SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૨] બે પ્રકારના આયુષ્ય ૧૯૫ માટે અકૃતાગમ નામનો દોષ પ્રાપ્ત થયો.” આ પ્રશ્નનો ગુરુ જવાબ આપે છે કે “હે શિષ્ય! મોટી સ્થિતિવાળા કર્મનો કાંઈ ઉપક્રમ કરીને નાશ થતો નથી, પરંતુ અધ્યવસાય વિશેષથી તે કર્મ ઉતાવળે થોડી મુદતમાં ભોગવી લેવાય છે. અહી યુક્તિથી એમ સમજવાનું છે કે સોપક્રમ આયુષ્યવાળા જીવો જેમ ઘણા કાળ સુધી ભોગવવા લાયક આયુષ્યકર્મને એકઠું કરીને થોડા કાળમાં ભોગવી લે છે તેમ સર્વ કર્મોને ઉપક્રમ લાગે છે; કેમ કે પ્રાય: સારાં માઠાં અનિકાચિત એવાં સર્વ કર્મોની શુભાશુભ પરિણામાદિના વશથી અપવર્તન થાય છે, તથા નિકાચિત કર્મોની પણ તીવ્ર તપ વડે ફુરણાયમાન થતા શુભ પરિણામના વશથી અપવર્તન થાય છે. તે વિષે પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે કે सव्वपगइणमेवं, परिणामवसादुवक्कमो होजा । पायमनिकाइयाणं, तवसाओ निकाइयाणं पि॥४॥ ભાવાર્થ-પ્રાયે કરીને અનિકાચિત એવી સર્વ કર્મપ્રકૃતિનો એ જ પ્રમાણે પરિણામના વશથી ઉપક્રમ થાય છે, અને નિકાચિત પ્રકૃતિનો પણ ઉગ્ર તપથી ઉપક્રમ થાય છે.” જેમ ઘણા કાળ સુધી ચાલે તેટલું ઘણું ઘાવ પણ કોઈ માણસ ભસ્મક વાતના વ્યાધિથી થોડા કાળમાં જ ખાઈ જાય છે. એટલે તે ઘાયની વર્તમાન સ્થિતિનો નાશ થઈ ગયો એમ ઘારવું નહીં, પરંતુ વ્યાધિના બળથી ઘણું ઘાન્ય થોડા કાળમાં ખવાઈ ગયું; તેવી જ રીતે લાંબી મુદત સુધી ભોગવવા લાયક કર્મ થોડી મુદતમાં ભોગવી લીધા તેમ જાણવું; અથવા જેમ આમ્રફળ વગેરેને ખાડામાં નાંખી ઉપર ઘાસ વગેરે ઢાંકી રાખીએ તો તે ફળ થોડી મુદતમાં પાકી જાય છે, તેવી રીતે તેવાં અનિકાચિત કર્મ પણ થોડી મુદતમાં ભોગવાઈ જાય છે.” વળી શિષ્ય પ્રશ્ન કરે છે કે “અપવર્તન કરવાથી થોડા કાળમાં અથવા અપવર્તન ન કરે તો જેટલી સ્થિતિવાળું હોય તેટલા ચિરકાળે પણ જે કર્મ બાંધ્યું હોય તે સર્વ જો આપના કહેવા પ્રમાણે અવશ્ય ભોગવવું જ પડતું હોય તો પ્રસન્નચંદ્ર વગેરેએ સાતમી નરકને યોગ્ય કર્મ બાંધ્યું હતું, તેને તેવા પ્રકારના દુઃખવિપાકનો ભોગ તો સાંભળવામાં આવતો નથી. તે તો શુભ ભાવથી થોડા કાળમાં જ કેવળજ્ઞાન પામ્યા છે, તો “સર્વ કર્મ વેદવું જ પડે છે એમ જે આપે કહ્યું તે વ્યર્થ થશે.” આ પ્રશ્નનું ગુરુમહારાજ સમાઘાન આપે છે કે “જે કર્મ બાંઘેલું છે તે કર્મપ્રદેશથી તો સર્વ જીવો અવશ્ય ભોગવે છે જ; પણ રસના અનુભાવથી તો કોઈક કર્મ ભોગવાય છે, અને કોઈક કર્મ નથી પણ ભોગવાતું. તેનું કારણ એ છે કે શુભ પરિણામના વશથી તે કર્મના રસની અપવર્તન (ક્ષય) થાય છે; તેથી પ્રસન્નચંદ્રાદિકે સાતમી નરકને યોગ્ય કર્મોના પ્રદેશો નીરસ (રસ વિનાના) ભોગવ્યા છે, પણ વિપાક ઉદયથી ભોગવ્યા નથી.” વળી શિષ્ય કહે છે કે “જ્યારે પ્રસન્નચંદ્રાદિકે જે કર્મ રસવાળું બાંધ્યું હતું તે કર્મને નીરસપણે ભોગવ્યું, ત્યારે તો પૂર્વની જ જેમ કૃતનાશ અને અકૃતાગમ નામના બન્ને દોષો પ્રાપ્ત થયા.” ગુરુ તેનો ખુલાસો આપે છે કે-“તથા પ્રકારના ઉત્તમ પરિણામથી જો કર્મના રસ ક્ષય પામે તો તેમાં શું અનિષ્ટ થયું? જેમ સૂર્યના ઉગ્ર તાપથી ઇક્ષુના સાંઠામાં રહેલો રસ સુકાઈ જાય, તો તેમાં કૃતનો નાશ ને અકૃતનો આગમ શું થયો? હે બુદ્ધિમાન! તે તું કહે. વળી જો કદાચ જે કર્મ જેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy