SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ વ્યાખ્યાન ૩૪૨] બે પ્રકારના આયુષ્ય भानुश्च मंत्री दयिता सरस्वती, मृत्युं गता सा नृपकैतवेन । गंगागतस्तां पुनरेव लेभे, जीवन्नरो भद्रशतानि पश्यति ॥१॥ ભાવાર્થ-“ભાનુમંત્રીને સરસ્વતી નામે સ્ત્રી હતી. તે રાજાના કપટથી મૃત્યુ પામી હતી. તે સ્ત્રીને ગંગાકિનારે ગયેલો મંત્રી ફરીથી પણ પામ્યો, માટે જીવતો માણસ સેંકડો કલ્યાણો જુએ છે.” આ દ્રષ્ટાંત સ્ત્રીને આશ્રયીને કહ્યું. હવે પુરુષને આશ્રયીને બીજું દ્રષ્ટાંત આ પ્રમાણે છે-“કોઈ વણિકને રૂપવતી યુવતી હતી. તે બન્નેને પરસ્પર ગાઢ સ્નેહ હતો. એકદા વ્યાપારને માટે પરદેશ જવાની ઇચ્છાથી તેણે સ્ત્રીની રજા માગી. તે સાંભળીને જ તે સ્ત્રી મૂછ પામી. તેને શીત ઉપચાર વડે સજ કરી. ત્યારે તેણે પતિને કહ્યું કે જો તમારે અવશ્ય પરદેશ જવું જ હોય તો તમારી એક પ્રતિમા કરીને મને આપો, જેથી તેને આઘારે હું દિવસો નિર્ગમન કરું.” તે સાંભળીને તે શ્રેષ્ઠી પોતાની મૂર્તિ કરીને પ્રિયાને આપી દેશાંતર ગયો. તે સ્ત્રી તે પ્રતિમાનું નિરંતર દેવથી પણ અધિક આરાઘન કરવા લાગી. એકદા તે ગામમાં ચોતરફ અગ્નિનો ઉપદ્રવ થયો, તે વખતે તે સ્ત્રી પોતાના પતિની પ્રતિમા હાથમાં રાખીને સ્થિર બેસી રહી. પોતાનું શરીર બળીને ભસ્મ થઈ ગયું, તો પણ તેણે હાથમાંથી પ્રતિમા મૂકી નહીં. કેટલાક દિવસો પછી તે વણિક પરદેશથી ઘેર આવ્યો. તે વખતે પોતાની પ્રિયાને જોઈ નહીં, એટલે તેણે તેની સખીને પૂછ્યું કે *नवसतशसिसमवदनि, हरहाराहारवाहनानयणि । जलसुतरिपुगतिगमणि, सा सुंदरी कत्थ हे सयणि ॥१॥ “હે સખી! સોળ કળાયુક્ત ચંદ્રના જેવા મુખવાળી, મૃગ સરખાં નેત્રવાળી અને હંસ જેવી ગતિવાળી મારી મનોહર પ્રિયા કયાં છે?” સખીએ જવાબ આપ્યો કે “હે સખીના નાથ! સાંભળો, આ નગરમાં ચોતરફથી અગ્નિ લાગ્યો હતો, તે વખતે ભયને લીધે તમારી મૂર્તિને ઝાલીને તે બેસી રહી હતી. તેમાં તેનું શરીર બળીને ભસ્મ થઈ ગયું, એટલે તેના પ્રાણ છૂટ્યા; પણ તમારી મૂર્તિને વળગેલા તેના પાણિ એટલે હાથ છૂટ્યા નહીં.” આ પ્રમાણે સખીની વાણી સાંભળતાં જ તે વણિકના પ્રાણ ચાલ્યા ગયા. અહીં કોઈને શંકા થાય કે રાગ અને સ્નેહમાં શો તફાવત છે? તો તેનો જવાબ એ છે કે રૂપાદિક જોવાથી જે પ્રીતિ ઉત્પન્ન થાય તે રાગ; અને સામાન્ય રીતે સ્ત્રીપુત્રાદિક ઉપર જે પ્રીતિ થાય તે સ્નેહ કહેવાય છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના અધ્યવસાયથી આયુષ્યનો ક્ષય થાય છે (૨) બીજું નિમિત્તથી એટલે દંડ, શસ્ત્ર, રઘુ, અગ્નિ, જળમાં પતન, મૂત્ર પુરીષનો રોઘ અને વિષનું ભક્ષણ વગેરે કારણોથી પણ આયુષ્યનો ક્ષય થાય છે. (૩) આહારથી એટલે ઘણું ખાવાથી, થોડું ખાવાથી અથવા બિલકુલ આહાર નહીં મળવાથી આયુષ્યનો ક્ષય થાય છે. સંપ્રતિ રાજાના પૂર્વ ભવનો જીવ દ્રમક કે જે સાધુ થયો હતો તે દીક્ષાને જ દિવસે અતિ આહારથી મૃત્યુ પામ્યો હતો. (૪) વેદનાથી એટલે શૂળ વગેરેથી તથા નેત્રાદિકના વ્યાધિથી આયુષ્યનો ક્ષય થાય છે. * નવ અને સાત એટલે સોળ કળાયુક્ત ચંદ્ર. હર એટલે શિવ, તેનાં હાર સર્પ, તેનો આહાર પવન. તેનું વાહન હરણ, અને જળ એટલે સમુદ્ર તેનો પુત્ર મોતી, તેનો શત્રુ-તેનો આહાર કરનાર હંસ આ પ્રમાણે અર્થ સમજવો. Jain Educat [ભાગ ૫-૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy