SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૮૮] તપાચારનો સાતમો ભેદ-પ્રાયશ્ચિત્ત વ્યાખ્યાન ૨૦૦ તપાચારનો સાતમો ભેદ-પ્રાયશ્ચિત્ત G હવે છ પ્રકારના આપ્યંતર તપમાં પ્રથમ પ્રાયશ્ચિત્ત નામના તપરૂપ સાતમો તપાચાર કહે છે– गीतार्थादिगुणैर्युक्तं, लब्ध्वाचार्यं विवेकिना । प्रायश्चित्तं तपो ग्राह्यं, पापफलप्ररोधकम् ॥ १॥ ભાવાર્થ ‘વિવેકી પુરુષે ગીતાર્યાદિક ગુણોથી યુક્ત એવા આચાર્યને પામીને પાપના ફળને રોકનારું પ્રાયશ્ચિત્ત નામનું તપ ગ્રહણ કરવું.’’ ગીતાર્થ એટલે નિશીથ વગેરે છેદસૂત્રાદિના ભાવાર્થને જાણનાર, ‘આદિ' શબ્દે કરીને કૃતયોગી (કરેલા છે યોગ જેણે) વગેરે ગુણોથી યુક્ત મુનિ જાણવા. કહ્યું છે કે गीअत्थो कडजोगी, चारित्ती तह गाहणाकुसलो । अन्नो अविसाई, भणिओ आलोयणायरिओ ॥ १ ॥ ભાવાર્થ-ગીતાર્થ એટલે સમગ્ર સિદ્ધાંતના અર્થને જાણનાર, કૃતયોગી એટલે મન વચન અને કાયાના યોગનો અભ્યાસ કરનાર અથવા વિવિધ પ્રકારનું તપ કરનાર, ચારિત્રી એટલે અતિચાર રહિત સંયમનું પાલન કરનાર, તથા ગ્રાહણાકુશલ એટલે ઘણી યુક્તિથી આલોચના લેનારને વિવિધ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તપ કરાવવામાં કુશળ, ખેદજ્ઞ એટલે સમ્યક્ પ્રકારે પ્રાયશ્ચિત્ત લેતાં તથા કરતાં જે પરિશ્રમ થાય તેને જાણનાર, અવિષાદી એટલે પ્રાયશ્ચિત્ત લેનારના અનેક દોષો સાંભળ્યા છતાં ખેદ નહીં પામતાં ઊલટા પ્રાયશ્ચિત્ત લેનારને તેવા તેવા પ્રકારનાં દૃષ્ટાંતો કહેવાપૂર્વક વૈરાગ્યવાળાં વાક્યોથી ઉત્સાહ પમાડનાર, એવા પ્રકારના આચાર્ય આલોચનાને માટે યોગ્ય કહેલા છે.’’ માટે આલોયણ લેનારે અવશ્ય ગીતાર્થ ગુરુની શોધ કરવી. કહ્યું છે કે आलोअणादिनिमित्तं, खित्तंमि सत्तजोयणसयाई । काले बारसवासा, गीअत्थगवेसणं कुज्जा ॥१॥ ભાવાર્થ-‘આલોચનાદિક લેવા માટે ક્ષેત્રથી સાતસો યોજન સુધી અને કાળથી બાર વર્ષ સુધી ફરીને ગીતાર્થની શોધ કરવી.’ अग्गीओ न विजाणई, सोहिं चरणस्स देइ ऊणहिअं । तो अप्पाणं आलोअगं च पाडेइ સંસારે ॥ ભાવાર્થ-અગ્નીઓ એટલે અગીતાર્થ આલોયણ આપી જાણતા નથી, તેથી તે જો ચારિત્ર સંબંધી અધિક અથવા ન્યૂન આલોયણ આપે, તો તેથી પોતાને અને આલોચના લેનારને બન્નેને સંસારમાં પાડે.'' अखंडिअचारित्तो, वयगहणाओ हविज्ज जो निच्चं । तस्स सगासे दंसणवयगहणं सोहिगहणं च ॥३॥ ભાવાર્થ-જે હંમેશાં વ્રત ગ્રહણ કર્યા પછી અખંડ ચારિત્રવાળા હોય, તેની પાસે દર્શન (સમકિત) અને વ્રતનું ગ્રહણ કરવું, તથા તેની જ પાસે આલોયણ લેવી, અથવા અનશન આદરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy