SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૩૬] તપ ૧૭૩ રુદન કરતી અને હૃદય તથા માથું કૂટતી જોઈને હર્ષથી રાજાને પૂછ્યું કે “હે સ્વામી! આ કેવી જાતનું નાટક છે?’' રાજાએ કહ્યું કે “હે પ્રિયા! ગર્વ ન કર.’’ રાણી બોલી કે “ઘન, યૌવન, પતિ, પુત્ર અને પિતામહ વગેરે સંબંઘી સર્વ પ્રકારના સુખથી હું પૂર્ણ છું, તથાપિ હું ગર્વ કરતી નથી; પરંતુ આવું નાટક મેં કોઈ પણ વખત જોયું નથી.’' રાજાએ કહ્યું કે “તે સ્ત્રીનો પુત્ર મરી ગયો છે તેથી તે રુએ છે.’’ રાણી બોલી કે ‘“આવું નાટક ક્યાં શીખી હશે?’’ રાજાએ કહ્યું કે “લે, હું તે તને શીખવું.’’ એમ કહીને રાજાએ લોકપાલ નામનો સૌથી નાનો પુત્ર જે રાણીના ઉત્સંગમાં હતો, તેને લઈને બારીમાંથી પડતો મૂક્યો. તે પુત્રને અદ્ધરથી જ પુરદેવીએ ઝીલી લીઘો, અને તેને સિંહાસન પર બેસાડ્યો. પુત્રના પડવાથી પણ રાણીને રુદન આવ્યું નહીં, તેથી રાજાને આશ્ચર્ય થયું. તેવામાં તે નગરમાં જિનેશ્વરના રૂપ્યકુંભ અને સુવર્ણકુંભ નામના બે શિષ્યો પરિવાર સહિત આવ્યા. તે જાણીને રાજા તેમની પાસે ગયો અને તેમને વંદના કરીને રાજાએ નમ્રતાથી પૂછ્યું કે “હે પૂજ્ય! કયા કર્મથી મારી રાણી દુઃખનું નામ પણ જાણતી નથી?’’ ગુરુ બોલ્યા કે ‘“હે રાજન્! સાંભળ– આ નગરમાં પૂર્વે ઘનમિત્ર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો, તેને દુર્ગંધા નામની અતિ દુર્ભાગી પુત્રી હતી. તે યુવાવસ્થા પામી તો પણ તેને કોઈ પુરુષ પરણવાની ઇચ્છા કરતો નહીં. ધનમિત્ર એક કોટી દ્રવ્ય આપવાનું કહેતો, તો પણ તેને કોઈ પુરુષ પરણ્યો નહીં. એકદા કોઈ ચોરને પ્રાણાંત શિક્ષા થઈ, તેને મારવા માટે રાજાના સેવકો લઈ જતા હતા. તે જોઈને શ્રેષ્ઠીએ તે ચોરને છોડાવી પોતાને ઘેર આણ્યો. તે ચોરને દુર્ગંધા આપી. રાત્રે દુર્ગંધાના શરીરના તાપથી પીડા પામીને તે ચોર નાસી ગયો. ત્યાર પછી એક દિવસ તે ગામમાં કોઈ જ્ઞાની ગુરુ પધાર્યા. તેમને ધનમિત્ર શ્રેષ્ઠીએ પુત્રીના દુર્ભાગ્યનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુ બોલ્યા કે ‘ઉજ્જયંત પર્વત પાસે ગિરિપુર નામના નગરમાં પૃથ્વીપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સિદ્ધિમતી નામની રાણી હતી. એકદા રાજા તથા રાણી ઉપવનમાં ગયા હતા, ત્યાં માસોપવાસી શ્રી ગુણસાગર નામના મુનિને ગોચરી જતાં તેમણે જોયા. રાજાએ મુનિને વંદના કરી, અને પછી રાણીને કહ્યું કે “હે પ્રિયે! આ મુનિ જંગમતીર્થ છે. માટે તું ઘેર જઈને પ્રાસુક આહાર વડે તેમને પ્રતિલાભ.’’ રાજાની આજ્ઞાથી ઇચ્છા વિના રાણી પાછી વળી, અને ઘેર જઈ ક્રોધથી મુનિને કડવા તુંબડાનું શાક વહોરાવ્યું. મુનિએ તેને કડવું જાણીને પરઠવવાનો વિચાર કર્યો, પણ તેથી અનેક જીવની હિંસા થવાનું ઘારીને પોતે જ તેનો આહાર કરી ગયા, અને શુભધ્યાન વડે કેવળજ્ઞાન પામી મુક્તિસુખને વર્યા. રાજાએ તે વૃત્તાંત સાંભળીને રાણીને કાઢી મૂકી. તે રાણીને સાતમે દિવસે કોઢનો વ્યાધિ થયો. તેની વ્યથાથી આર્તધ્યાન વડે મરણ પામીને તે છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળી તિર્યંચના ભવ કરી અનુક્રમે સર્વ નરકમાં ઉત્પન્ન થઈ. પછી અનુક્રમે ઊંટડી, કૂતરી, શિયાળણી, ભૂંડણી, ઘો, ઉંદરડી, જૂ, કાગડી, ચાંડાળી અને છેવટે ગધેડી થઈ. તે ગધેડીના ભવમાં મૃત્યુ વખતે તેણે નવકાર મંત્ર સાંભળ્યો. તેના પુણ્યથી તે મરીને આ તમારી પુત્રી થઈ છે. પૂર્વનું પાપકર્મ થોડું બાકી રહેવાથી આ ભવમાં તે દુર્ભાગી થઈ છે.’’ આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળતાં દુર્ગન્ધાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતાના પૂર્વભવને જોઈને તેણે ગુરુને પૂછ્યું કે “હે ભગવન્! મને આ દુઃખસાગરથી તારો.'' ગુરુ બોલ્યા કે “તું સાત વર્ષ અને સાત માસ સુધી રોહિણીનું વ્રત કર. તેમાં જે દિવસ રોહિણી નક્ષત્ર હોય તે દિવસે ઉપવાસ કરીને શ્રી વાસુપૂજ્યસ્વામીનું ધ્યાન કરવું, તેમનું નવું ચૈત્ય કરાવવું, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy