તે અગ્નિને જે ઉપશમરૂપી જળ વડે બુઝાવતો નથી તે સેંકડો દુઃખ સહન કરે છે. દેહરૂપી ઘરમાં ક્રોઘરૂપી અગ્નિ પ્રવેશ કરે છે, ત્યારે ત્રણ દોષ (ત્રિદોષ) ઉત્પન્ન કરે છે. પોતાને તપાવે, પરને તપાવે અને પર સાથેના સ્નેહનો નાશ કરે.” તે સાંભળીને શંખદત્ત કાંઈક શાંત ચિત્ત થયો. પછી શ્રીદત્તે ઊઠીને તેને પોતાની પાસે બેસાડી કેવળી પ્રત્યે પૂછ્યું કે “આ મારો મિત્ર સમુદ્રમાંથી શી રીતે નીકળીને અહીં આવ્યો?” ગુરુ બોલ્યા કે “સમુદ્રમાં તેને એક કાનું પાટિયું હાથમાં આવ્યું. તેને આઘારે તરીને તે સાત દિવસે સારસ્વત નગર પાસે નીકળ્યો. ત્યાં તેને તેનો મામો મળ્યો. તેણે તેને સ્વસ્થ કર્યો. પછી તેણે તેના મામાને “સુવર્ણકૂળ અહીંથી કેટલું દૂર છે?” એમ પૂછ્યું, ત્યારે તેના મામાએ કહ્યું કે “અહીંથી વિશ યોજન દૂર છે, ત્યાં હાથીઓથી ભરેલાં વહાણો આવ્યાં છે એમ સંભળાય છે.” તે સાંભળીને મામાની રજા લઈને તે અહીં આવ્યો, અને અહીં તને જોઈને તેને ક્રોઘ ઉત્પન્ન થયો.” આ પ્રમાણે કહીને પછી ગુરુએ શંખદત્તને ફરીથી પૂર્વભવ કહીને બોઘ પમાડ્યો. આ પ્રમાણે કેવળીની દેશના સાંભળીને રાજાએ શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા. શ્રીદત્તે શંખદત્તની સાથે પોતાને ઘેર જઈને અર્થે દ્રવ્ય તથા પોતાની પુત્રી તેને આપી, અને પોતાનું ઘન જિનભુવન, બિંબપ્રતિષ્ઠા, જ્ઞાનભક્તિ ઇત્યાદિ સાત ક્ષેત્રમાં ખરચીને મોટા ઉત્સવપૂર્વક કેવળી પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળીને મોક્ષપદ પ્રાપ્ત કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy