SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ તપ વ્યાખ્યાન ૩૩૬] ૧૭૧ મારો પૃથ્વીમય દેહ થયો હોય તેનું હું અનુમોદન કરું છું. જિનેન્દ્રના સ્નાત્ર કરવાના પાત્રમાં દૈવયોગે જે મારો જળમય દેહ પ્રાપ્ત થયો હોય તેનું હું અનુમોદન કરું છું. શ્રી જિનેન્દ્રની પાસે ધૂપ કરવાના અંગારામાં તથા દીવામાં જે મારો અગ્નિમય દેહ થયો હોય તેને હું અનુમોદન આપું છું. અરિહંત પાસે ધૂપને ઉખેવતાં–તેને પ્રજ્વલિત કરવામાં તથા માર્ગમાં પ્રાન્ત થયેલા સંઘની શાંતિને માટે જે મારો વાયુમય દેહ વાયો હોય તેને હું અનુમોદું છું. મુનિઓનાં પાત્ર તથા દંડાદિકમાં અને જિનેશ્વરની પૂજાના પુષ્પોમાં જે મારો વનસ્પતિ દેહ થયો હોય તેની હું અનુમોદના કરું છું. કોઈ પણ સ્થાને સત્કર્મને યોગે જિનઘર્મને ઉપકાર કરનારો મારો ત્રસમય દેહ થયો હોય તેને હું અનુમોદું છું. કાળ, વિનય વગેરે જે આઠ પ્રકારે જ્ઞાનાચાર કહેલો છે, તેમાં કાંઈ પણ અતિચાર થયો હોય તેને હું ત્રિવિધે (મન, વચન, કાયા વડે) બિંદુ છું. નિઃશંક્તિ વગેરે જે આઠ પ્રકારે દર્શનાચાર કહેલો છે. તેમાં મને જે કાંઈ અતિચાર લાગ્યો હોય તેને હું ત્રિવિશે વોસિરાવું છું. મોહથી અથવા લોભથી જે મેં સૂક્ષ્મ તથા બાદર પ્રાણીઓની હિંસા કરી હોય તેને પણ હું ત્રિવિશે વોસિરાવું છું. હાસ્ય, ભય, ક્રોઘ કે લોભાદિકના વશથી મેં જે કાંઈ અસત્ય ભાષણ કર્યું હોય તે સર્વની નિંદા કરવાપૂર્વક હું આલોચના કરું છું. રાગથી અથવા બ્રેષથી થોડું કે ઘણું જે કાંઈ અદત્ત પરદ્રવ્યનું મેં ગ્રહણ કર્યું હોય તે સર્વનો હું ત્યાગ કરું છું. મેં પૂર્વે તિર્યંચ, મનુષ્ય કે દેવ સંબંધી મૈથુનનું મનથી, વચનથી કે કાયાથી સેવન કર્યું હોય તેને હું ત્રિવિશે ત્રિવિધે તજું છું. લોભના દોષથી બહુ પ્રકારે મેં ઘન, ઘાન્ય અને પશ વગેરેનો જે સંગ્રહ કર્યો હોય તેને હું ત્રિવિઘે તજું છું. સ્ત્રી, પુત્ર, મિત્ર, બંધુ, ઘાન્ય, ઘર અને બીજી કોઈ પણ વસ્તુમાં મેં જે કાંઈ મમતા કરી હોય તેનો હું ત્રિવિઘે ત્રિવિધે ત્યાગ કરું છું. ઇંદ્રિયોથી પરાભવ પામીને રસેંદ્રિયના પરવશપણાથી મેં જે ચારે પ્રકારનો આહાર રાત્રે વાપર્યો હોય (ખાઘો હોય) તેને પણ હું ત્રિવિશે નિંદું છું. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ક્લેશ, ચાડી, પરનિંદા, જૂઠું આળ અને બીજું પણ જે કાંઈ ચારિત્રાચાર સંબંધી મેં દુષ્ટ આચરણ કર્યું હોય તે સર્વને હું ત્રિવિધે તજું છું. બાહ્ય તથા અત્યંતર તપને વિષે જે કાંઈ અતિચાર લાગ્યો હોય તેને હું ત્રિવિષે ત્રિવિશે નિંદું છું. ઘર્મક્રિયા કરવામાં મેં જે કાંઈ છતા વીર્યને ગોપવ્યું હોય તે વીર્યાચાર સંબંથી અતિચારની પણ હું ત્રિવિશે નિંદા કરું છું. જે કોઈ મારો મિત્ર હોય અથવા અમિત્ર હોય અને સ્વજન હોય અથવા શત્રુ હોય તે સર્વે મારા અપરાઘને ખમો, હું તે સર્વને ખમું છું, અને સર્વની સાથે હું સમાન છું. મેં તિર્યંચના ભવમાં તિર્યંચોને, નારકીના ભવમાં નારકીઓને, મનુષ્યના ભવમાં મનુષ્યોને તથા દેવભવમાં દેવતાઓને જે કાંઈ દુઃખમાં સ્થાપન કર્યા હોય–દુઃખ આપ્યું હોય તે સર્વ મારો અપરાશ ક્ષમા કરો, હું તે સર્વેને ખમાવું છું, અને મારો તે સર્વને વિષે મૈત્રીભાવ છે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિયજનનો સમાગમ, તે સર્વ વાયુએ ચલિત કરેલા સમુદ્રના તરંગની જેવા ચપળ છે. આ જગતમાં વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસિત થયેલા પ્રાણીઓને જિનેશ્વરે કહેલા ઘર્મ વિના બીજું કોઈ શરણ નથી. સર્વે જીવો સ્વજન પણ થયેલા છે, અને પરજન પણ થયેલા છે, તો તેમને વિષે કયો પંડિત પુરુષ જરા પણ પ્રતિબંઘ કરે? કોઈ ન કરે. અરિહંત મારું શરણ હો, સિદ્ધ મારું શરણ હો, સાધુ મુનિરાજનું મારે શરણ હો અને કેવળીએ કહેલો ઘર્મ મને શરણભૂત હો. અત્યારથી જીવનપર્યત હું ચતુર્વિઘ આહારનો ત્યાગ કરું છું, અને છેલ્લા શ્વાસોશ્વાસે આ દેહને પણ હું તજું છું.” Jain Education International Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy