SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ હવે ધ્યાન કરવાનું સ્વરૂપ કહે છે– जितेन्द्रियस्य धीरस्य, प्रशान्तस्य स्थिरात्मनः । स्थिरासनस्य नासाग्र - न्यस्तनेत्रस्य योगिनः ॥ १ ॥ रुद्धबाह्यमनोवृत्ते-र्धारणाधारया प्रसन्नस्याप्रमत्तस्य, યાત્ વિજ્ઞાનસુધાહિતૢઃ ||રા वितन्वतः । साम्राज्यमप्रतिद्वंद्व-मन्तरेव ध्यानिनो नोपमा लोके, सदेवमनुजेऽपि हि ॥ ३॥ ભાવાર્થ-‘જેણે ઇંદ્રિયોનો જય કરેલો છે, જે આત્મવીર્યના સામર્થ્ય વડે પરિષહ અને ઉપસર્ગોથી અકંપ્ય છે, જેના ક્રોધાદિક કષાય શાંત થયેલા છે, જેનો આત્મા સાઘન પરિણતિમાં સુખમય હોવાથી સ્થિર છે, જેણે ચપળતાના નિરોધને માટે આસન સ્થિર કરીને નાસિકાના અગ્રભાગે દૃષ્ટિને સ્થાપન કરેલી છે (રત્નત્રયમાં મગ્ન છે), ધ્યેયમાં ચિત્તને સ્થિર કરવું તે ધારણા તેના આધારથી જેણે બાહ્ય મનોવૃત્તિનો રોઘ કરેલો છે, જે મનના કાલુષ્યથી રહિત એટલે પ્રસન્ન છે, જે અજ્ઞાનાદિક આઠ પ્રમાદથી રહિત અપ્રમત્ત છે, જેણે ચિદાનંદરૂપ અમૃતનો સ્વાદ લીધો છે, અને જે અંતઃકરણમાં જ અદ્વિતીય સામ્રાજ્યનો એટલે બાહ્યાવ્યંતર વિપક્ષ રહિત સ્વગુણસંપદારૂપ સ્વભાવપરિવારોપેત ઠકુરાઈનો સ્વાધીન કરવારૂપ વિસ્તાર કરે છે, એવા ધ્યાની મુનિની ઉપમા દેવતાઓમાં કે મનુષ્યોમાં ક્યાંય પણ નથી. અહીં તિર્યંચ અને ના૨ક દુર્ગતિ હોવાથી ગ્રહણ કરેલ નથી, અર્થાત્ ત્રિભુવનમાં સહજાનંદવિલાસીની તુલના કરી શકાય એવું ઉપમાસાદૃશ્ય છે જ નહીં.’’ હે દેવી! આ પ્રમાણે અનેક પ્રકારના ધ્યાનશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને મેં અયોગ્ય કર્યું, તે ઠીક કર્યું નહીં.’’ ત્યાર પછીથી તે મુનિ નિરંતર નિશ્ચલ ચિત્તથી ધ્યાન કરવા લાગ્યા. દેવાદિકે કરેલા ઉપસર્ગોમાં પણ પ્રથમની જેમ ચપળતા કરી નહીં. મેરુની જેવું નિશ્ચળ ધ્યાન ધ્યાઈને અંતે સ્વર્ગે ગયા. પછી તે મુનિને ભક્તિપૂર્વક નમન કરીને પેલી દેવી પોતાને સ્થાને ગઈ. Jain Education International [સ્તંભ ૨૩ ઘ્યાનથી ભ્રષ્ટ થયેલ મુનિ અજ્ઞાની જેવો જ છે; માટે કષ્ટમાં પણ મુનિએ ધ્યાનનો ત્યાગ કરવો નહીં, એ આ કથાનો સાર છે.” G વ્યાખ્યાન ૩૩૫ દુર્ધ્યાનનાં 93 સ્થાનોનું સ્વરૂપ त्रिषष्टिध्यानस्थानानि, उत्पन्नान्यार्त्तरौद्रतः । तत्स्वरूपं लिखामि द्वि-तीयप्रकीर्णसूत्रतः ॥१॥ ભાવાર્થ-‘આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનથી ઉત્પન્ન થયેલાં ત્રેસઠ ઘ્યાનનાં સ્થાનકો છે. તેનું સ્વરૂપ બીજા પ્રકીર્ણ સૂત્રથી (આઉરપચ્ચખ્ખાણથી) અત્રે લખું છું.’’ આતુર પ્રત્યાખ્યાન નામના પ્રકીર્ણક સૂત્ર (પયન્ના સૂત્ર) માં ‘બન્નાળ જ્ઞાને’ ઇત્યાદિ પાઠ છે. તેમાં દુર્ધ્યાનનાં ત્રેસઠ સ્થાનકો ગણાવ્યાં છે– For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy