SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૩૫] દુર્ગાનનાં ૬૩ સ્થાનોનું સ્વરૂપ ૧૬૫ ૧ અજ્ઞાન ધ્યાન-“અજ્ઞાન જ કલ્યાણકારી છે; કેમકે તેમાં વ્યાખ્યાન વાંચવું, ભણવું, ભણાવવું વગેરે આયાસનો અભાવ છે.” એમ મનમાં વિચારવું, તે અજ્ઞાનધ્યાન કહેવાય છે. તે ધ્યાન જ્ઞાનપંચમીની કથામાં કહેલા વસુદેવાચાર્યું કર્યું હતું, માટે તેવું દુર્ગાન ધ્યાવવું નહીં. ૨ અનાચાર ધ્યાન-અનાચાર તે દુષ્ટાચાર, દોષયુક્ત આચરણ, તે સંબંધી ધ્યાન. તે કોકણ દેશી સાઘુએ ક્ષેત્રમાં અગ્નિ સળગાવવા રૂપ કર્યું હતું; તથા દેવતા થયેલા શિષ્ય કહેવા નહીં આવવાથી ચારિત્રનો ત્યાગ કરવાને ઇચ્છતા આષાઢ સૂરિએ તે ધ્યાન કર્યું હતું. ૩ કુદર્શન પ્લાન-બૌદ્ધાદિક મિથ્યાદર્શનનું ધ્યાન સુરાષ્ટ્ર શ્રાવકે કર્યું હતું. ૪ ક્રોઘ ધ્યાન–કુલવાલક, ગોશાલક, પાલક, નમુચિ, શિવભૂતિ વગેરેએ કર્યું હતું. ૫ માન ધ્યાન–બાહુબલી, સુભૂમ ચક્રી, પરશુરામ, હઠથી આવેલા સંગમદેવ વગેરેએ કર્યું હતું. ૬ માયા ધ્યાન–અન્યને છેતરવારૂપ માયાધ્યાન અષાઢાભૂતિમુનિએ લાડુ વહોરવા માટે કર્યું હતું. ૭ લોભ ધ્યાન-સિંહકેસરિયા લાડુના ઇચ્છક સાધુએ કર્યું હતું. ૮ રાગ ધ્યાન-રાગને અભિવૃંગમાત્ર સમજવો. તેના કામ રાગ, સ્નેહ રાગ અને દૃષ્ટિ રાગ એ ત્રણ પ્રકાર છે. તેમાં વિષ્ણુશ્રીના ઉપર વિક્રમયશ રાજાને કામરાગ થયો હતો. દામનકના સસરાનું પોતાના પુત્રનું મરણ સાંભળીને સ્નેહ રાગને લીધે હૃદય ફાટી ગયું હતું, અને કપિલને દ્રષ્ટિરાગ (દર્શનનો રાગ) થવાથી બ્રહ્મદેવલોકમાંથી આવીને પોતાના મતના રાગથી પોતાના શિષ્યોને “આસુરે રમસે ઇત્યાદિ કહ્યું હતું. આ ત્રણે પ્રકારના રાગનું ધ્યાન ન કરવું. ૯ અપ્રીતિ ધ્યાન–અપ્રીતિ એટલે અન્ય ઉપર દ્રોહનો અધ્યવસાય અથવા દ્વેષ. તે ધ્યાન યજ્ઞની શરૂઆત કરાવનારા મધુપિંગ અને પિપ્પલાદ વગેરેને થયું હતું, તથા હરિવંશની ઉત્પત્તિમાં વીરક દેવને થયું હતું. ૧૦ મોહ ધ્યાન-વાસુદેવના શબને ઉપાડીને છ માસ સુધી ફરનારા બળભદ્રને થયું હતું. ૧૧ ઇચ્છા ધ્યાન-ઇચ્છા એટલે મનમાં ઘારેલો લાભ મેળવવાની ઉત્કટ અભિલાષા, તેનું ધ્યાન તે ઇચ્છાધ્યાન. તે બે માસા સુવર્ણના અર્થ કપિલને કોટી સુવર્ણના લોભમાં પણ ઇચ્છાનો અંત આવ્યો નહોતો તેની જેમ સમજવું. ૧૨ મિથ્યા ધ્યાન-મિથ્યા એટલે વિપર્યસ્ત (અવળી) દ્રષ્ટિપણું, તેનું ધ્યાન તે મિથ્યાધ્યાન. તે જમાલિ, ગોવિંદ વગેરેને થયું હતું. ૧૩ મૂછ ધ્યાન-મૂછ એટલે પ્રાપ્ત થયેલા રાજ્યાદિક ઉપર અત્યંત આસક્તિ, તેનું ધ્યાન તે મૂછપ્પાન. તે પુત્રોને ઉત્પન્ન થતાં જ મારી નાંખનાર અથવા ખોડ ખાપણવાળા કરનાર કનકધ્વજ રાજાને થયું હતું. ૧૪ શંકા ધ્યાન-શંકન તે શંકા એટલે સંશય કરવો–તેનું ધ્યાન તે શંકાધ્યાન, તે આષાઢસૂરિના અવ્યક્તવાદી શિષ્યોને થયું હતું. ૧૫ કાંક્ષા ધ્યાન-એટલે અન્ય અન્ય દર્શનનો અથવા પોતાના દર્શનનો આગ્રહ અર્થાત્ કાંક્ષા, તેનું ધ્યાન તે કાંક્ષાધ્યાન. તે “હે કપિલ! ત્યાં પણ ઘર્મ છે અને અહીં મારા મનમાં પણ ઘર્મ છે.” એમ બોલનારા મરીચિને થયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy