SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૧] ઔત્પાતિકી બુદ્ધિ ૧૮૭ પાંચમો બોલ્યો કે “મારા ઘરમાં એક શાલિ (ડાંગર) નો દાણો એવો છે કે તે જુદી જુદી જાતની શાલિના બીજોને ઉત્પન્ન કરે છે, અને બીજો શાલિનો દાણો એવો છે કે તેને વારંવાર લણીએ છતાં વારંવાર ઊગ્યા જ કરે છે. આ બે રત્નો મારે ઘેર છે; માટે મારા નામનું ઢોલકું વગાડો.” આ પ્રમાણે મદ્યના આવેશથી સર્વ જનોએ પોતપોતાની સમૃદ્ધિ પ્રગટ કરી. કહ્યું છે કે कुविअस्स आउरस्स य, वस्सणपत्तस्स रागरत्तस्स । मत्तस्स मरंतस्स य, सप्भावा पायडा हुंति ॥१॥ ભાવાર્થ-“કોપમાં આવેલો, મહા વ્યાધિવાળો (આતુર), દુઃખમાં પડેલો, રાગમાં આસક્ત થયેલો, ઉન્મત્ત થયેલો અને મરવા તૈયાર થયેલો આટલા માણસો પોતાની સત્ય વાત પ્રગટ કરે છે.” પછી ચાણાક્ય મંત્રીએ સર્વ સ્વસ્થ થયા ત્યારે તેમની પાસેથી યોગ્યતા પ્રમાણે થોડું થોડું ઘન લીધું. ત્યાર પછી ફરીથી લોકોનું ઘન લેવા માટે તેણે દિવ્ય પાસા બનાવ્યા. પછી સોનામહોરોનો થાળ ભરીને તે ચૌટામાં લઈ જઈ માણસો પ્રત્યે બોલ્યો કે “જે માણસ મને ઘુતમાં જીતે તેને આ સર્વ મહોરો આપી દઉં, અને જો હું જતું તો માત્ર એક જ સોનામહોર લઉં.” તે સાંભળીને લોભને આધીન થયેલા લોકો તેની સાથે રમવા લાગ્યા, પરંતુ દ્યુતક્રીડામાં હોશિયાર એવો કોઈ પણ માણસ તે મંત્રીને જીતી શક્યો નહીં. સંપત્તિના પાશરૂપ અને પોતાની ઇચ્છાનુસાર પડનારા પાસાના પ્રભાવથી લોકોને જીતીને ચાણાક્ય મંત્રીએ ચંદ્રગુપ્તનો ભંડાર સુવર્ણથી ભરી દીઘો. “કદાચ દિવ્ય પ્રભાવ વગેરે બળથી કોઈ માણસ આ ચાણાક્ય જેવા મંત્રીને પણ જીતી શકે, પરંતુ જે માણસ પ્રમાદથી મનુષ્યજન્મને હારી જાય તે ફરીથી મનુષ્યભવને પામી શકતો નથી.” વ્યાખ્યાન ૩૪૧ ઔત્પાતિકી બુદ્ધિ औत्पत्तिक्यादिबुद्धिज्ञो, रोहको जतनासु यत् । महामान्योऽभूत्तथा धार्यो, धर्मवद्भिर्गुणोत्तरः॥१॥ ભાવાર્થ-“ઔત્પાતિકી વગેરે બુદ્ધિને જાણનાર રોહક જેમ લોકોમાં અતિ માન્ય થયો તેમ ઘર્મી માણસોએ તે શ્રેષ્ઠ ગુણને ધારણ કરવો.” રોહકની કથા અવન્તિનગરીની પાસે નટ નામના ગામમાં ભરત નામે એક નટ રહેતો હતો. તેની પહેલી સ્ત્રી મરણ પામી હતી, પણ તે સ્ત્રીથી ઉત્પન્ન થયેલો ઔત્પાતિકી બુદ્ધિવાળો તેને રોહક નામે એક પુત્ર હતો. ભરત બીજી સ્ત્રી સાથે પરણ્યો હતો. તે સ્ત્રી રોહકને ખાવા પીવાનું બરાબર આપતી નહીં; તેથી એક વખત રોહકે તેને કહ્યું કે “હે મા! તું મને સારી રીતે રાખતી નથી, તેનું ફળ હું તને બતાવીશ.” ત્યારે તે બોલી કે “હે શોક્યના પુત્ર! તું મને શું કરવાનો હતો?” તે બોલ્યો કે “હું એવું કરીશ કે જેથી તું મારા પગમાં પડીશ.” આમ કહ્યા છતાં પણ તે રોહકને ગણકારતી નહીં. એક દિવસ રાત્રે રોહકે એકદમ ઊઠીને તેના પિતાને કહ્યું કે “રે રે પિતા! આ કોઈ પુરુષ આપણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy