SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સંભ ૨૦. વશાર્તમરણ, ૩. મનમાં શલ્ય રાખી મૃત્યુ પામે તે અન્તઃશલ્યમરણ, ૪. માણસ પોતાના ભવનું નિયાણું કરીને મૃત્યુ પામે તે તભવમરણ, ૫. પર્વત પરથી પડીને મરે તે ગિરિપતનમરણ, ૬. વૃક્ષપરથી પડીને મરે તે તરુપતનમરણ, ૭. જળમાં ડૂબીને મરે તે જલપ્રવેશમરણ, ૮. અગ્નિમાં પ્રવેશ કરીને મરે તે વનપ્રવેશમરણ, ૯. વિષભક્ષણ કરીને મરે તે વિષભક્ષણમરણ, ૧૦. શસ્ત્રથી મરે તે શસ્ત્રમરણ, ૧૧. વૃક્ષની શાખાપર પાશ બાંધીને મરે તે વૃક્ષપાશમરણ, ૧૨. ગીઘ પક્ષી, હાથી વગેરેના પ્રહારથી મારે તે ગૃધ્રપૃષ્ઠમરણ. પંડિત મરણ બે પ્રકારનું છે-પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. આ બે મરણથી અનન્ત ભવનો ક્ષય થાય છે.” આ પ્રમાણે સાંભળીને તે સ્કન્દક સંદેહ રહિત થયા, અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને બોલ્યા કે, “હે ભગવન્! આપનું વાક્ય ખરેખરું સત્ય છે.” પછી તે સ્કન્દકે ઈશાન ખૂણે જઈ પોતાનાં સર્વ ઉપકરણો મૂકી દઈને શ્રી જિનેંદ્ર પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે અગિયાર અંગનો અભ્યાસ કરી પ્રભુની આજ્ઞા લઈને બાર પ્રતિમા અંગીકાર કરી. પછી પ્રભુની આજ્ઞાથી ગુણરત્નસંવત્સર તપ અંગીકાર કર્યું. તે તપમાં પહેલે માસે એકેક ઉપવાસ કરીને બીજે દિવસે પારણું, બીજે મહિને નિરંતર છઠ્ઠ તપ કરીને પારણું, એવી રીતે ચડતાં ચડતાં સોળમે મહિને સોળ ઉપવાસે પારણું થાય છે. સ્કંદક મુનિ એ પ્રમાણે તપ કરતા, દિવસે ઉત્કટ આસને સૂર્ય સન્મુખ રહીને આતાપના લેતા, અને રાત્રે વીરાસન વાળીને વસ્ત્ર રહિત રહેતા હતા. આ ગુણરત્નસંવત્સર તપમાં બોંતેર પારણાના દિવસો આવે છે. એવી રીતે છઠ્ઠ, અઠ્ઠમ, અર્થ માસ તથા માસક્ષમણાદિ તપે કરીને આત્માને ભાવતા સતા શરીરનું સઘળું માંસ શુષ્ક થઈ ગયું. માત્ર જીવની શક્તિવડે ગમન કરતા, અને બોલતા સતા ગ્લાનિ પામી જતા હતા. તેમનું શરીર એટલું બધું કૃશ થઈ ગયું હતું કે તે ચાલતા અથવા બેસતા ત્યારે જાણે સૂકાં કાષ્ઠનું ભરેલું અથવા પાંદડાંનું ભરેલું અથવા તલ અને સરસવના કાષ્ઠનું ભરેલું અથવા કોલસાનું ભરેલું ગાડું ચાલતું હોય તેમ તેમના શરીરનાં હાડકાં ખડખડ શબ્દ કરતાં હતાં. એકદા ઘર્મ-જાગરણ કરતાં રાત્રિના પાછલા ભાગે તેણે વિચાર્યું કે “હવે હું અનશન ગ્રહણ કરું.” પછી પ્રાતઃકાળે શ્રી જિનેશ્વરની આજ્ઞા લઈને અત્યંત હર્ષપૂર્વક ઘીમે ઘીમે તેઓ વિપુલગિરિપર ચડ્યા. ત્યાં પૃથ્વીશીલાપટ્ટનું પ્રમાર્જન કરીને પૂર્વાભિમુખે પદ્માસનવાળી દર્ભના સંથારાપર બેસીને યોગમુદ્રાએ કરીને “નમોથુણં' ઇત્યાદિ ભણીને બોલ્યા કે, “હે ભગવન્! આપ ત્યાં રહ્યા સતા મને અહીં રહેલાને જુઓ. પ્રથમ મેં આપની પાસે પાંચ મહાવ્રત અંગીકાર કર્યા છે. હવે અત્યારે પણ આપની જ સાક્ષીએ અઢાર પાપસ્થાનોનું અને ચાર પ્રકારના આહારનું હું છેલ્લા શ્વાસોશ્વાસ સુધી પ્રત્યાખ્યાન કરું છું.” આ પ્રમાણે કહી સર્વ પાપ આલોચીને તથા પ્રતિક્રમીને મૃત્યુને અણઇચ્છતા સતા એક માસની સંલેખના કરી. પ્રાંતે બાર વર્ષ સુધી ચારિત્રનું પાલન કરી કાળઘર્મ પામીને અશ્રુત દેવલોકમાં દેવતા થયા; ત્યાં મોટું આયુષ્ય ભોગવી ત્યાંથી અવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણું પામી સમસ્ત દુઃખનો અંત કરી સિદ્ધિપદને પામશે. ચાર પ્રકારનું સંલીનતા નામનું શુદ્ધ તપ ઘારણ કરીને શ્રી મહાવીરસ્વામીના શિષ્ય સ્કન્દક નામના સાધુ વિપુલ નામના પર્વત ઉપર માસની સંખના કરીને અશ્રુત સ્વર્ગમાં ગયા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy