SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૩૪] ધ્યાન ૧૬૩ ભાવાર્થ-“ધ્યાન કરનાર, ધ્યાન અને ધ્યેય (ધ્યાવવાને યોગ્ય)–એ ત્રણેની ઐક્યતારૂપ ધ્યાન જેને પ્રાપ્ત થયેલું છે તે એકાગ્ર ચિત્તવાળાના–તદ્રુપ ચેતનાવાળાના-અર્વસ્વરૂપ અને આત્મસ્વરૂપને તુલ્ય ઉપયોગપણે ગ્રહણ કરનારના આત્મિક ગુણને આવરણ કરનારા–રોકનારા સર્વ દુઃખોનો (સર્વ કર્મોનો ક્ષય થાય છે. આ પ્રસંગમાં ક્ષેપકમુનિનો સંબંઘ છે તે આ પ્રમાણે ક્ષપક મુનિની કથા કોઈ એક મુનિ નિરંતર માસક્ષપણાદિક અનેક દુસ્તપ તપસ્યાનું આચરણ કરતા સતા એક ઉદ્યાનમાં રહીને આત્મસ્વરૂપનું ધ્યાન કરતા હતા. તેમના ગુણથી પ્રસન્ન થયેલી કોઈ દેવી હમેશાં તે મુનિને વંદન કરી તથા સ્તુતિ કરીને કહેતી કે “હે મુનિ! મારા પર પ્રસાદ કરીને મારા યોગ્ય કાંઈ કાર્ય બતાવશો.” એકદા તે મુનિ કોઈ બ્રાહ્મણનાં દુષ્ટ વચન સાંભળીને ક્રોધ પામી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. મુનિ તપસ્યા વડે અતિ કૃશ થયેલા હોવાથી તે બ્રાહ્મણે તેને મુષ્ટિ વગેરેના પ્રહારથી મારીને પૃથ્વી પર પાડી નાંખ્યા. ફરીથી મુનિ ક્રોઘ કરીને યુદ્ધ કરવા લાગ્યા; તો પણ તેને તે બ્રાહ્મણે પ્રહાર કરી પાડી નાંખ્યા. એમ અનેક વાર તે બ્રાહ્મણે તેમને પ્રહારાદિ વડે જર્જરિત કરી નાખ્યા, એટલે તે મુનિ પરાજય પામીને માંડ માંડ પોતાને સ્થાને આવ્યા. બીજે દિવસે પ્રાતઃકાળમાં હિંમેશની જેમ તે દેવીએ આવીને મુનિને વંદના કરી, પણ મુનિએ દેવીની સામું પણ જોયું નહીં, તેમ કાંઈ બોલ્યા પણ નહીં; તેથી તે દેવીએ પૂછ્યું કે “હે સ્વામી! કયા અપરાઘથી મારી સાથે આજે તમે બોલતા નથી?” મુનિ ઊંચે સ્વરે બોલ્યા કે “કાલે પેલા બ્રાહ્મણે મને માર્યો તો પણ તે મારું રક્ષણ કર્યું નહીં, તેમજ મારા તે શત્રુનો તેં કાંઈ અપકાર પણ કર્યો નહીં; માટે માત્ર મીઠાં વચન બોલીને પ્રીતિ બતાવનારી એવી તને હવે હું બોલાવવા ઇચ્છતો નથી.” તે સાંભળીને સ્મિતથી અઘરોષ્ઠને કાંતિમાન કરતી દેવી બોલી કે “હે મુનિ! જ્યારે તમે બન્ને એક બીજાને વળગીને યુદ્ધ કરતા હતા, તે વખતે કૌતુક જોવાની ઇચ્છાવાળી હું પણ ત્યાં જ હતી; પરંતુ તે વખતે મેં તમને બન્નેને સમાન ક્રોઘવાળા જોયા. તેથી “આ બેમાં સાઘુ કોણ? અને બ્રાહ્મણ કોણ?” એ હું જાણી શકી નહીં. તેથી કરીને તમારી રક્ષા અને બ્રાહ્મણને શિક્ષા હું કરી શકી નહીં.” તે સાંભળીને જેનો ક્રોધ શાંત થયો છે એવા મુનિ બોલ્યા કે “હે દેવી! તેં મને આજે બહુ સારી પ્રેરણા કરી, તેથી હવે હું આ ક્રોઘરૂપી અતિચાર દોષનું મિથ્યાદુકૃત આપું છું. હે દેવી! મેં ધ્યાન સંબંધી શાસ્ત્રનો ઘણા યત્નથી અભ્યાસ કર્યો છે, શ્રવણ કર્યું છે અને બીજાને શીખવ્યું પણ છે, તેમજ તેનું અનુમોદન પણ કર્યું છે. તો પણ ખરે વખતે તે મને સ્મરણમાં આવ્યું નહીં. शुन्यं ध्यानोपयोगेन, विंशतिस्थानकाद्यपि । कष्टमात्रं त्वभव्याना-मपि नो दुर्लभं भवेत् ॥१॥ ભાવાર્થ-“ધ્યાનના ઉપયોગ વિના માત્ર કાયક્લેશરૂપ વીશ સ્થાનક વગેરે તપ અભવ્ય પ્રાણીઓને પણ દુર્લભ નથી, અર્થાત્ ઘણા અભવ્ય પ્રાણીઓ પણ તેવું તપ કરે છે.” ચિત્તની એકાગ્રતા રૂપ જે ધ્યાન-તેના ઉપયોગથી શૂન્ય એવા વીશસ્થાનક વગેરે તપસમૂહ માત્ર કાયક્લેશરૂપ જ છે. તે તો અભવ્યોને પણ દુર્લભ નથી. જૈનોક્ત બાહ્યાચરણ પણ ઘણા પ્રકારે અભવ્યોએ પૂર્વે કર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy