SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ સગર ચક્રીના પુત્રોની કથા અયોધ્યા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને વિજયા નામે પત્ની હતી. તે થકી અજિતનાથ સ્વામી ઉત્પન્ન થયા હતા. જિતશત્રુ રાજાનો નાનો ભાઈ સુમિત્રવિજય નામે હતો. તેને યશોમતી નામની સ્ત્રીથી સગર નામે પુત્ર ઉત્પન્ન થયો હતો. તે સગર ચક્રવર્તી થયા હતા. તેને સાઠ હજાર પુત્રો હતા. તેમાં સૌથી મોટો જદ્દુકુમાર નામે હતો. તેણે એકદા ચક્રીને પ્રસન્ન કર્યા, ત્યારે ચક્રીએ તેને વરદાન આપ્યું. એટલે જઠુકુમાર બોલ્યો કે “આપની કૃપાથી સર્વ ભાઈઓ સહિત દંડાદિક રત્નને લઈને સમગ્ર પૃથ્વી જોવાની મારી ઇચ્છા થઈ છે.’’ તે સાંભળીને ચક્રીએ સૈન્ય સહિત તેને જવાની રજા આપી. ૧૯૮ [સ્તંભ ૨૩ જદ્દુકુમાર આગળ જતાં ચાર યોજન વિસ્તારવાળા અને આઠ યોજન ઊંચા અષ્ટાપદ પર્વતને જોઈને ભાઈઓ સહિત તેના ઉપર ચડ્યો. ત્યાં તેણે બે કોશ પહોળું, ત્રણ કોશ ઊંચું અને ચાર કોશ લાંબું, ચાર દ્વારવાળું રત્નમય ચૈત્ય જોયું. તેમાં રહેલી પોતપોતાના દેહ સરખા પ્રમાણવાળા ઋષભદેવ વગેરે ચોવીશે તીર્થંકરોની પ્રતિમાનું પૂજન કરીને ભરત વગેરેના સો ભાઈઓના સો સ્તૂપોને વંદના કરી. પછી તે પર્વતની શોભા જોઈને સગરનો પુત્ર જદ્દુકુમાર ઘણો હર્ષ પામ્યો. પછી ‘આ ચૈત્ય કોણે કરાવેલું છે?’’ એમ તેણે મંત્રીને પૂછ્યું. મંત્રીએ કહ્યું કે ‘“હે કુમા૨! તમારા પૂર્વજ ભરતચક્રીએ આ ચૈત્ય કરાવ્યું છે.” તે સાંભળીને જહુએ સેવકોને આજ્ઞા કરી કે “આ ભરતક્ષેત્રમાં આવો બીજો પર્વત તમે શીઘ્ર શોધી લાવો કે જેથી આપણે પણ તેના ઉપર આવું ચૈત્ય કરાવીએ.’’ તેની આજ્ઞા થતાં અનેક સેવકોએ ચારે દિશામાં જોઈ જોઈને પાછા આવી કહ્યું કે “હે કુમાર! આવો પર્વત બીજે ક્યાંય પણ નથી.’’ ત્યારે જહુકુમાર બોલ્યો કે “ઠીક છે. ત્યારે આપણે આ પર્વતની જ રક્ષા કરીએ. આગળ ઉપર કાળના અનુભાવથી લોકો લુબ્ધ થશે. તેથી તેઓ અહીં આવીને ઉપદ્રવ કરશે, માટે આની રક્ષા કરવી તે પણ મહા ફળદાયી છે.’’ એમ કહીને જદ્દુકુમારે દંડરત્ન વડે તે પર્વતની ફરતી એક હજાર યોજન ઊંડી ખાઈ ક્ષણવારમાં ખોદી. તે દંડરત્ન વડે પૃથ્વી ખોદતી વખતે “નાગકુમારોના ક્રીડાગૃહો માટીના વાસણની માફક ભાંગી ગયા. તે જોઈને ઉપદ્રવથી ભય પામેલા નાગદેવોએ પોતાના ઇંદ્ર જ્વલનપ્રભ પાસે જઈને તે વૃત્તાંત કહ્યો. તે સાંભળીને કોપાયમાન થયેલા જ્વલનપ્રભે સગરચક્રીના પુત્રો પાસે આવીને કહ્યું કે “હે મૂર્ષો! આ પૃથ્વીને શા માટે ખોદી નાંખી? નાગકુમાર દેવો ક્રોધ પામશે તો તમને સર્વેને હણી નાંખશે.’’ તે સાંભળીને જદ્દુકુમાર બોલ્યો કે ‘તીર્થની રક્ષા કરવા માટે અમે આ કામ કર્યું છે, માટે હે સર્વેન્દ્ર! અજ્ઞાનથી થયેલા આ અપરાધને આપ ક્ષમા કરો.’’ તે સાંભળીને ‘‘હવે આવું કામ કરશો નહીં.'' એમ કહીને સર્વેન્દ્ર સ્વસ્થાને ગયો. ઇંદ્રના ગયા પછી જહ્નકુમારે પોતાના ભાઈઓ સાથે વિચાર કર્યો કે “આ ખાઈ પાણી વિના કાળે કરીને ઘૂળથી પુરાઈ જશે, માટે તેને ગંગાનદીના જળથી ભરી દઈએ તો ઠીક.'' તે વાત સર્વેએ સ્વીકારી, એટલે જહુકુમારે દંડરત્ન વડે ખેંચીને ગંગાનદીનો પ્રવાહ લાવી તે ખાઈમાં નાંખ્યો. તેથી તેના જળ વડે નાગકુમાર દેવોના ઘરોમાં ફરીથી વિશેષ ઉપદ્રવ થયો. ફરીથી સર્વ દેવોને ક્ષોભ પામેલા જોઈને ક્રોઘાયમાન થયેલા જ્વલનપ્રભે તેમના વધને માટે મોટા દૃષ્ટિવિષ * ભુવનપતિ નિકાયના નાગકુમાર દેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.erg
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy