SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ ૪૫ ભય ધ્યાન–ભય એ મોહની અંતર્ગત રહેલી નોકષાય પ્રકૃતિ છે તેનું ધ્યાન. તે ગજસુકુમાલને ઉપસર્ગ કરનારા સોમિલ સસરાને થયું હતું. ૪૬ ૩૫ ધ્યાન-આદર્શાદિકમાં જે જોવું તે રૂપ કહેવાય છે; તેનું ધ્યાન તે રૂપધ્યાન. તે બે પ્રકારનું છે. સ્વરૂપધ્યાન અને પરરૂપ ધ્યાન. તેમાં ‘મારું રૂપ સારું છે” એમ જે માનવું તે સ્વરૂપ ધ્યાન સનકુમારને થયું હતું, અને પરરૂપધ્યાન શ્રેણિક રાજાનું ચિત્ર આલેખેલ ફલક (પાટિયું) જોઈને સુજ્યેષ્ઠા અને ચેલણાને થયું હતું. ૪૭ આત્મપ્રશંસા ધ્યાન–પોતાની પ્રશંસા કરાવવાનું ધ્યાન શકટાલ મંત્રીના મુખથી પોતાની કવિતાની પ્રશંસા કરાવવા ઇચ્છનારા વરરુચિને થયું હતું તથા કોશા વેશ્યાને પોતાની કળાકુશળતા બતાવનાર રથકારને થયું હતું. ૪૮ પરનિંદા ધ્યાન–તે કુરગડુક પ્રત્યે ચાર સાધુને થયું હતું. ૪૯ પરગા ધ્યાન-પારકી ગર્હ એટલે અન્ય જનો પાસે પરના છતા અછતા દોષ પ્રગટ કરવા તે. આ ઘ્યાન સંઘસમક્ષ દુર્બલિકા પુષ્પમિત્રની ગર્હા કરનાર ગોષ્ઠામાહિલને થયું હતું. ૫૦ પરિગ્રહ ધ્યાન-નવા ધન ધાન્યાદિક પરિગ્રહ મેળવવાનું ઘ્યાન અથવા ગયેલી સમૃદ્ધિને પાછી મેળવવાનું ધ્યાન તે પરિગ્રહ ધ્યાન. તે ઘ્યાન ચારુદત્તને થયું હતું. તથા મુનિપતિ સાધુ વિહાર કરતાં તેનો રોઘ કરનાર કુંચિક શ્રેષ્ઠીને થયું હતું. ૫૧ પરપરિવાદ ધ્યાન–અન્યના અછતા દોષો અન્ય પાસે પ્રગટ કરવા તે પરપરિવાદ કહેવાય છે તેનું ધ્યાન તે પરપરિવાદ ઘ્યાન. તે સુભદ્રા પ્રત્યે તેની સાસુ તથા નણંદને થયું હતું. પર પરદૂષણ ધ્યાન-પોતે કરેલા દોષનો બીજા નિર્દોષ પ્રાણી ઉપર આરોપ કરવો તે પરદૂષણ કહેવાય છે. તે સંબંધી ધ્યાન તે પરદૂષણ ઘ્યાન. તે પતિની હત્યારૂપ પોતાના દોષને ભદ્રક વૃષભ ઉપર આરોપણ કરનાર જિનદાસની સ્ત્રીને થયું હતું. તે ૫૩ આરંભ ધ્યાન-આરંભ તે બીજાને ઉપદ્રવ કરવો, તે સંબંધી ધ્યાન તે આરંભ ધ્યાન. તે કુરુડ અને ઉકુરુડ મુનિને તથા દ્વિપાયન ઋષિને થયું હતું. ૫૪ સંરંભ ધ્યાન–સંરંભ તે વિષયાદિકનો તીવ્ર અભિલાષ તે સંબંધી ધ્યાન તે સંરંભ ધ્યાન. તે માતાના ઉપ૨ોધથી વ્રત પાળતાં છતાં પણ વિષયની અભિલાષાવાળા ક્ષુલ્લકકુમારને થયું હતું. ૫૫ પાપ ધ્યાન–પરસ્ત્રીસેવન વગેરે પાપકર્મનું અનુમોદન એટલે તેવે પ્રસંગે ‘આણે આ ઠીક કર્યું’ એમ જે બોલવું તે પાપ કહેવાય છે. તેનું ઘ્યાન તે પાપધ્યાન. તે ‘“આ ભોગીભ્રમર રાજાને ધન્ય છે’ ઇત્યાદિ અનુમોદન કરનારા લોકોને થયું હતું. ૫૬ અધિકરણ ધ્યાન–પાપની ઉત્પત્તિના કારણરૂપ જે અધિકરણ તે સંબંધી ધ્યાન તે અઘિકરણઘ્યાન. તે વાપી કૂપાદિક કરાવવામાં તત્પર થયેલા નંદ મણિકારને થયું હતું. ૫૭ અસમાધિમરણ ધ્યાન—આ અસમાધિવડે મરણ પામો' એવું અસમાધિમરણ ધ્યાન સ્કન્દકાચાર્ય પ્રત્યે ક્ષુલ્લક સાધુને યંત્રમાં પહેલાં પીલતા અભવ્ય એવા પાલક પુરોહિતને થયું હતું. ૫૮ કર્મોદયપ્રત્યય ધ્યાન-કર્મના ઉદયને આશ્રયીને થયેલું ઘ્યાન તે કર્મોદય પ્રત્યયધ્યાન. તે પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy