SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૩] બીજી અશરણ ભાવના ભાવાર્થ-ક્ષણ, પ્રહર, દિવસ અને માસના મિષથી આયુષ્યનાં દળિયાં (ભાગો) ચાલ્યાં જ જાય છે, એમ જાણતાં છતાં વિદ્વાન પણ રાત્રીએ નિદ્રાને વશ કેમ થાય છે?’’ 69b બ્રહ્મદત્ત ચક્રીને આયુષ્યની ચંચળતાનો પ્રતિબોધ કરવા માટે મુનિએ કહ્યું હતું કે– इह जीविए राय असासयंमि, घणियं तु पुण्णाइ अकुव्वमाणो । से सोअइ मच्चुमुहोवणीए, धम्मं अकाऊण परंमि लोए ॥१॥ ભાવાર્થ-“હે રાજા! આ જીવિત અશાશ્વત છે. તેમાં એક ઘડી પણ જેણે પુણ્યાદિક કાર્ય કર્યું નથી તે મૃત્યુના મુખને પામીને ધર્મ નહીં કરવાથી પરલોકમાં જઈ શોક કરે છે.’ આ પ્રમાણે શાસ્ત્રનાં વચનોથી આયુષ્ય ક્ષણભંગુર છે એમ જાણીને ભવ્ય પ્રાણીઓએ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવી. ‘શાસ્ત્રકારોએ આયુષ્ય ક્ષીણ થવાના સાત ઉપક્રમો કહેલા છે, તે પ્રમાણે આજે પણ જોવામાં આવે છે. તેથી વીજળી, ધ્વજા અને શરદ ઋતુના વાદળા જેવું ચંચળ આયુષ્ય જાણીને ઉત્તમ જીવોએ નિરંતર સન્મતિ ધારણ કરવી.’’ વ્યાખ્યાન ૩૪૩ બીજી અશરણ ભાવની पितृमातृकलत्रायुर्वैद्यमंत्रसुरादिकाः । नैव त्रायन्ति जीवानां कृतान्तभयमुत्थिते ॥१॥ ભાવાર્થ—‘જ્યારે યમરાજનો ભય પ્રાપ્ત થાય છે, અર્થાત્ મૃત્યુ આવે છે ત્યારે પ્રાણીઓનું માતા, પિતા, સ્ત્રી, આયુ, વૈદ્ય, મંત્ર કે દેવાદિક પણ રક્ષણ કરી શકતા નથી.’’ ઉપરના શ્લોકમાં કહ્યા પ્રમાણે દેવો પણ મૃત્યુથી રક્ષણ કરી શકતા નથી. તે વિષે કહ્યું છે કે– स्नेहादाश्लिष्य शक्रेणार्धासने ऽध्यास्यते स्म यः । श्रेणिकः सोऽप्यशरणो ऽश्रोतव्यां प्राप तां दशाम् ॥ १॥ ભાવાર્થ-ઇંદ્રે સ્નેહથી આલિંગન કરીને જેને પોતાના અર્ધા આસન પર બેસાડ્યા હતા તેવા શ્રેણિક રાજા પણ શરણ રહિત થઈને ન સાંભળી શકાય તેવી તે (મૃત્યુ) દશાને પામ્યા.’’ વળી, वैरादास्कन्दकाचार्य, मुनिपंचशतीं घ्नतः । न कश्चिदभवत् त्राता, पालकादन्तकादिव ॥२॥ ભાવાર્થ—“સ્કન્દકાચાર્ય સહિત પાંચસો મુનિને હણનારા યમરાજ જેવા પાલક પુરોહિતથી તેનું રક્ષણ કરવાને કોઈ પણ સમર્થ થયું નહીં.'' षष्टिपुत्रसहस्राणि, सगरस्यापि चक्रिणः । तृणवत्त्राणरहितान्यदहज्ज्वलनप्रभः 11311 ભાવાર્થ-“સગરચક્રીના પણ શરણ રહિત સાઠ હજાર પુત્રોને તૃણની જેમ જ્વલનપ્રભે (ભુવનપતિના ઇંદ્રે) બાળી નાંખ્યા હતા.’’ તે કથા આ પ્રમાણે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy