SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી ઉપદેશપ્રાસાંદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ ઘરમાંથી નીકળીને નાસી જાય છે, જુઓ!'' તે સાંભળીને ભરતે શંકા લાવીને વિચાર્યું કે ‘‘જરૂર મારી સ્ત્રી કુલટા છે.’' એમ વહેમ લાવીને તે તેના પર પ્રીતિરહિત થયો. તેની સાથે બોલવું પણ બંધ કર્યું; તેથી તે સ્ત્રીએ ‘આ રોહકનું કામ છે’ એમ જાણીને પુત્રને કહ્યું કે “હે પુત્ર! આ તેં શું કર્યું કે જેથી તારા પિતા એકદમ મારાથી પરાભુખ થયા? હે પુત્ર! મારો અપરાધ ક્ષમા કર.' રોહક બોલ્યો કે ‘ત્યારે ઠીક છે, હવે તું ખેદ કરીશ નહીં, હું પાછું ઠેકાણે લાવીશ.’ પછી તે સ્રી રોહકની મરજી બરાબર સાચવવા લાગી. પછી એક દિવસ રાત્રે તેના પિતા ચાંદનીમાં બેઠા હતા, તે વખતે તેની શંકા દૂર કરવા માટે રોહકે બાળચેષ્ટાથી પોતાના શરીરની છાયાને આંગળીથી બતાવીને પિતાને કહ્યું કે ‘“હે પિતા! આ કોઈ માણસ જાય છે, જુઓ!'' તે સાંભળીને ભરતે હાથમાં ખડ્ગ લઈને પૂછ્યું કે ‘“અરે, ક્યાં જાય છે? બતાવ.’’ ત્યારે રોહકે આંગળી વડે પોતાની છાયા બતાવીને કહ્યું કે “આ રહ્યો, મેં તેને રોકી રાખ્યો છે.’' તે જોઈને ભરતે વિચાર્યું કે ‘ખરેખર, પહેલાં પણ આવો જ માણસ તેણે દીઠો હશે; તેથી મેં મારી સુશીલ પ્રિયા પર શંકા કરી તે ઠીક કર્યું નહીં.'' એમ નિશ્ચય કરીને તે પાછો પોતાની સ્ત્રી પર પ્રેમી થયો, પણ રોહકે વિચાર્યું કે “મેં મારી અપર માનું અપ્રિય કર્યું છે, તેથી કોઈક વખત તે મને વિષ વગેરેથી મારી નાંખશે, માટે તેનાથી ચેતતા રહેવું.’’ એમ વિચારીને તે હમેશાં પોતાના પિતાની સાથે જ જમવા લાગ્યો. એકદા રોહક તેના પિતાની સાથે અવંતિનગરીએ ગયો, તે નગરીની શોભા જોઈને તે વિસ્મય પામ્યો. પછી પિતાની સાથે ઘેર જવા તે નગરી બહાર નીકળ્યો. બહાર આવતાં કાંઈ ચીજ ભૂલી જવાથી રોહકને ત્યાં ક્ષિપ્રાનદીને કાંઠે મૂકીને ભરત પાછો નગરીમાં ગયો. રોહકે નદીની વાલુકામાં બેઠા બેઠા કિલ્લા સહિત આખી અવંતિનગરી આલેખી. તેવામાં અશ્વ ઉપર ચઢીને તે જ નગરીનો રાજા ત્યાં આવ્યો. તે રોહકે ચીતરેલી નગરીની વચ્ચે થઈને ચાલવા લાગ્યો, એટલે રોહકે તેને કહ્યું કે ‘‘હે રાજપુત્ર! આ માર્ગે ન ચાલો.’’ રાજાએ તેનું કારણ પૂછ્યું. ત્યારે તે બોલ્યો કે “અરે! આ રાજદરબારને તમે જોતા નથી?’” રાજાએ નીચે ઊતરીને આખી નગરી યથાર્થ ચીતરેલી જોઈને પૂછ્યું કે ‘‘રે બાળક! પહેલાં તેં આ નગરી જોઈ હતી, કે આજે જ પ્રથમ જોઈ?’’ તે બોલ્યો કે “ના મેં કોઈ વખત જોઈ નથી, માત્ર આજે જ નટગામથી અહીં આવ્યો છું.” તે સાંભળીને રાજાએ આશ્ચર્ય પામીને વિચાર્યું કે ‘“અહો! આ બાળકની બુદ્ધિ કેવી તીવ્ર છે?”' પછી રાજાએ તેનું નામ પૂછ્યું ત્યારે તે બોલ્યો કે “મારું નામ રોહક છે.’’ તેવામાં રોહકનો પિતા ગામમાંથી આવ્યો, એટલે તેની સાથે રોહક પોતાને ગામ ગયો. અહીં રાજાએ વિચાર્યું કે “મારે ચારસો ને નવાણું મંત્રીઓ છે; પરંતુ તે સર્વની બુદ્ધિ એક જ મંત્રીમાં હોય એવો એક મંત્રી જોઈએ, જેથી રાજ્યનું તેજ વૃદ્ધિ પામે.'' એમ વિચારીને રોહકની પરીક્ષા કરવા માટે રાજાએ નટગામના મુખ્ય માણસોને ઉદ્દેશીને હુકમ કર્યો કે “તમારા ગામની બહાર એક મોટી શિલા છે, તે શિલાને ઉપાડ્યા વિના જ રાજાને બેસવા યોગ્ય એક મંડપ કરી તેનું ઢાંકણ તે શિલાનું કરો.'' આ પ્રમાણે રાજાની આજ્ઞા સાંભળીને સર્વ લોકો અનેક પ્રકારની ચિંતા કરવા લાગ્યા. વિચાર કરતાં મધ્યાહ્ન સમય થયો; તેવામાં રોકે આવીને તેના પિતાને કહ્યું કે ‘“હે પિતા! મને બહુ ભૂખ લાગી છે, તેથી ભોજન કરવા માટે ઘેર ચાલો.'' ભરત બોલ્યો કે ‘“હે વત્સ! તું તો નિશ્ચિંત છે, ગામના કષ્ટને તું કાંઈ જાણતો નથી.’’ રોહક બોલ્યો કે “શું કષ્ટ છે?’’ ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.erg
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy