SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૩૫] દુર્ગાનનાં ૬૩ સ્થાનોનું સ્વરૂપ ૧૬૭ ૩૦ સંગ ધ્યાન-સંગ એટલે ત્યાગ કર્યા છતાં પણ ફરીથી તેના સંયોગની અભિલાષા તેનું ધ્યાન તે સંગધ્યાન. તે રાજીમતી પ્રત્યે રથનેમિને તથા નાગિલા પ્રત્યે ભવદેવને થયું હતું. ૩૧ સંગ્રહ ધ્યાન-અત્યંત અતૃમિ વડે ઘનાદિકનો સંગ્રહ કરવાનું ધ્યાન તે સંગ્રહ ધ્યાન. તે મમ્મણ શ્રેષ્ઠીને થયું હતું. ૩૨ વ્યવહાર ધ્યાન–પોતાના કાર્યના નિર્ણય માટે રાજાદિક પાસે ન્યાય કરાવવો તે વ્યવહાર કહેવાય છે તેનું ધ્યાન તે વ્યવહાર ધ્યાન. તે બે સપત્નીઓને પોતપોતાનો પુત્ર ઠરાવવા માટે થયું હતું. ૩૩ ક્રયવિક્રય ધ્યાન-લાભને માટે અલ્પ મૂલ્ય વડે વઘારે મૂલ્યવાળી વસ્તુ ખરીદ કરવી તે ક્રયા કહેવાય છે અને ઘણું મૂલ્ય લઈને અલ્પ મૂલ્યવાળી વસ્તુ વેચવી તે વિક્રય કહેવાય છે. તે ક્રયવિક્રયનું ધ્યાન આભીરીને કપાસ આપનાર વણિકને થયું હતું. ૩૪ અનર્થદંડ ધ્યાન-એટલે પ્રયોજન વિના હિંસાદિક કરવાનું ધ્યાન. તે અત્યંત ઉન્મત્તપણાને લીઘે દ્વૈપાયન મુનિને કષ્ટ આપનાર શાંબ વગેરેને થયું હતું. ૩૫ આભોગ ધ્યાન-આભોગ એટલે જ્ઞાનપૂર્વક વ્યાપાર, તેનું ધ્યાન તે આભોગ ધ્યાન. તે બ્રાહ્મણનાં નેત્રો ઘારીને વડગુંદાનું મર્દન કરનારા બ્રહ્મદત્ત ચક્રીને થયું હતું. ૩૬ અનાભોગ ધ્યાન-અનાભોગ એટલે અત્યંત વિસ્મરણ, તેથી થતું ધ્યાન તે અનાભોગ ધ્યાન. તે પ્રસન્નચંદ્રને થયું હતું. ૩૭ ઋણ ધ્યાન-ઋણ તે દેવું, તે આપવા માટે થતું ધ્યાન તે ઋણધ્યાન. તે એક ઘાંચીને પોતાની બહેનનું દેવું દેવા માટે થયું હતું. ૩૮ વૈર ધ્યાન-એટલે માતપિતાદિકના વઘથી અથવા રાજ્યના અપહારથી ઉત્પન્ન થતું ધ્યાન. તે પરશુરામ તથા સુભમને થયું હતું અને સુદર્શનના કામરાગવાળી વ્યંતરી થયેલી અભયા રાણીને થયું હતું. ૩૯ વિતર્ક ધ્યાન-વિતર્ક એટલે રાજ્યાદિક ગ્રહણ કરવાની ચિંતા તેનું ધ્યાન. તે નંદરાજાનું રાજ્ય લેવાની ઇચ્છાવાળા ચાણાક્યને થયું હતું. ૪૦ હિંસા ધ્યાન-એટલે પાડા વગેરેની હિંસા કરવાનું ધ્યાન. તે કૂવામાં નાંખેલા કાલસૌકરિકને થયું હતું. ૪૧ હાસ્ય ધ્યાન-હાસ્ય કરવાનું ધ્યાન. તે ચંડરુદ્ધ આચાર્યનું હાસ્ય કરનાર મિત્ર સહિત શિષ્યને થયું હતું. ૪૨ પ્રહાસ ધ્યાન-પ્રહાસ તે ઉપહાસ. નિંદા અથવા સ્તુતિરૂપ તેનું ધ્યાન તે પ્રહાસ ધ્યાન. તે “હે નૈમિત્તિક મુનિ! હું તમને વંદન કરું છું' એ પ્રમાણે વાર્તિકમુનિ પ્રત્યે મશ્કરીમાં બોલતાં ચંડપ્રદ્યોત રાજાને થયું હતું. ૪૩ પ્રશ્લેષ ધ્યાન–અતિ ષવાળું ધ્યાન તે પ્રષધ્યાન. તે મરુભૂતિ પ્રત્યે કમઠને તથા શ્રી મહાવીરસ્વામીના કાનમાં ખીલા નાંખનાર ગોપને થયું હતું. ૪૪ પરુષ ધ્યાન-પરુષ એટલે અતિ નિષ્ફર કર્મ તેનું ધ્યાન તે પરુષ ધ્યાન. તે બ્રહ્મદત્ત પુત્ર ઉપર ચૂલણી રાણીને તથા યુગબાહુ ભાઈ ઉપર મણિરથને થયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy