SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૮૭]. તપાચારનો છઠ્ઠો ભેદ-સંલીનતા જલદીથી તેને મળીને પૂછ્યું કે, “હે સ્કન્દક! તમે કુશળ છો?” (અહીં ગૌતમ ગણઘરે અસંયમી સન્મુખ ગમન, કુશળ પ્રશ્ન વગેરે કર્યું, તે અનેક લાભ જોવાથી, અથવા પ્રથમથી જ પોતાના ગુરુને તેના આવવાનું જ્ઞાન થયું હતું, તે વડે પ્રભુનો જ્ઞાનાતિશય જણાવવા માટે, અથવા તે સ્કંદકને વ્રતનો સમય સમીપ જ છે' એમ ભાવાર્ય વિરપ્રભુના વાક્યથી જાણીને પોતાનું નિર્માનીત્વ જણાવવા માટે કર્યું છે.) પછી શ્રી ગૌતમસ્વામીએ તેને કહ્યું કે, “હે પૂર્વ મિત્ર! તમે પિંગલ મુનિએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરો પૂછવા માટે મારા ઘર્મગુરુ પાસે આવો છો.” તે સાંભળીને સ્કંદકે પૂછ્યું કે, “તમે મારા મનની હકીકત શી રીતે જાણી?” ગૌતમ ગણઘરે કહ્યું કે, “અમારા ગુરુ ત્રિકાળમાં એકાંતે કરેલું, પ્રત્યક્ષ કરેલું અથવા ભવિષ્યમાં કરવાનું તે સર્વ જાણે છે. તેમને સાદિ અનન્ત ભાંગે જ્ઞાન રહેલું છે, તેમના વચનથી મેં તમારું આગમન વગેરે જાણ્યું.' કુંદક બોલ્યા કે, “તો હવે આપણે તમારા ઘર્મગુરુ પાસે જઈએ.” પછી તે ગૌતમ ગણધરની સાથે પ્રભુ પાસે આવ્યા. શ્રી વીરસ્વામીએ પણ ગૌતમસ્વામીની જેમ જ વાત કરી. પછી સ્કન્દકે પ્રભુના સર્વજ્ઞપણાની પ્રતીતિ માટે તે પ્રશ્નોના અર્થ પૂછ્યા. એટલે સ્વામી બોલ્યા કે, “લોક દ્રવ્યાદિક ચાર પ્રકારનો છે. તેમાં દ્રવ્યથી લોક એક છે, પંચાસ્તિકાયના સ્વરૂપવાળો છે, સાજો છે, અને પરિમાણયુક્ત છે. ક્ષેત્રથી લોક આયામ, વિખંભ અને પરિથિથી અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ છે, માટે સાજો છે, કાળથી અનાદિ અનન્ત છે; કોઈ પણ વખત આ લોક નહોતો, નથી કે નહીં હશે એવું નથી; અતીત કાળે હતો, વર્તમાનકાળે વિદ્યમાન છે, અને ભવિષ્યકાળે પણ વિદ્યમાન હશે; તેથી હમેશાં નિત્ય છે, અને શાશ્વત છે. ભાવથી લોક અનન્ત છે, કેમકે અનન્ત વર્ણ ગંદાદિક પર્યાય યુક્ત છે. જીવ પણ દ્રવ્યથી એક અને નિત્ય છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળો અને સાન્ત છે; કાળથી ત્રણે કાળમાં અનન્ત છે અને શાશ્વત છે; અને ભાવથી અનન્ત જ્ઞાનાદિ રત્નત્રયના પર્યાયોથી યુક્ત છે; કેમકે પ્રથમનાં ત્રણ શરીર (ઔદારિક, વૈક્રિય અને આહારક) ને આશ્રયીને અનન્તા ગુલઘુ પર્યાયો છે, અને તૈજસ તથા કાર્મણ એ બે શરીરને આશ્રયીને અનન્તા અગુરુલઘુ પર્યાયો છે, તેણે કરીને જીવ યુક્ત છે તેથી ભાવથી જીવ અનન્ત છે. સિદ્ધિ એટલે સિદ્ધ જીવની સમીપનું ક્ષેત્ર સિદ્ધશિલા જાણવી. તે સિદ્ધશિલા દ્રવ્યથી એક, સાન્ત અને ધ્રુવ છે; ક્ષેત્રથી પિસ્તાળીશ લાખ યોજન આયામ વિખંભ પરિમાણવાળી છે; કાળથી અનાદિ અનન્ત છે; અને ભાવથી અનન્ત વર્ણાદિક પર્યાયોએ કરીને યુક્ત છે. સિદ્ધ એટલે સકળ કર્મનો ક્ષય કરવાથી જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે તે. તે સિદ્ધ દ્રવ્યથી એક અને સાત્ત છે; ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશની અવગાહનાવાળા છે; કાળથી સિદ્ધ સાદિ અનન્ત છે; અને ભાવથી અનન્ત જ્ઞાનાદિક પર્યાયોથી યુક્ત, સાન્ત તથા અનન્ત છે.” તે સાંભળીને સ્કન્દકે “કેવા મરણથી જીવ સંસારની વૃદ્ધિ તથા હાનિ કરે? એ પ્રશ્ન પૂછ્યો, ભગવાને ઉત્તર આપ્યો કે “બાળમરણથી સંસારની વૃદ્ધિ થાય અને પંડિતમરણથી ભવપરંપરાની હાનિ થાય. તેમાં વલમરણ બાર પ્રકારનું છે. તેવું મરણ કરવાથી જીવ ચાર ગતિવાળા સંસારરૂપ કાંતારમાં ભટકે છે. તે બાર પ્રકાર આ પ્રમાણે છે–૧. સુધાદિકની પીડાથી અથવા સંયમભ્રષ્ટ થઈને મૃત્યુ પામે તે વલમરણ, ૨. પાંચ ઇન્દ્રિયોને આધીન રહીને તેની પીડાથી મૃત્યુ પામે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy