SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૪] સંસારની અસારતા ૨૦૫ અહીં વૃદ્ધ વેશ્યાએ દાસીને પૂછ્યું કે “સુવર્ણરેખા ક્યાં છે?” દાસીએ કહ્યું કે “પચાસ હજાર દ્રવ્ય આપીને શ્રીદત્ત શ્રેષ્ઠી તેને લઈ વનમાં ગયો છે.” વૃદ્ધ વેશ્યાએ કહ્યું કે “તેને બોલાવી લાવ.” એટલે દાસીએ આવીને દુકાને બેઠેલા શ્રીદત્તને પૂછ્યું કે “અમારી સ્વામિની ક્યાં છે?” શ્રીદત્ત બોલ્યો કે “હું જાણતો નથી.” તે સાંભળીને દાસીએ વૃદ્ધ વેશ્યાને તે શ્રીદત્તનું વચન જણાવ્યું. એટલે વૃદ્ધ વેશ્યાએ રાજા પાસે જઈ પોકાર કરીને કહ્યું કે “હે સ્વામી! હું છેતરાણી છું, શ્રીદને સુવર્ણરેખાને લઈ જઈને ક્યાંક સંતાડી દીધી છે.” તે સાંભળીને રાજાએ શ્રીદત્તને બોલાવીને પૂછ્યું ત્યારે “હું સત્ય વાત કહીશ તો કોઈ માનશે નહીં” એમ જાણીને તેણે કાંઈ પણ જવાબ આપ્યો નહીં. તેથી રાજાએ તેને કારાગૃહમાં નાંખ્યો અને તેની પુત્રીને દાસી કરવાના હેતુથી પોતાને ઘેર રાખી. પછી કારાગૃહમાં રહેલા શ્રી દત્ત વિચાર્યું કે “સત્ય વાત કહેવાથી જ કોઈ પણ રીતે હું છૂટી શકીશ.” એમ ઘારીને કારાગૃહના રક્ષક દ્વારા તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! હું સત્ય વાત કહું છું.” ત્યારે રાજાએ તેને સભામાં બોલાવ્યો. એટલે તેણે વાનર ઉપાડી ગયા સંબંધી વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને સર્વ સભાજનો હસવા લાગ્યા કે–અહો!કેવું સત્ય બોલ્યો? કહ્યું છે કે असंभाव्यं न वक्तव्यं, प्रत्यक्षं यदि दृश्यते । यथा वानरगीतानि, तथा तरति सा शिला ॥१॥ ભાવાર્થ-“જો કે પ્રત્યક્ષ જોયેલ હોય તો પણ અસંભવિત વાત બોલવી નહીં. જેવી રીતે વનમાં વાનરાઓ ગીત ગાય છે એ અસંભવિત હતું તેમ જળમાં શિલા તરે છે તે પણ અસંભવિત છે.” આ દ્રષ્ટાંત અન્ય સ્થળેથી જાણી લેવું. પછી તે સાંભળીને “આ વણિક હજુ પણ સત્ય બોલતો નથી.” એમ ઘારીને ક્રોઘ પામેલા રાજાએ તેને મારવાનો હુકમ કર્યો. એટલે શ્રી દત્તે વિચાર્યું કે “પૂર્વે કરેલા અશુભ કર્મનો ઉદય થયો છે, તો હવે ખેદ કરવાથી શું થાય?” તે અવસરે ઉદ્યાનપાળે આવીને રાજાને કહ્યું કે “હે દેવ! ઉદ્યાનમાં મુનિચંદ્ર કેવળી પધાર્યા છે.” તે સાંભળીને રાજા પરિવાર સહિત ઉદ્યાનમાં ગયો. મુનિને વાંદીને રાજાએ દેશનાની યાચના કરી. ત્યારે કેવળી બોલ્યા કે “હે રાજા! સત્યવાદી શ્રીદત્તને મારવાનો તેં હુકમ આપ્યો છે તે તને ઘર્મશ્રવણની અભિલાષાવાળાને યોગ્ય નથી.” તે સાંભળીને રાજા લજ્જ પામ્યો. પછી શ્રીદત્તને બોલાવી પોતાની પાસે બેસાડીને રાજા તેનું સ્વરૂપ પૂછતો હતો. તેવામાં તે વાનર સુવર્ણરખાને પૃષ્ઠ પર રાખીને ત્યાં આવ્યો, અને પૃષ્ઠ પરથી તેને ઉતારીને તે સભામાં બેઠો. તે જોઈને સર્વ માણસો આશ્ચર્ય પામી શ્રીદત્તની પ્રશંસા કરવા લાગ્યા. પછી શ્રીદત્તે કેવળીને પૂછ્યું કે “હે સ્વામી! કયા કર્મને લીધે મને માતા તથા પુત્રી સાથે વિષયની અભિલાષા થઈ?” મુનિ બોલ્યા કે “પૂર્વના સંબંઘથી થઈ છે. તે હકીકત સાંભળ કાંપિલ્યપુરમાં ચૈત્ર નામનો એક બ્રાહ્મણ હતો. તેને ગૌરી અને ગંગા નામની બે સ્ત્રીઓ હતી. તે એકદા મૈત્ર નામના મિત્રની સાથે ભિક્ષાવૃત્તિને માટે કોકણ દેશમાં ગયો. ત્યાં બન્ને મિત્રોએ ઘણું ઘન મેળવ્યું. એકદા ચૈત્રને સૂતેલો જોઈને મૈત્રે વિચાર્યું કે “આને હણીને હું સર્વ ઘન લઈ લઉં.” ફરીથી પાછો તેને વિચાર થયો કે “મને વિશ્વાસઘાતીને ધિક્કાર છે!” એમ વિચારીને તે પાછો સ્વસ્થ થયો. પછી તે બન્ને મિત્રો લોભથી ભમતા ભમતા એક વનમાં પેઠા. તે વનમાં વૈતરણી નદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy