SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૧] ઔત્પાતિકી બુદ્ધિ ૧૮૯ ભરતે રાજાની આજ્ઞા કહી દેખાડી. તે સાંભળીને રોહક બોલ્યો કે ‘ચિંતા ન કરો, તમે રાજાને યોગ્ય મંડપ કરવા માટે તે શિલાની નીચે ખોદો. પછી જ્યાં જ્યાં ઘટે ત્યાં ત્યાં તેની નીચે થાંભલાઓ ગોઠવો, અને તે શિલાને ઉપાડ્યા વિના જ ભોંયરાની જેમ ફરતી ભીંત વગેરે કરો.'' તે સાંભળીને સર્વ લોકો હર્ષ પામી જમવા ઊઠ્યા. પછી ભોજન કરીને રોહકના કહેવા પ્રમાણે મંડપ તૈયાર કર્યો. રાજા પણ તે મંડપને જોઈને પ્રસન્ન થયો. પછી તેણે ગામના લોકોને પૂછ્યું કે ‘‘આ કોની બુદ્ધિથી મંડપ કર્યો?’' લોકો બોલ્યા કે ‘‘ભરતના પુત્ર રોહકની બુદ્ધિથી.’’ એકદા રાજાએ તે ગામમાં એક મેંઢો મોકલીને હુકમ કર્યો કે ‘આ મેંઢો અત્યારે જેટલો તોલમાં છે તેટલો જ પંદર દિવસે પાછો આપવો. તોલમાં જરા પણ ન્યૂનાધિક થવો ન જોઈએ.'' એ પ્રમાણે રાજાનો નિર્દેશ સાંભળીને સર્વે જનો ગામ બહાર સભા કરી એકઠા થયા. પછી રોહકને બોલાવીને રાજાનો હુકમ કહી બતાવ્યો. ત્યારે રોહક બોલ્યો કે ‘એક વરૂ પકડી લાવીને તેની પાસે આ મેંઢાને બાંધવો, અને તેને સારો ખોરાક આપી પુષ્ટ કરવો.’’ તે સાંભળીને લોકોએ તે પ્રમાણે કર્યું. પંદર દિવસે તે મેંઢો રાજાને પાછો સોંપ્યો. રાજાએ તેને તોડ્યો તો તેટલો જ તોલમાં થયો. પછી રાજાએ એક કૂકડો મોકલ્યો અને કહેવરાવ્યું કે “બીજા કૂકડા વિના આ કૂકડાને યુદ્ધ કરાવવું.” તે સાંભળીને લોકોએ રોહકના કહેવાથી તે કૂકડાની સામે એક આરીસો મૂક્યો. તેમાં તે કૂકડાએ પોતાનું પ્રતિબિંબ જોઈને તે બીજો કૂકડો છે એમ જાણી તે પ્રતિબિંબ સાથે અહંકારથી યુદ્ધ કરવા માંડ્યું. તે વાત રાજાને ચરપુરુષોએ કહી. તે સાંભળી રાજા ખુશી થયો. પછી રાજાએ આજ્ઞા કરી કે “નદીની રેતીનાં દોરડાં વણીને અહીં મોકલાવો.' ત્યારે રોહકના કહેવાથી લોકોએ પ્રત્યુત્તર કહેવરાવ્યો કે “હે રાજા! તમારા ભંડારમાં રેતીનાં જૂનાં દોરડાં પડ્યાં હશે, તેમાંથી એક દોરડું નમૂના માટે મોકલો કે જેથી તેને અનુસારે અમે દોરડાં વણીને મોકલીએ.'’ તે સાંભળીને રાજા મૌન થઈ ગયો. એકદા રાજાએ મરવાની તૈયારીવાળો, રોગી અને વૃદ્ધ હાથી નટ ગામમાં મોકલાવીને કહેવરાવ્યું કે ‘‘આ હાથી મરી ગયો એમ કહ્યા વિના હમેશાં તેના ખબર મને મોકલવા.'' અહીં તો તે જ રાત્રે હાથી મૃત્યુ પામ્યો. પ્રાતઃકાળે રાજાને કેવી રીતે ખબર આપવા તેનો વિચાર ન સૂઝવાથી લોકોએ રોહકને પૂછ્યું; એટલે તેના કહેવા પ્રમાણે ગામના અધિપતિએ રાજા પાસે જઈ નિવેદન કર્યું કે ‘‘હે દેવ! આજે હાથી બેસતો નથી, ઊઠતો નથી, આહાર કે નિહાર કરતો નથી, અને બીજી કાંઈ પણ ચેષ્ટા કરતો નથી.” રાજાએ પૂછ્યું કે “અરે, શું હાથી મરી ગયો?’’ તેણે કહ્યું કે ‘“હે રાજા! આપ એવું બોલો છો, અમે એમ બોલતા નથી.’’ તે સાંભળીને રાજા મૌન થયો. પછી ફરીથી રાજાએ નટગામમાં હુકમ મોકલ્યો કે “તમારા ગામના કૂવાનું પાણી ઘણું સારું છે, માટે તે કૂવો અહીં જલદીથી મોકલો.' ત્યારે લોકોએ રોહકની બુદ્ધિથી રાજાને વિજ્ઞપ્તિ કરી કે ‘‘હે દેવ! ગામડીઓ કૂવો સ્વભાવથી જ બીકણ હોય છે, માટે નગરનો માર્ગ બતાવનાર એક અહીંનો કૂવો ત્યાં મોકલો, કે જેથી તે કૂવાની સાથે અમારો ગામડીઓ કૂવો આવી શકે.'' તે સાંભળીને રાજા મૌન રહ્યો. અન્યદા રાજાએ આદેશ કર્યો કે “અગ્નિના સંબંધ વિના ખીર રાંધીને મોકલો.’’ ત્યારે લોકોના પૂછવાથી રોકે તેમને કહ્યું કે ‘ચોખાને ઘણા જળમાં પલાળીને સૂર્યનાં કિરણથી તપાવી કરીષ અને પલાલ વગેરે ઘાસની બાફમાં તે ચોખા ને દૂધથી ભરેલી તપેલી મૂકો; જેથી ખીર થઈ જશે.'' લોકોએ તે પ્રમાણે કરીને ખીર રાજાને મોકલાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy