SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૮૮] તપાચારનો સાતમો ભેદ-પ્રાયશ્ચિત્ત ૧૧ આલોચના આપશે. તેના પણ અભાવે અરિહંતની પ્રતિમા પાસે આલોચીને પોતે જ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. તેના પણ અયોગે ઈશાન કૂણ તરફ મુખ રાખી અર્યન્ત સિદ્ધની સમક્ષ આલોચના કરવી, પણ આલોચના કર્યા વિના રહેવું નહીં. કેમકે શલ્ય સહિત રહેવાથી આરાઘકપણું નષ્ટ થાય છે. આ વગેરે વ્યાખ્યાન વ્યવહાર સૂત્રમાં પણ લખેલું છે. આલોચનાના અનેક ગુણો છે. કહ્યું છે કે लहु आल्हाइजणणं, अप्पपरनिवत्ति अजवं सोही । दुक्करकरणं आणा, निस्सल्लत्तं च सोहिगुणा ॥१॥ ભાવાર્થ-“લઘુતા, આલ્હાદ ઉત્પન્ન થવો તે, સ્વપરની નિવૃત્તિ, આર્જવ, શુદ્ધતા, દુષ્કર કરવાપણું, આજ્ઞા અને નિઃશલ્યત્વ એ શોધિ એટલે આલોયણના ગુણો છે.” વિશેષાર્થ–લઘુતા એટલે જેમ ભાર વહન કરનારનો ભાર લઈ લેવાથી તે લઘુ (હળવો) થાય, તેમ હૃદયમાંથી શલ્ય નાશ થવાથી આલોયણ લેનારને લઘુતા પ્રાપ્ત થાય છે. આલ્હાદી જનન એટલે પ્રમોદ (હર્ષ) ઉત્પન્ન થાય છે. સ્વપરનિવૃત્તિ એટલે પોતાની તથા અન્યની દોષથી નિવૃત્તિ થાય છે, અર્થાત્ આલોચના લેવાથી પોતાના દોષની નિવૃત્તિ થાય છે, એટલું જ નહીં પણ તેને જોઈને બીજાઓ પણ પોતાના દોષની આલોચના લેવા તત્પર થાય છે, તેથી બીજાની પણ દોષથી નિવૃત્તિ થાય છે. આર્જવ એટલે સારી રીતે આલોયણ લેવાથી નિષ્કપટતા-સરલતા પ્રાપ્ત થાય છે. શોધિ એટલે અતિચારરૂપ મળનો નાશ થવાથી શુદ્ધતા પ્રાપ્ત થાય છે. દુષ્કરકરણ–દુષ્કર કરવાપણું થાય છે, એટલે કે પાપકાર્યનું પ્રતિસેવન તે કાંઈ દુષ્કર નથી, તે તો અનાદિકાળથી પરિચિત છે; પરંતુ કાંઈ પણ દોષ થયો હોય તેની આલોચના લેવી તે દુષ્કર છે; કેમકે આલોચનાની ઇચ્છા તો જ્યારે મોક્ષના સન્મુખભાવે પ્રબળ વીર્યને ઉલ્લાસ થાય ત્યારે જ થઈ શકે છે. તે વિષે શ્રી નિશીથ ચૂર્ણીમાં પણ કહ્યું છે કે "तं न दुक्करं जं पडिसेविजई, तं दुक्करं जं सम्मं आलोइज्जइति ।" જે (અકાર્યનું) પ્રતિસેવન કરવું તે દુષ્કર નથી, પણ જે તેની સમ્યક્ પ્રકારે આલોચના લેવી તે દુષ્કર છે.” આ કારણથી જ આ આલોચનાને અત્યંતર તપમાં ગણેલ છે, સમ્યગૂ આલોચન માસક્ષપણાદિક તપ કરતાં પણ દુષ્કર છે. અહીં લક્ષ્મણા સાધ્વીનું તથા ચંડકૌશિકના પૂર્વભવમાં દેડકીની હિંસા કરનાર તપસ્વી (મુનિ)નું દ્રષ્ટાંત જાણવું હવે જ્ઞાનાદિકની આલોચના વિષે કહે છે– त्रिविधाशातना जाते, ज्ञानादिनां यथाक्रमम् । अतिचारविशुद्ध्यर्थं, सूत्रोक्तं तत्तपश्चरेत् ॥१॥ ભાવાર્થ-“જ્ઞાનાદિકની અનુક્રમે ત્રણ પ્રકારની આશાતના થયે સતે તેના અતિચારની વિશુદ્ધિ માટે સૂત્રમાં કહ્યા પ્રમાણે તપ કરવું.” જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની આશાતના જાણવી. તેમાં જ્ઞાનાદિકનો અવિનય થાય, ત્યારે તેનું પ્રાયશ્ચિત્ત લઈ યથાયોગ્ય તપ કરવું જોઈએ. જિતકલ્પ અનુસારે “જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy