SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ આ પ્રમાણે તે નંદન મુનિએ દુષ્કર્મની નિંદા, સર્વ જીવોની ક્ષમાપના, શુભ ભાવના, ચાર શરણ, નમસ્કારનું સ્મરણ અને અનશન એ છયે પ્રકારની આરાધના કરીને ધર્મગુરુને તથા સાધુ સાધ્વીને ખમાવ્યા. પછી સમાધિમાં સ્થિત થયેલા તે મુનિ સાઠ દિવસનું અનશન પાળીને પચીશ લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી, મમતારહિતપણે કાળધર્મ પામીને દશમા પ્રાણત નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં વીશ સાગરોપમનું આયુષ્ય તેણે પૂર્ણ કર્યું. આયુષ્યને અંતે પણ તેઓ અધિક અધિક કાંતિ વડે દેદીપ્યમાન રહ્યા. બીજા દેવતાઓ છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે અત્યંત કાંતિહીન થાય છે અને વધારે મોહ પામે છે; પરંતુ તીર્થંકરોને તો પુણ્યનો ઉદય નજીક હોવાથી છ માસ અવશેષ આયુષ્ય રહે, ત્યારે પણ દેહ કાંતિ વગેરે ઘટવાને બદલે ઊલટા અધિક વૃદ્ધિમાન થાય છે. તે દેવ ત્યાંથી ચ્યવીને શ્રી મહાવીરસ્વામી નામે ચરમ તીર્થંક૨૫ણે ઉત્પન્ન થયા. શ્રી વર્ધમાન સ્વામીના જીવે સમકિત પામ્યા પછીના પચીશમા ભવે જે તપ કર્યું તે તપ અમારા જેવાને મહા ઉત્તમ ભાવમંગળરૂપ થઈ અક્ષય સુખ સંપત્તિ આપો.’’ ૧૭૨ વ્યાખ્યાન 339 રોહિણી વ્રત श्री वासुपूज्यमानम्य, तपोऽतिशयप्रकाशकम् । रोहिण्याः सुकथायुक्तं, रोहिणीव्रतमुच्यते ॥१॥ ભાવાર્થ-‘શ્રી વાસુપૂજ્યસ્વામીને નમસ્કાર કરીને તપના અતિશયને પ્રકાશ કરનારું અને રોહિણીની સત્કથાથી યુક્ત એવું રોહિણીવ્રતનું સ્વરૂપ કહીએ છીએ.’’ રોહિણીની કથા ચંપાપુરીમાં શ્રી વાસુપૂજ્યસ્વામીના પુત્ર મઘવા નામે રાજા રાજ્ય કરતા હતા. તેને લક્ષ્મી નામે સદાચારવાળી રાણી હતી. તે રાણીને આઠ પુત્રો ઉપર એક રોહિણી નામે પુત્રી થઈ. રાજાએ તે પુત્રીના જન્મ વખતે મોટો ઉત્સવ કર્યો. અનુક્રમે રૂપ અને સૌભાગ્યથી યુક્ત એવી તે પુત્રી યુવાવસ્થા પામી; એટલે રાજાએ વિચાર્યું કે ‘‘આ પુત્રીને યોગ્ય વર મળે તો સારું.'' એમ વિચારીને રાજાએ સ્વયંવરની ઇચ્છાથી ધણા રાજકુમારોને આમંત્રણ કર્યું; તેથી સર્વ દેશના રાજકુમારો પોતપોતાના વૈભવ સહિત ત્યાં આવીને સ્વયંવરમંડપમાં બેઠા. રોહિણી પણ સ્નાન તથા વિલેપનાદિ કરી, સારાં વસ્ત્રો પહેરી અને મુકુટ, તિલક, કુંડળ, કંઠાભરણ, પ્રાણંબક, હાર, અર્થહાર, બાજુબંધ, કડાં, વીંટી, કટીમેખલા, ઝાંઝર અને કિંકિણી વગેરે અલંકારો ધારણ કરીને સુખાસન (પાલખી) માં બેસી મંડપમાં આવી. ત્યાં પ્રતિહારીએ દરેક રાજકુમારોનાં પૃથક્ પૃથક્ નામ ગોત્ર વગેરેનું વર્ણન કર્યું; તે સાંભળીને રોહિણીએ નાગપુરના રાજકુમાર અશોકના કંઠમાં વરમાળા આરોપણ કરી, એટલે રાજાએ બીજા સર્વ રાજકુમારોનું વસ્ત્રાદિક વડે સન્માન કરીને રજા આપી. પછી વિધિપૂર્વક અશોકકુમાર સાથે રોહિણીનો વિવાહ કર્યો. અશોકકુમાર રોહિણીને લઈને નાગપુર આવ્યો. કેટલેક કાળે અશોકના પિતાએ અશોકને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી. અશોક રાજાને રોહિણી સાથે ભોગવિલાસ કરતાં આઠ પુત્રો તથા ચાર પુત્રીઓ થઈ. એકદા પત્નીની સાથે રાજા ગવાક્ષમાં બેઠા હતા, તે વખતે રોહિણીએ કોઈ એક સ્ત્રીને પુત્રના મરણથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy