SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૫] હુતાશની પર્વ (હોળી) ૨૦૭ વ્યાખ્યાન ૩૪૫ હુતાશની પર્વ (હોળી) - पर्व हुताशनीसंज्ञं, लौकिकं पापरूपकम् । हेयं लोकोत्तरधर्मजै-र्भवसंततिवर्धकम् ॥४॥ ભાવાર્થ-“હુતાશની (હોળી) નામનું પર્વ લૌકિક અને પાપરૂપ હોવાથી લોકોત્તર ઘર્મને જાણનારા ઉત્તમ જીવોએ ભવની પરંપરાને વધારનાર એવા તે પર્વનો ત્યાગ કરવો.” આ અર્થનું સમર્થન કરવા માટે હુતાશનીનો સંબંધ જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે હુતાશની (હોળી)ની કથા આ ભરતક્ષેત્રમાં જયપુર નામનું એક નગર હતું, જેમાં, छत्रेषु दंडश्चिकुरेषु बन्धः, शारीषु मारिश्च मदो गजेषु । हारेषु वै छिद्रविलोकनानि, कन्याविवाहे करपीडनं च ॥४॥ ભાવાર્થ-“છત્રને વિષે જ દંડ હતો, સ્ત્રીઓના કેશપાશને વિષે જ બંઘ થતો, ક્રીડાના સોગઠાંને જ “માર એમ કહેવામાં આવતું, હસ્તીઓને વિષે જમદ રહેતો, મુક્તાફળના હારને વિષે જ છિદ્ર જોવામાં આવતાં, અને કન્યાના વિવાહમાં જ કરપીડન કરવામાં આવતું (હાથ પકડવામાં આવતો); પણ તે નગરના લોકોમાં દંડ, બંધન, મારી, મદ, છિદ્ર કે કરપીડન હતું નહીં.” તે નગરમાં અનેક ચતુર પુરુષો વસતા હતા. મોટા મોટા શિખરવાળા પ્રાસાદો (મંદિરો) અને મોટા મોટા મહેલો જેમાં હોય તે કાંઈ નગર કહેવાતું નથી; પણ જ્યાં વિદ્વાન લોકો ઘણા રહેતા હોય તે જો કે ગામડું હોય તોપણ નગર કહેવાય છે. તે નગરમાં કોઈ માગણ દેખાતો જ નહીં, છતાં કદાચ કોઈ દેખાતો-તો તે લોકોને પ્રતિબોઘ કરવા માટે જ ભમતો હતો. કહ્યું છે કે द्वारं द्वारमटन्तो हि, भिक्षुकाः पात्रपाणयः । कथयन्त्येव लोकानामदत्तफलमीदृशम् ॥१॥ ભાવાર્થ-“હાથમાં પાત્ર રાખીને ઘેર ઘેર ભટકતા ભિક્ષુકો લોકોને એમ કહે છે કે દાન નહીં દેનારને આવું (અમારા જેવું) ફળ મળે છે.” તે નગરમાં જયવર્મા નામે રાજા હતો, અને તે રાજાને માનવા લાયક મનોરથ નામે શેઠ હતો. તેને લક્ષ્મી નામની સ્ત્રી હતી. તે સ્ત્રીથી શેઠ બહુ સુખી હતો. કહ્યું છે કે संसारश्रान्तदेहस्य, तिस्रो विश्रामभूमयः । अपत्यं च कलत्रं च, सतां संगतिरेव च ॥१॥ ભાવાર્થ-“સંસારમાં શ્રાંત થયેલા દેહને (મનુષ્યને) ત્રણ વિશ્રાંતિનાં સ્થાનક છે–પુત્ર, સ્ત્રી અને સજનોની સંગતિ.” તે શ્રેષ્ઠીને ચાર પુત્રો હતા અને એક અનેક દેવોની પૂજાભક્તિ વગેરેથી પ્રાપ્ત થયેલી હોલિકા નામની પુત્રી હતી. તે પુત્રી યુવાવસ્થા પામી ત્યારે તેને તેના પિતાએ કોઈ શ્રેષ્ઠીના પુત્ર સાથે પરણાવી; પરંતુ તેનો સંસાર સંબંઘ થયા અગાઉ જ તે શ્રેષ્ઠીપુત્ર વિચિકાના વ્યાધિથી મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy