SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૨] બે પ્રકારના આયુષ્ય ૧૯૧ માણસોને નીચોવીને તેનું ધન લઈ લો છો. ચોથા વીંછીથી, કેમકે તમે ભરનિદ્રામાં સૂતેલા બાળકને પણ નિર્દય વીંછીની જેમ સોટી મારીને પીડા ઉપજાવો છો, અને પાંચમા તમારા પિતાથી તમે ઉત્પન્ન થયા છો, કે જેણે રાજ્યમાં અને ન્યાયમાં તમને સ્થાપન કર્યા છે.’’ તે સાંભળીને રાજા બહુ આશ્ચર્ય પામ્યો. પછી રાજાએ પોતાની મા પાસે એકાંતમાં જઈને નમન કરી પૂછ્યું કે ‘હે માતા ! કહો, હું કેટલા પુરુષથી ઉત્પન્ન થયો છું?'' માતાએ કહ્યું કે “હે વત્સ! એ તું શું પૂછે છે? તારા પિતાથી જ તું ઉત્પન્ન થયો છે.’' ત્યારે રાજાએ રોહકે કહેલી વાત કરીને કહ્યું કે ‘“હે માતા ! તે રોહક પ્રાયે ખોટી બુદ્ધિવાળો નથી, માટે સત્ય કહો.” એમ બહુ આગ્રહથી રાજાએ પૂછ્યું, ત્યારે તેની માતાએ કહ્યું કે “હે વત્સ! જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે એક દિવસ હું ગામ બહાર ઉદ્યાનમાં કુબેરદેવની પૂજા કરવા ગઈ હતી. તે પ્રતિમાનું અત્યંત સ્વરૂપ જોઈને મેં તેનો હાથ વડે સ્પર્શ કર્યો, તેથી મને કામ વ્યાસ થવાથી ભોગની ઇચ્છા થઈ હતી. ત્યાંથી પાછા આવતાં માર્ગમાં એક સ્વરૂપવાન ચંડાળને જોઈને તેની સાથે ભોગની ઇચ્છા થઈ હતી. આગળ ચાલતાં એક રૂપવંત ઘોબીને જોઈને પણ તેવી જ ઇચ્છા થઈ હતી. પછી ઘેર આવી ત્યારે ઉત્સવ હોવાથી ખાવાને માટે લોટનો વીંછી કર્યો હતો, મેં તેને હાથમાં લીધો. તેના સ્પર્શથી કામોદ્દીપન થવાને લીધે તેની સાથે પણ ભોગની ઇચ્છા થઈ હતી. એ પ્રમાણે ઇચ્છા માત્રથી તારે બીજા ચાર પિતા થયા હતા, બાકી પરમાર્થથી તો એક તારો પિતા જ સત્ય પિતા છે.'' તે સાંભળીને રાજા માતાને નમન કરીને રોહકની બુદ્ધિથી વિસ્મય પામ્યો, અને તેને સર્વ મંત્રીઓમાં પ્રથમ પદ આપ્યું. આ કથાનો ઉપનય એવો છે કે ‘પૂર્વે પોતે નહીં જોયેલું, નહીં સાંભળેલું અને મનમાં પણ નહીં ચિંતવેલું ગૂઢ કાર્ય પણ બુદ્ધિના પ્રભાવથી જાણી સમજી શકાય છે. તેવી રીતે જ ધર્મકાર્યમાં પણ સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવામાં બુદ્ધિનો ઉપયોગ કરવો; જેથી આ લોકમાં ને પરલોકમાં અત્યંત હિતકારી થાય.’’ વ્યાખ્યાન ૩૪૨ બે પ્રકારના આયુષ્ય " वर्तमानभवायुष्कं द्विविधं तच्च कीर्तितम् । સોપમ મવેવાઘ, દ્વિતીય નિરુપમમ્ ॥શી ભાવાર્થ—“વર્તમાન ભવનું આયુષ્ય બે પ્રકારનું કહેલું છે, તેમાં પહેલું સોપક્રમ અને બીજું બે નિરુપક્રમ.’ ઘણા કાળ સુધી ભોગવવા લાયક આયુષ્ય પણ આગળ કહેવામાં આવશે એવા અધ્યવસાનાદિક ઉપક્રમોથી થોડા કાળમાં ભોગવી લેવાય તે સોપક્રમ આયુષ્ય કહેવાય છે. જેમ લાંબી કરેલી દોરીને એક છેડે અગ્નિ સળગાવ્યો હોય તો તે દોરી અનુક્રમે લાંબી મુદતે બળી રહે છે, અને તે જ દોરીને એકઠી કરીને તેમાં અગ્નિ મૂક્યો હોય તો તે એકદમ જલદીથી બળી જાય છે; તેવી જ રીતે સોપક્રમ આયુષ્ય થોડા કાળમાં પૂરું થઈ જાય છે, અને જે આયુષ્ય તેના બંધ સમયે ગાઢ નિકાચિત બાંધ્યું હોય તે અનુક્રમે જ ભોગવાય છે. સેંકડો ઉપક્રમથી પણ તે ક્ષીણ થઈ શકતું નથી. તેવું આયુષ્ય નિરુપક્રમ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy