SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રી ઉપદેશપ્રાસાંદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ ૧૬ ગૃહી ઘ્યાન–એટલે આહારાદિકને વિષે અત્યંત આકાંક્ષાનું ધ્યાન. તે મથુરાવાસી મંગુરિને તથા વ્રતનો ત્યાગ કરનાર કુંડરિક રાજાને થયું હતું. ૧૭ આશા ઘ્યાન–એટલે પારકી વસ્તુ મેળવવાની અભિલાષાનું ધ્યાન. તે નિર્દય બ્રાહ્મણના પાથેય પ્રત્યે પાથેય વિનાના મૂલદેવને થયું હતું. ૧૮ તૃષા ધ્યાન-તૃષાપરિષહના ઉદયથી ઉત્પન્ન થયેલી પીડા, તે પીડાએ કરીને થતું જે ધ્યાન તે તૃષાધ્યાન. આ ઘ્યાન પિતા સાધુની સાથે જતાં માર્ગમાં તૃષાથી પીડાયેલા ક્ષુલ્લક સાધુને થયું હતું. ૧૯ ક્ષુધા ધ્યાન-સુધાના પરવશપણાથી થતું ઘ્યાન તે ક્ષુધા ધ્યાન. તે રાજગૃહી નગરીના ઉદ્યાનમાં આવેલા લોકોને મારવા તૈયાર થયેલા દ્રમકને થયું હતું. ૨૦ પથિ ઘ્યાન-એટલે અલ્પ કાળમાં ઇષ્ટ સ્થાને પહોંચવાનું ધ્યાન. તે ધ્યાન પોતનપુરના માર્ગને શોધતા વલ્કલચીરીને થયું હતું. ૨૧ વિષમમાર્ગ ધ્યાન-ઘણા વિકટ માર્ગનું ધ્યાન. સનત્યુમારને શોઘનાર મહેન્દ્રસિંહને અથવા બ્રહ્મદત્તને શોધના૨ વરઘેનુને થયું હતું. ૨૨ નિદ્રા ધ્યાન-એટલે નિદ્રાને આધીન થયેલાનું ધ્યાન. તે ધ્યાન સ્યાનદ્ઘિ નિદ્રાએ કરીને પાડાનું માંસ ખાનાર, હસ્તિના દાંત ખેંચી કાઢનાર તથા મોદકના અભિલાષી સાધુને થયું હતું. ૨૩ નિદાન ધ્યાન–એટલે બીજા ભવમાં સ્વર્ગની અથવા મનુષ્યપણાની સમૃદ્ધિ મેળવવાની ઇચ્છાથી નવ પ્રકારનાં નિયાણાં કરવા સંબંધી ધ્યાન. તે નંદિષણ, સંભૂતિ અને દ્રૌપદી વગેરેને થયું હતું. ૨૪ સ્નેહ ધ્યાન-સ્નેહ એટલે મોહના ઉદયથી પુત્રાદિકને વિષે થતી પ્રીતિવિશેષરૂપ ધ્યાન. તે મરુદેવા, સુનંદા અને અર્હન્નકની માતાને થયું હતું. ૨૫ કામ ધ્યાન–કામ એટલે વિષયનો અભિલાષ તેનું ધ્યાન તે કામઘ્યાન. તે હાસા અને પ્રહાસા દેવીએ દેખાડેલા વિષયસુખના લોભથી કુમારનંદી સોનીને તથા રાવણને થયું હતું. ૨૬ અપમાન ઘ્યાન-અપમાન એટલે પરગુણની પ્રશંસા સાંભળીને થતી ઇર્ષ્યા અથવા ચિત્તની કાલુષ્યતા (મલિનતા), તેનું ધ્યાન તે અપમાન ઘ્યાન. તે બાદુ અને સુબાહુની પ્રશંસાને નહીં સહન કરનાર પીઠ અને મહાપીઠને તથા સ્થૂલિભદ્રની પ્રશંસાને સહન નહીં કરી શકનાર સિંહગુફાવાસી મુનિને થયું હતું. ૨૭ કલહ ધ્યાન-એટલે ક્લેશ કરાવવાનું ઘ્યાન. તે રુક્મિણી અને સત્યભામાના સંબંધમાં તથા કમલામેલાના દૃષ્ટાંતમાં નારદને થયું હતું. ૨૮ યુદ્ધ ઘ્યાન–એટલે શત્રુના પ્રાણવ્યપરોપણના અધ્યવસાયરૂપ ધ્યાન. તે હલ્લ તથા વિહલ્લ નામના બંધુના વિનાશ માટે ચેડારાજાની સાથે યુદ્ધ કરનારા કોણિકને થયું હતું. ૨૯ નિયુદ્ધ ધ્યાન-પ્રાણના અપહારરૂપ અધમ યુદ્ધ રહિત યષ્ટિ મુષ્ટિ વગેરેથી જે જય મેળવવો તે નિયુદ્ધ કહેવાય છે, તેનું ધ્યાન તે નિયુદ્ધ ધ્યાન. તે ધ્યાન બાહુબલી તથા ભરતરાજાને થયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy