SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ તે જોઈને રાજા અતિ વિસ્મય પામ્યો. પછી રોહકની બુદ્ધિનું અતિશયપણું જાણીને તેને પોતાની પાસે આવવાની આજ્ઞા કરવા સાથે કહેવરાવ્યું કે “શુક્લ પક્ષમાં કે કૃષ્ણ પક્ષમાં આવવું નહીં, રાત્રે અથવા દિવસે આવવું નહીં, છાયામાં અથવા તડકે આવવું નહીં, અધર રહીને અથવા પગે ચાલીને આવવું નહીં, માર્ગે કે ઉન્માર્ગે આવવું નહીં, અને સ્નાન કરીને અથવા સ્નાન કર્યા વિના આવવું નહીં.’’ આ પ્રમાણેનો હુકમ સાંભળીને રોહકે કંઠ સુધી સ્નાન કર્યું, અને ગાડાના પૈડાંના બે ચીલાના મધ્ય ભાગને રસ્તે, નાના ધેટા ઉપર બેસીને માથે ચાલણીનું છત્ર ધારણ કરીને, સંધ્યા સમયે અમાવાસ્યા ઉપરાંત પડવાને દિવસે તે રાજાની પાસે ગયો. ત્યાં ખાલી હાથે રાજાનું, દેવનું અને ગુરુનું દર્શન કરવું નહીં.'' એવી લોકશ્રુતિ જાણીને માટીનો એક પિંડ હાથમાં રાખીને પ્રણામ કરી તે પિંડ રાજાની પાસે ભેટ તરીકે થર્યો. રાજાએ પૂછ્યું કે “હે રોહક! આ તું શું લાવ્યો?'' તેણે જવાબ આપ્યો કે “હે દેવ! તમે પૃથ્વીના પતિ છો, તેથી હું પૃથ્વી લાવ્યો છું.’ તે સાંભળીને રાજા પ્રસન્ન થયો. તે રાત્રે રાજાએ રોહકને પોતાની પાસે સુવાડ્યો. રાત્રિનો પહેલો પ્રહર ગયો ત્યારે રાજાએ તેને બોલાવ્યો કે “અરે રોહક! તું જાગે છે કે ઊંઘે છે?’ તે બોલ્યો કે “દેવ! જાગું છું.” રાજાએ પૂછ્યું કે ‘‘શું વિચાર કરે છે?’’ રોહક બોલ્યો કે ‘‘દેવ! હું એવો વિચાર કરતો હતો કે—પીપળાના પાંદડાનું ડીંટ મોટું કે તેની શિખા મોટી?”’ તે સાંભળીને રાજાને પણ સંશય થયો. તેથી તેણે કહ્યું કે “તેં ઠીક વિચાર કર્યો, પણ તેનો નિર્ણય શો કર્યો?’’ તે બોલ્યો કે ‘‘જ્યાં સુધી શિખાનો અગ્ર ભાગ સુકાઈ ન જાય ત્યાં સુધી બન્ને સરખાં હોય છે.’’ પછી બીજો પ્રહર પૂર્ણ થતાં રાજાએ પૂછ્યું કે “અરે! જાગે છે કે ઊંઘે છે?”” રોહક બોલ્યો કે “દેવ! જાગું છું.’” રાજાએ પૂછ્યું કે “શું વિચાર કરે છે?” ત્યારે તે બોલ્યો કે હે દેવ! બકરીના પેટમાંથી જાણે સરાણે ઉતારેલી હોય તેવી તેની લીંડીઓ બરાબર ગોળ થઈને બહાર નીકળે છે, તેનું શું કારણ?’’ રાજાએ રોહકને જ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે ‘બકરીના ઉદરમાં સંવર્તક નામનો વાયુ રહે છે, તેના પ્રભાવથી લીંડીઓ એવી ગોળ થાય છે.” પછી રોહક સૂઈ ગયો. ,, રાજાએ ત્રીજા પ્રહરે રોહકને બોલાવ્યો કે ‘અરે જાગે છે કે ઊંઘે છે?’’ તે બોલ્યો કે ‘‘જાગું છું.’’ રાજાએ પૂછ્યું કે ‘“શું વિચાર કરે છે?’’ તે બોલ્યો કે “હે દેવ! ખિસકોલીનું જેટલું મોટું પૂંછડું છે તેટલું જ તેનું શરીર પણ હશે કે કાંઈ ન્યૂનાધિક હશે?'' રાજાએ તેનો નિર્ણય તેને જ પૂછ્યો, ત્યારે તે બોલ્યો કે ‘‘હે દેવ! બન્ને સરખાં હોય છે.’’ પછી રોહક સૂઈ ગયો. રાજા પ્રાતઃકાળે જાગ્યો, ત્યારે રોહકને બોલાવ્યો, પણ નિદ્રાવશ હોવાથી તેણે જવાબ આપ્યો નહીં. ત્યારે રાજાએ ક્રીડાથી રોહકને જરાક સોટી લગાડી, એટલે રોહક જાગી ગયો. રાજાએ પૂછ્યું કે “અરે! કેમ ઊંધે છે કે?’’ તે બોલ્યો કે ‘‘દેવ જાગું છું.’’ રાજાએ કહ્યું કે ‘‘ત્યારે કેમ ઘણી વારે બોલ્યો?’' રોહકે જવાબ આપ્યો કે ‘‘હે દેવ! હું વિચાર કરતો હતો કે રાજા કેટલા પુરુષથી ઉત્પન્ન થયો હશે? (રાજાને કેટલા બાપ હશે?)’’ તે સાંભળીને રાજા લક્ક્ષ પામીને જરા વાર મૌન રહ્યો. પછી થોડી વારે પૂછ્યું કે “અરે, બોલ! હું કેટલા પુરુષથી ઉત્પન્ન થયો છું?’’ રોહક બોલ્યો કે “પાંચ પુરુષથી.'' ફરીથી રાજાએ પૂછ્યું કે ‘‘કયા કયા પાંચથી?’’ તે બોલ્યો કે ‘‘એક તો કુબેર ભંડારીથી, કેમકે કુબેર ભંડારીના જેવી તમારામાં દાનશક્તિ છે. બીજા ચંડાળથી, કેમકે શત્રુના સમૂહ પ્રત્યે તમે ચંડાળના જેવો કોપ કરો છો. ત્રીજા ઘોબીથી, કેમકે જેમ ઘોબી વસ્ત્ર નીચોવીને પાણી કાઢી નાંખે છે તેમ તમે પણ For Private & Personal Use Only ૧૯૦ Jain Education International www.jainelibrary.erg
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy