SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૦] મનુષ્યભવની દુર્લભતા ૧૮૫ પછી તે મૌર્યવંશી ચંદ્રગુપ્તની સાથે સંધ્યાસમયે એક ગામમાં આવ્યો. ત્યાં ભિક્ષાને માટે ભમતો તે એક દરિદ્રીને ઘેર ગયો. તે વખતે એક ડોશીએ પોતાનાં બાળકોને ઊની ઊની રાબ પીરસી હતી. તેમાંથી એક વધારે ભૂખ્યા બાળકે વચમાં હાથ નાંખ્યો, તેથી તેની આંગળીઓ દાઝી એટલે તે રોવા લાગ્યો. તેને પેલી ડોસીએ કહ્યું કે “અરે મૂઢ! તું પણ ચાણાક્યના જેવો જડ જણાય છે.” તે સાંભળીને ભિક્ષુરૂપ ચાણાક્યે ડોશીને પૂછ્યું કે “હે માતા! તમે અહીં ચાણાક્યનું દૃષ્ટાંત કેમ આપ્યું?’’ ડોશી બોલ્યા કે જેમ ચાણાક્યે આજુબાજુનો દેશ સાઘ્યા વિના પહેલા પાટલિપુત્રને જ રુંધ્યું, તેથી તે મૂર્ખ નિંદાને પાત્ર થયો, તેમ આ બાળકે પણ પ્રથમ ઘીમે ઘીમે અડખે પડખેથી રાબ ચાટ્યા વિના વચમાં જ હાથ નાંખ્યો, તેથી તે ચાણાક્યની ઉપમાને પામ્યો.'' તે સાંભળીને ચાણાક્ય ડોશીની શિક્ષા સત્ય માની. પછી અનુક્રમે ચાણાક્યે પર્વત નામના એક રાજાની સાથે ગાઢ મિત્રાઈ બાંધી. એકદા તેણે પર્વત રાજાને કહ્યું કે ‘‘જો તમારી ઇચ્છા હોય તો નંદરાજાનું ઉન્મૂલન કરીને તેનું રાજ્ય આપણે વહેંચી લઈએ.'' તે વાત કબૂલ કરીને પોતાના સૈન્ય સહિત પર્વતરાજા ચંદ્રગુપ્તને સાથે રાખીને નંદરાજાનો દેશ સાઘવા લાગ્યો. છેવટ નંદની રાજધાની પાટલિપુત્રને ઘેરો ઘાલ્યો; પણ તે નગરી બળથી લઈ શકાય તેવું નથી, એમ ધારીને ભિક્ષુનો વેષ લઈ ચાણાક્ય તે પુરમાં પેઠો. ત્યાં વાસ્તુશાસ્ત્રને અનુસારે સર્વ મકાનો જોવા લાગ્યો. તેવામાં એક સ્થાને મહા પ્રતાપી સાત દેવીઓ–ઇંદ્રની કુમારિકાઓની મૂર્તિઓ તેણે જોઈ. પછી તેમના પ્રભાવથી જ આ પુરનો ભંગ થતો નથી, એમ જાણીને તે દેવીઓને ઉખેડી નાંખવાનો ઉપાય વિચારવા લાગ્યો. તેવામાં પુરના રોઘથી કાયર થયેલા પૌરજનોએ તે ભિક્ષુને પૂછ્યું કે ‘હે પૂજ્ય! આ પુરનો રોઘ ક્યારે મટશે?’’ ચાણાક્યે જવાબ આપ્યો કે—‘જ્યાં સુધી આ સાત દેવીઓની પ્રતિમાઓ અહીં પ્રતિષ્ઠિત છે, ત્યાં સુધી પુરનો રોધ શી રીતે મટે?’' આ પ્રમાણેના તે ધૂર્તના કહેવાથી છેતરાયેલા લોકેાએ તે દેવીઓને તેના સ્થાનથી તરત જ ઉખેડી નાંખી. તે જ વખતે ચંદ્રગુપ્ત તથા પર્વતે તે પુર જીતી લીધું. આ પ્રમાણે તેણે પ્રથમ નંદરાજાનો દેશ સાઘીને પછી પાટલિપુત્ર લીધું. તે વખતે નંદનું પુણ્ય ક્ષીણ થયેલું હોવાથી તેણે ચાણાક્ય પાસે ધર્મદ્વાર માગ્યું, ત્યારે તે બોલ્યો કે “હે નંદરાજા! તું એક રથમાં જેટલું લઈ જવાય તેટલું લઈને નિર્ભયતાથી પુર બહાર ચાલ્યો જા.’' નંદ પણ પોતાની બે સ્રીઓ, એક કન્યા અને સારભૂત દ્રવ્ય રથમાં લઈને નગર બહાર નીકળ્યો. તે જ વખતે ચંદ્રગુપ્ત વગેરે સૌ નગરમાં પેઠા. સામસામે મળતાં નંદની કન્યા અનુરાગથી ચંદ્રગુપ્તની સામું જોઈ રહી. તે જોઈને નંદરાજાએ પુત્રીને કહ્યું કે “હે વત્સ! જો આ પતિ તને પસંદ હોય તો ખુશીથી તેને અંગીકાર કર. પિતાની આજ્ઞા થવાથી તે કન્યા પોતાના રથમાંથી ઊતરીને ચંદ્રગુપ્તના રથ ઉપર ચઢવા લાગી. તેના ચઢતાં જ ચંદ્રગુપ્તના રથના ચક્રના નવ આવા ભાંગી ગયા. તેથી ‘આ સ્ત્રી અમંગળ કરનારી છે’ એમ ઘારીને ચંદ્રગુપ્તે તેને અટકાવી. એટલે ચાણાક્ય બોલ્યો કે “હે વત્સ! તે સ્ત્રીનો તું નિષેધ ન કર. આ આરાના ભંગરૂપ શુકનથી તારી નવ પેઢી સુધી તારો વંશ રહેશે.” તે સાંભળીને ચંદ્રગુપ્તે તે કન્યાને પોતાના રથમાં બેસાડી, અને નંદના રાજદ્વારમાં આવ્યો. ,, રાજમહેલમાં એક કન્યા બહુ રૂપવતી હતી. તેને જન્મથી જ નંદરાજાએ ધીમે ધીમે મહા ઉગ્ર વિષ ખવડાવવા માંડ્યું હતું, એટલે તે વિષકન્યા થઈ ગઈ હતી. તે વિષકન્યાને જોઈને પર્વતરાજાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy