SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ સ્તિંભ ૨૩ વિષયાંઘ થઈ તેનો સંગ કર્યો. તેથી તે કન્યાનું વિષ તત્કાળ પર્વતને ચડ્યું. તેણે ચંદ્રગુપ્તને કહ્યું કે મને વિષ વ્યાપ્યું છે, માટે તેનો જલદીથી કાંઈ ઉપાય કર.” તે સાંભળી ચંદ્રગુપ્ત તેનો ઉપાય કરવા ઉત્સુક થયો. તે વખતે ચાણાક્ય નેત્રની સંજ્ઞાથી ચંદ્રગુપ્તને નિષેધ કર્યો; અને શિખામણ આપી કે– तुल्यार्थं तुल्यसामर्थ्य, मर्मज्ञं व्यवसायिनम् । अर्धराज्यहरं मित्रं, यो न हन्यात्स हन्यते ॥१॥ તુલ્ય સંપત્તિવાળા, સમાન સામર્થ્યવાળા, ગુપ્ત વાત જાણનાર, સરખો વ્યાપાર કરનાર અને અર્થા રાજ્યનો ભાગીદાર એવા મિત્રને પણ જે હણતો નથી તે પોતે જ હણાય છે.” પછી વિષથી વ્યાસ થયેલો તે પર્વત તરત જ મૃત્યુ પામ્યો, એટલે તેનું રાજય પણ ચંદ્રગુપ્તને આધીન થયું. હવે ચંદ્રગુપ્તના રાજ્યમાં નંદના માણસો ચોરી કરવા લાગ્યા તેથી ચાણાક્ય કોઈ બીજા રક્ષક (કોટવાળ)ની શોઘ કરવા લાગ્યો. શોઘતાં શોઘતાં તે નલદ નામના તંતુવાયને ઘેર ગયો. તે વખતે તંતુવાય મકોડાના બિલમાં અગ્નિ નાંખતો હતો. તે જોઈને ચાણાક્યું તેને પૂછ્યું કે “આ તું શું કરે છે?” કુર્વિદે જવાબ આપ્યો કે “આ દુષ્ટ મકોડા મારા પુત્રને ડંખે છે, માટે સર્વ મકોડાનો ઉચ્છેદ કરવા માટે તેના બિલમાં હું અગ્નિ મૂકું છું.” આ પ્રમાણે તે કુવિંદની વાણીથી તેને ઉદ્યમી જાણીને ચંદ્રગુપ્ત પાસે તેને પુરના અધ્યક્ષની જગ્યા અપાવી; એટલે મૌર્ય વંશનું સામ્રાજ્ય કંટક (શત્રુ) રહિત થયું. એકદા “ચંદ્રગુપ્ત પાસે ઘન નથી” એમ જાણીને ચાણાક્ય પુરના લોકોની સાથે મદ્યપાનની ગોષ્ઠી કરી. મદિરાના આવેશથી પુરના લોકો ઉન્મત્ત થઈને નાચ કરવા લાગ્યા અને પડવા લાગ્યા. તે વખતે અવસરને જાણનાર ચાણાક્ય પણ ગાંડો બનીને બોલ્યો કે “મારે ઘાતુનાં રંગેલાં બે વસ્ત્રો છે, ત્રિદંડ છે, અને સુવર્ણની કુંડી છે, તેમજ રાજા મારે આધીન છે; માટે મારા નામની ઝાઝ પખાજ વગાડો.” તે સાંભળીને ઝાઝ વગાડનારાઓએ ચાણાક્ય મંત્રીના નામની ઝાઝ વગાડી. તે સાંભળીને એક ગૃહસ્થ પુરુષે મદિરાના ઉન્મત્તપણાથી હાથ ઊંચો કરીને કોઈને પણ નહીં કહેલી એવી પોતાની લક્ષ્મીનું વર્ણન કરતાં કહ્યું કે “અરે! એક હજાર યોજન સુધી કોઈ શેઠ ચાલે તેને પગલે પગલે લાખ લાખ દ્રવ્ય આપું, તેટલા ઘનનો હું સ્વામી છું, માટે મારા નામનું ઢોલકું વગાડો.” તે સાંભળીને “હું પહેલો બોલું” “હું પહેલો બોલું” એવી ચડસાચડસીથી બીજો બોલ્યો કે “એક આઢક તલને વાવીએ, અને તે સારી રીતે પાળીને તેમાંથી જેટલા તલ નીપજે તેટલા લક્ષ દીનાર મારા ઘરમાં છે, તેથી મારા નામનું ઢોલકું વગાડો.” ત્રીજો બોલ્યો કે “વર્ષાઋતુની પહેલી વૃષ્ટિથી ગિરિની નદીમાં જેટલું પૂર આવે, તે પૂરને એક દિવસના માખણથી પાળ બાંઘીને હું રોકી શકું તેટલું માખણ દરરોજ મારે ત્યાં થાય છે, માટે મારા નામનું ઢોલકું વગાડો.” ચોથો બોલ્યો કે “મારે ઘેર એટલા બધા અશ્વો છે કે એક દિવસે જ ઉત્પન્ન થયેલા વછેરાની કેશવાળીથી આખું નગર વીંટાઈ જાય; માટે મારા નામનું ઢોલકું વગાડો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy