SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૩ વહાણમાં બેસી પરદેશ ગયો હતો. ત્યાર પછી તારા ગામમાં શત્રુના સૈન્યનો ઉપદ્રવ થયો. તે વખતે તારી સ્ત્રી પુત્રીને લઈને ભાગી, તે ગંગાને કિનારે આવેલા સિંહપુરમાં પોતાના ભાઈને ઘેર ગઈ. ત્યાં તે અગિયાર વર્ષ સુધી રહી. એકદા તે કન્યાને સર્પ ડસ્યો. તેની માતાએ તથા મામાએ તેના અનેક ઉપાયો કર્યા, પણ વિષ ઊતર્યું નહીં તેથી તેને મરેલી ઘારીને માતાએ સ્નેહને લીઘે એક પેટીમાં નાંખીને ગંગાનદીમાં વહેતી મૂકી. તે પેટી તને મળી; તેથી આ કન્યા તારી પુત્રી છે. હવે તારી માતાનું વૃત્તાંત સાંભળ–સૂરકાંત રાજાએ તારી માતાને અંતઃપુરમાં રાખી હતી. તેને છોડાવવા માટે તારો પિતા સાડા પાંચ લાખ દ્રવ્ય લઈને ગુપ્ત રીતે સમર નામના પલ્લીપતિ પાસે જઈ તેની સેવા કરવા લાગ્યો. તેના કહેવાથી પલ્લીપતિએ મોટા સૈન્ય સાથે આવીને તે ગામ ભાંગ્યું. સૂરકાંત રાજા ત્યાંથી નાસી ગયો. પછી તારા પિતાને આગળ કરીને તે પલ્લીપતિ પુરમાં પ્રવેશ કરતો હતો, તેવામાં તારા પિતાના કપાળમાં એક બાણ લાગવાથી તે તરત જ મૃત્યુ પામ્યો. अन्यथा चिंतितं कार्य, दैवेन कृतमन्यथा । वर्षति जलदाः शैले, जलमन्यत्र गच्छति ॥१॥ अन्यथा चिंतितं कार्य, देवेन कृतमन्यथा । प्रियाकृते हि प्रारंभः, स्वात्मघाताय सोऽभवत ॥२॥ અન્યથા પ્રકારે ચિંતવેલું કાર્ય દૈવયોગે અન્યથા (વિપરીત) થયું. કેમકે વરસાદ તો પર્વત પર વરસે છે, પણ પાણી અન્ય સ્થાને જતું રહે છે, તેવી જ રીતે જે કાર્ય જુદી રીતે ચિંતવ્યું હતું તે કાર્ય દૈવયોગે વિપરીત થયું; કેમકે પ્રિયાને છોડાવવા માટે કરેલો પ્રારંભ પોતાના જ ઘાતને માટે થયો.” પછી તારી માતા કોઈ ભીલના હાથમાં પકડાઈ. ત્યાંથી પણ નાસીને વનમાં ભટકતાં તેણે કોઈ વૃક્ષના ફળનું ભક્ષણ કર્યું. તે ફળના પ્રભાવથી તેનું શરીર કાંઈક નીચું અને ગૌર વર્ણવાળું થયું. “મણિ, મંત્ર તથા ઔષધિનો મહિમા અચિંત્ય છે. ત્યાંથી કોઈ દેશ તરફ વ્યાપારાર્થે જતા કોઈ વણિક લોકોએ તેને જોઈને “આ કોઈ વનદેવતા છે એમ ભ્રાંતિ પામીને ‘તું કોણ છે? એમ પૂછ્યું, ત્યારે તે બોલી કે હું કોઈ દેવી નથી, પણ મનુષ્યણી છું.” તેથી તે વણિક લોકોએ તેને લઈને સુવર્ણપુરમાં વેચી. તે રૂપવાન હોવાથી વિભ્રમવતી નામની વેશ્યાએ એક લક્ષ દ્રવ્ય આપીને તેને વેચાતી લીધી. પછી તેને નૃત્ય વગેરે શીખવી તેનું સુવર્ણરેખા એવું નામ રાખ્યું. તે ક્રમે કરી રાજાની ચામર વીંઝનારી થઈ. તે આ સુવર્ણરેખા તારી માતા છે. તેણે તને ઓળખ્યો છે, પણ લથી તથા લોભથી તેણે પોતાપણું પ્રગટ કર્યું નથી.” તે સાંભળીને શ્રી દત્તે પૂછ્યું કે “હે સ્વામી! આપનું વચન સત્ય છે, પરંતુ વાનરને આ વાતની ક્યાંથી ખબર?” મુનિએ કહ્યું કે “તારો પિતા તારી માતાના ધ્યાનથી જ મરીને વ્યંતર થયો છે. તેણે અહીં ભમતાં તને તથા સોમશ્રીને જોઈને અકાર્ય કરવા પ્રવૃત્ત થયેલા એવા તને વાનરના શરીરમાં પ્રવેશ કરીને તે કાર્યનો નિષેઘ કર્યો છે.” તે સાંભળીને શ્રીદને વિચાર્યું કે “અહો! કર્મની કેવી વિષમ ગતિ છે! ફરીથી મનિ બોલ્યા કે “તે વ્યંતર ફરીથી પાછો આવીને પૂર્વના મોહને લીધે પોતાની પ્રિયાને લઈ જશે.” તેવામાં તે જ વાનર આવીને સોમશ્રીને ઉપાડી બીજા વનમાં ચાલ્યો ગયો. તે જોઈ શ્રીદત્ત માથું ધુણાવતો મુનિને નમી કન્યા સહિત સ્વસ્થાને ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy