SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ રીતે બાંધ્યું તે કર્મ તેવી જ રીતે અવશ્ય ભોગવવું પડતું હોય, તો પાપનો ક્ષય નહીં થતો હોવાથી સર્વ તપનો વિધિ વ્યર્થ થશે, તેમજ તે જ ભવમાં સિદ્ધિ પામનારા જીવોને પણ કર્મ અવશેષ રહેશે, એટલે કોઈની પણ મુક્તિ થશે નહીં; માટે કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું કર્મ પણ પ્રદેશે કરીને ની૨સપણે ભોગવાય છે એમ માનવું. વળી હે શિષ્ય! અસંખ્ય ભવમાં બાંધેલું ભિન્ન ભિન્ન ગતિને આપનારું કર્મ તે ભવે પણ સત્તામાં હોય છે; તેથી જો સર્વ કર્મનો વિપાક વડે જ અનુભવ લેવો પડતો હોય તો તે એક ભવમાં ભિન્ન ભિન્ન ભવના અનુભવનો સંભવ થવો જોઈએ, પરંતુ તેમ થતું નથી. વળી ઔષધથી સાઘ્ય રોગનો જેમ નાશ થાય છે તેમ જે કર્મ બાંધતી વખતે તેવા પ્રકારના પરિણામ વડે બાંધ્યું હોય તે કર્મ ઉપક્રમથી સાઘ્ય થાય છે; અને અસાધ્ય રોગ જેમ ઔષધથી જતો નથી તેમ તેવા પ્રકારના તીવ્ર અધ્યવસાય(પરિણામ)થી જે કર્મ બાંધ્યું હોય તે યોગ્ય કાળે વિપાક વડે ભોગવવાથી જ નાશ પામે છે; કેમકે કર્મબંધના અધ્યવસાય-સ્થાનકો વિચિત્ર છે, અને અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. તે સ્થાનકોમાં કેટલાંક સોપક્રમ કર્મને ઉત્પન્ન કરનારાં છે, અને કેટલાંક નિરુપક્રમ કર્મના બંધને ઉત્પન્ન કરનારાં છે; તેથી જેવા અધ્યવસાયથી જે કર્મ બાંધ્યું હોય તે કર્મ તેવી રીતે ભોગવવું પડે છે. આ પ્રમાણે હોવાથી તેં કહેલા દોષનો અહીં જરા પણ અવકાશ નથી. વળી જેમ ઘણા શિષ્યો એક જ શાસ્ત્ર સાથે જ ભણતા હોય તેમાં બુદ્ધિની તરતમતાથી ભેદ પડે છે; તથા જેમ અમુક યોજન લાંબા માર્ગમાં ઘણા માણસો એક સાથે ચાલ્યા હોય છતાં તેમની ગતિની તરતમતાથી જવાને સ્થાને પહોંચવાના કાળમાં ભેદ દેખાય છે (કોઈ વહેલા પહોંચે છે, કોઈ વિલંબે પહોંચે છે), તેવી જ રીતે એક સરખી સ્થિતિવાળું કર્મ ઘણા જીવોએ બાંધ્યું હોય, તેમાં પણ પરિણામના ભેદથી તેનો ભોગકાળ ભિન્ન ભિન્ન થાય છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે– पिंडीभूतः पटः क्लिन्नश्चिरकालेन शुष्यति । प्रसारितः स एवाशु, तथा कर्माप्युपक्रमैः ॥ १ ॥ ભાવાર્થ—જેમ ભીનું વસ્ત્ર પિંડરૂપ કરીને મૂક્યું હોય તો તે લાંબી મુદતે સુકાય છે, અને તે જ વસ્ત્ર લાંબું કર્યું હોય તો જલદી સુકાઈ જાય છે, તેવી જ રીતે કર્મ પણ ઉપક્રમોથી જલદી ક્ષય પામે છે. આ સર્વ હકીકત ઉપરથી સમજવાનું એ છે કે જે ભવમાં પ્રથમ કહેલા સાત ઉપક્રમો નિરંતર આયુષ્યક્ષયના હેતુરૂપ ઉપસ્થિત છે, અને તેથી તે આયુષ્યનો વિશ્વાસ નથી કે તે ક્યારે પૂરું થશે? માટે કામાદિકનો ત્યાગ કરીને એક ધર્મ જ સારભૂત છે એમ સમજી તેનું અવલંબન ગ્રહણ કરવું, એ આ વ્યાખ્યાનનું ગૂઢ રહસ્ય છે. ગ્રંથકાર કહે છે કે यस्मिन्नायुषि सुस्नेहं प्रत्यहं धार्यते नरः । प्रतिक्षणं क्षयं तस्य, मत्वा मा मुंच सन्मतिम् ॥१॥ ભાવાર્થ—“મનુષ્ય જે આયુષ્યના ઉપર નિરંતર સ્નેહ રાખે છે તે આયુષ્ય પ્રતિક્ષણે ક્ષય પામે છે એમ જાણીને હે ભવ્ય પ્રાણી! તું સારી મતિને છોડીશ નહીં.’’ આ સંબંધમાં પૂર્વાચાર્યે પણ કહ્યું છે કે— Jain Education International क्षणयामदिवसमासच्छलेन, गच्छन्ति जीवितदलानि । इति विद्वानपि कथमिह, गच्छसि निद्रावशं रात्रौ ॥||१|| For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy