SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ હવે ઉપક્રમ કહે છે—પોતાના જ મનમાં ઉત્પન્ન થયેલા અધ્યવસાયાદિક અને બીજાએ ઉત્પન્ન કરેલા વિષ તથા શસ્ત્રાદિકથી જે પોતાના જીવિતનો અંત આવે તે સર્વ ઉપક્રમ કહેવાય છે. પૂર્વસૂરિઓએ તે ઉપક્રમના અધ્યવસાય વગેરે સાત ભેદો કહેલા છે, તે આ પ્રમાણે— अज्झवसाण निमित्ते, आहारे वेयणा पराधाए । फासे आणापाणू, सत्तविहं झिज्झए आउ ॥ १ ॥ ભાવાર્થ‘અધ્યવસાન, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ અને શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે આયુષ્યનો ક્ષય થાય છે.’’ વિશેષાર્થ (૧) અધ્યવસાનના ત્રણ પ્રકાર છે–રાગ, ભય અને સ્નેહ. તેમાં રાગનો અધ્યવસાન પણ મરણનો હેતુ થાય છે. જેમ કોઈ એક અતિ રૂપવાન યુવાન મુસાફર અરણ્યમાં તૃષાતુર થવાથી પ્રપા (પાણીની પરબ) ને સ્થાને ગયો. ત્યાં પાણી પાનારી સ્ત્રીએ જળ લાવીને તેને પાયું. પછી મુસાફર પેલી સ્ત્રીએ ના કહ્યા છતાં પણ ત્યાંથી ચાલતો થયો. તે સ્ત્રી તેની સામું જ જોઈ રહી, અને જ્યારે તે મુસાફર અદૃશ્ય થયો, ત્યારે તે સ્ત્રી તેની ઉપરના ઉત્કટ રાગના અધ્યવસાયથી તરત જ મૃત્યુ પામી. ૧૯૨ ભયના અધ્યવસાયથી કૃષ્ણ વાસુદેવને જોઈને સોમિલ બ્રાહ્મણ હૃદયસ્ફોટ થવા વડે મરી ગયો; તેમજ મૃગાવતીનો સ્વામી શતાનિક રાજા ચંડપ્રદ્યોત રાજાને સૈન્ય સહિત આવતો સાંભળીને તેના ભયથી મરણ પામ્યો. હવે સ્નેહના અધ્યવસાયથી મરણ પામેલાનું દૃષ્ટાંત કહે છે– ભાનુમંત્રીનું દૃષ્ટાંત–‘‘તુરંગપુરમાં નરવર નામે રાજા હતો. તેને ભાનુ નામે મંત્રી હતો. તે મંત્રીને સરસ્વતી નામની પત્ની હતી. તે દંપતીને પરસ્પર અત્યંત સ્નેહ હતો, તે વાત રાજાના સાંભળવામાં આવવાથી તેની પરીક્ષા કરવાનો રાજાને વિચાર થયો. એકદા રાજા મંત્રી સહિત મૃગયા રમવા માટે વનમાં ગયો, ત્યાં કોઈ પ્રાણીનું રુધિર મંત્રીના વસ્ત્ર તથા અશ્વપર લગાડીને રાજાએ તે અશ્વ ગામમાં તેને ઘેર મોકલી દીધો. પોતાના પ્રિય સ્વામી વિના તેનાં વસ્ત્ર તથા અશ્વને રુધિરવાળાં જોઈને ‘“હાય! હાય! મૃગયા રમવા ગયેલા મારા પતિને કોઈ સિંહાદિકે મારી નાંખ્યા’ એમ ધારીને સરસ્વતી જાણે વજ્રથી હણાયેલી હોય તેમ ભૂમિ પર પડીને મરણ પામી. તે વાત જાણીને રાજાને અત્યંત ખેદ થયો. પછી તે ભાનુમંત્રી પ્રિયાવિયોગના દુઃખથી યોગી થઈને ગંગા કિનારે ગયો. તે સરસ્વતી મૃત્યુ પામીને ગંગાનદીને કિનારે આવેલા મહારથપુરના રાજાની પુત્રી થઈ. ભાનુમંત્રી બાર વર્ષ વ્યતીત થયા પછી ભિક્ષાને માટે અટન કરતો તે રાજમંદિરે ગયો. ત્યાં તે કન્યા તેને જોઈને ભિક્ષા લઈ તેને આપવા આવી પણ તે મંત્રીના દર્શનથી જાણે ચિત્રમાં આલેખેલી હોય તેમ સ્તબ્ધ થઈ ગઈ. તેના હાથમાં રહેલું અન્ન કાગડા લઈ ગયા, પણ તે યોગીને આપી શકી નહીં. યોગી તો કાંઈક જોઈ વિચારીને અન્યત્ર ચાલ્યો ગાયે. પછી તે કન્યાએ પોતાની બે સખીઓ સાથે સંકેત કર્યો કે “આ ભવમાં તો એ યોગી જ મારા પતિ છે, બીજા કોઈને હું ઇચ્છતી નથી.’’ તે વૃત્તાંત રાજાના જાણવામાં આવવાથી તેણે સર્વ યોગીઓને એકઠા કર્યા, તેમાંથી તે કન્યાએ તે મંત્રીયોગીને ઓળખી કાઢ્યો. પછી તે કન્યાને જાતિસ્મરણ થવાથી તેણે પોતાના પૂર્વ ભવની વાત કહી બતાવી. તે સાંભળીને રાજાના કહેવાથી યોગીએ તે કન્યાનો સ્વીકાર કર્યો; તે વખતે અવસરને જાણનાર પંડિતો બોલ્યા કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.erg
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy