SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ આવા પ્રકારના ગુરુને પામીને અવશ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું, કદાપિ આલોચના લેવા જતાં માર્ગમાં જ આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે તો પણ તેને આરાઘક જાણવો. કેમકે પાંચમા અંગમાં કહ્યું છે કે __ आलोअणापरिणओ, सम्मं संपढिओ गुरुसगासे । जइ अंतरावि कालं, करीज जइ आराहओ तहवि ॥१॥ ભાવાર્થ-“આલોયણા પરિણત (આલોયણા લેવાને તત્પર) થયો સતો, ગુરુ પાસે જવાને સમ્યક પ્રકારે સંપ્રસ્થિત થયો હોય એટલે માર્ગે પડ્યો હોય એવો મુનિ કદાપિ માર્ગમાં પણ કાળ કરે તો તે તદપિ (આલોયણ લીધા વિના પણ) આરાધક છે.” જો કદાચિત્ આચાર્ય વગેરેની જોગવાઈ ન મળે તો સિદ્ધની સાક્ષીએ પણ આલોયણ લેવી. કહ્યું છે કે – आयरिआइ सगच्छे, संभोइअ इअर गीयत्थपासत्थे । साख्वी पच्छाकड, देव य पडिमा अरिहसिद्धे॥१॥ ભાવાર્થ-“સ્વગચ્છના આચાર્યાદિક, સાંભોગિક, ઇતર, ગીતાર્થપાસસ્થ, સારૂપિક, પશ્ચાતુકૃત, દેવ, પ્રતિમા અને અર્વન્ત સિદ્ધની સાક્ષીએ ઉત્તરોત્તર અભાવે આલોચના લેવી.” આ ગાથાનો વિસ્તારાર્થ આ પ્રમાણે છે કે–સાઘુ અથવા શ્રાવકે અવશ્ય પ્રથમ પોતાનાં ગચ્છના આચાર્ય પાસે આલોચના લેવી, તેને અભાવે ઉપાધ્યાય પાસે, તેને અભાવે પ્રવર્તક પાસે, તેને અભાવે સ્થવિર પાસે અને તેને અભાવે ગણાવચ્છેદક પાસે (જે કોઈ ગચ્છમાં મોટા હોય તેની પાસે) આલોચના લેવી. પોતાના ગચ્છમાં ઉપરના પાંચેનો અભાવ હોય તો સાંભોગિક એટલે સમાન સામાચારીવાળા બીજા ગચ્છના આચાર્ય વગેરે પાંચેની પાસે અનુક્રમે એક એકના અભાવે આલોચના લેવી. તેમના અભાવે ઇતર અસાંભોગિક એટલે જુદી સામાચારીવાળા સંવિગ્ન ગચ્છમાં તે જ ક્રમે આલોચના લેવી. તેમના પણ અભાવે ગીતાર્થપાસન્થ એટલે ગીતાર્થ થયા પછી પાસસ્થા થઈ ગયેલ હોય તેની પાસે, તેના અભાવે ગીતાર્થ સારૂપિક એટલે શ્વેતવસ્ત્રઘારી, મુંડ, બદ્ધકચ્છ રહિત, રજોહરણ રહિત બ્રહ્મચર્ય રહિત, સ્ત્રીવર્જિત, ભિક્ષાવડે ભોજન કરનાર એવાની પાસે અથવા શિખા ઘારણ કરનાર અને ભાર્યાવાળા સિદ્ધપુત્રની પાસે, તેના અભાવે ગીતાર્થ પશ્ચાદ્ભુત એટલે ગીતાર્થ થયા પછી ચારિત્રના વેષને તજીને સ્ત્રીવાળા થયેલા ગૃહસ્થ પાસે આલોચના લેવી. આવા પાસત્કાદિકને પણ આલોયણ લેતી વખતે ગુરુની જેમ વંદનાદિક વિધિ કરવો; કેમકે ઘર્મનું મૂળ વિનય છે. જો કદાચ પાસત્કાદિક પોતે પોતાને હીન ગુણવાળા સમજીને વંદનાદિક કરવાની ના કહે, તો તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરી આલોચના લેવી. જેણે ચારિત્રનો વેષ તજી દીધો છે એવા પશ્ચાત્કૃત પાસે લેતાં તેને અલ્પ કાળનું સામાયિક ઉચ્ચરાવીને તથા વેષ ઘારણ કરાવીને પછી વિધિપૂર્વક આલોયણા લેવી. તેવા પાસસ્થાદિકના પણ અભાવે જે ઉદ્યાનાદિકમાં બેસીને અહંન્ત અને ગણઘરાદિકે ઘણી વાર આલોચના આપી હોય, અને તે જે દેવતાએ જોયું-સાંભળ્યું હોય, ત્યાં જઈ તે સમ્યદ્રષ્ટિ દેવતાની અઠ્ઠમ વગેરે તપથી આરાધના કરીને તેમને પ્રત્યક્ષ કરી તેની પાસે આલોચના લેવી. જો કદાચ જેણે આલોયણ સાંભળેલ તે દેવતા એવી ગયો હશે તો તેને સ્થાને ઉત્પન્ન થયેલો બીજો દેવતા મહાવિદેહમાં વિચરતા અરિહંતને પૂછીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy