SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૩૬] તપ ૧૬૯ શુભ પરિણામ છતાં પછીથી કોઈ પણ અશુભ કર્મના ઉદયથી અશુભ પરિણામવાળા થયેલા વિષ્ણુને અંતકાળે થયું હતું. ૫૯ ઋદ્ધિગૌરવ ધ્યાન–રાજ્ય ઐશ્વર્ય વગે૨ે સમૃદ્ધિ વડે પોતાની ઉત્કૃષ્ટતારૂપ ગૌરવતા (મોટાઈ)નું ધ્યાન તે ઋદ્ધિગૌરવ ધ્યાન. તે દશાર્ણભદ્રને થયું હતું. ૬૦ ૨સગૌરવ ધ્યાન-જિહ્વા ઇંદ્રિય વડે ગ્રહણ કરાતા રસ (ભોજન)ની ગૌરવતાનું ધ્યાન તે રસગૌરવધ્યાન; અર્થાત્ ‘‘મારી રસવતી (ભોજન)માં જેવો રસ છે તેવો બીજાની રસવતીમાં શું હોય?’’ એવું અભિમાનપૂર્વક જે ધ્યાન તે. ખાઈ સંબંધી જળના દૃષ્ટાંતમાં કહેલા જિતશત્રુ રાજાને સુબુદ્ધિ મંત્રી પાસે પોતાની રસવતીના રસની પ્રશંસા કરતાં થયું હતું. ૬૧ સાતાગૌરવ ધ્યાન–સુખના ગર્વનું ધ્યાન. એટલે “હું જ સુખી છું' એવા અભિમાનવાળું ધ્યાન ઘણા સુખી દેખાતા જીવોને થાય છે. ૬૨ અવિરહ ધ્યાન-અવિરહ ધ્યાન એટલે પુત્રાદિકનો વિરહ ન થાઓ એવું ચિંતવન. આ ધ્યાન ‘બે પુત્રનો વિરહ ન થાઓ’ એવી બુદ્ધિથી ‘આ સાધુઓ માંસ ખાય છે માટે તે રાક્ષસ જેવા છે, તેથી તેની પાસે જવું નહીં.’ એમ કહીને પુત્રોને છેતરનાર ભૃગુ પુરોહિત તથા તેની સ્ત્રી યશાને થયું હતું. તેમજ દેવતાએ પ્રતિબોધ કર્યા છતાં પણ વારંવાર વ્રતનો ત્યાગ કરનાર મેતાર્યને થયું હતું. ૬૩ અમુક્તિમરણ ધ્યાન–મુક્તિ તે મોક્ષગતિ; તેથી રહિત તે અમુક્તિ, એટલે સંસારના સુખની અભિલાષા, તેણે કરીને મરણ પામવાનું જે ઘ્યાન તે ‘અમુક્તિમરણ ઘ્યાન' કહેવાય છે. તે ‘મુક્તિને વિઘ્ર કરનારું આ નિયાણું ન કર' એમ ચિત્ર નામના પોતાના ભાઈ સાધુએ વારંવાર નિવારણ કર્યા છતાં પણ ‘ચક્રવર્તીની સંપત્તિનો અનુભવ કર્યા વિના હું મુક્તિની પણ ઇચ્છા કરતો નથી’ એવા તીવ્ર અશુભ ભાવથી નિયાણું કરનારા સંભૂતિ મુનિને થયું હતું. ‘‘મિથ્યાદુષ્કૃત આપવા લાયક આ ત્રેસઠ દુર્ધ્યાનનાં સ્વરૂપને સાંભળીને વિવેકી પુરુષોએ અનેક પ્રકારનાં કર્મોનું બંધન કરાવનારાં આ સર્વ દુર્ધ્યાનોનો તત્ત્વમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં સર્વથા ત્યાગ કરવો.’’ વ્યાખ્યાન ૩૩૬ તપ मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये बाह्यमाभ्यन्तरं चेत्थं, तपः कुर्यान्महामुनिः ॥ १ ॥ ભાવાર્થ-‘મૂલ ગુણ તથા ઉત્તર ગુણના સમૂહ વડે મહાન સામ્રાજ્યની સિદ્ધિને માટે મહામુનિઓએ આ બાહ્ય તથા અત્યંતર તપ કરવું.” જ્ઞાન, ચારિત્રાદિક મૂળ ગુણો અને સમિતિ, ગુપ્તિ વગેરે ઉત્તર ગુણો કહેવાય છે, તેની શ્રેણિ એટલે વિશેષે કરીને તે ગુણોનો ઉદ્ભવ, તેણે કરીને પ્રચુર એવા સામ્રાજ્યની સિદ્ધિને માટે એટલે સ્વકાર્ય જે ગુણનિષ્પત્તિરૂપ તેને અર્થે પરમનિગ્રંથ એવા મહામુનિઓ બાહ્ય તથા અત્યંતર તપ કરે; તેમાં અન્ય લોકોને ઉલ્લાસનું કારણ તથા પ્રભાવનાનું મૂળ હોવાથી બાહ્ય તપ કરવાની જરૂર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy