SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ પછી ક્ષમારૂપી પુષ્પની માળા અર્પણ કર, બે પ્રકારના ઘર્મરૂપ બે અંગલુહણા આગળ ઘર, ધ્યાનરૂપી સાર અલંકારોને તેના અંગમાં નિવેશન કર, આઠ મદસ્થાનના ત્યાગરૂપી અષ્ટમંગળ તેના પાસે આલેખ, જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ સંકલ્પરૂપી કાકતુંડ (અગરૂ) નો ધૂપ કર, પૂર્વે ઘર્મરૂપી લવણ ઉતારી ઘર્મસંન્યાસરૂપ વહિં સ્થાપન કરીને તેમાં લેપન કર અને પછી આત્મસામર્થ્યરૂપ આરતી ઉતાર.” ઇત્યાદિ ભાવપૂજાનું સ્વરૂપ બીજા ગ્રંથોથી જાણી લેવું. જિનેશ્વરની પૂજા, સ્નાત્ર, ગુણસમૂહની સ્તુતિ અને સ્તવના વગેરે કરવાથી દર્શન રહિત (મિથ્યાત્વી) જીવોને દર્શન (સમકિત)ની પ્રાપ્તિ થાય છે, અને જેને દર્શન ગુણ પ્રાપ્ત થયા હોય છે તેને ક્ષાયિક ભાવની ઉત્પત્તિ થાય છે, તથા જિનપૂજા રત્નત્રયીની પ્રાપ્તિનું કારણ થાય છે. શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું છે કે “હે ભગવાન્ ! જિનેશ્વરની સ્તુતિ, સ્તવન અને મંગળ ભણવાથી જીવોને શું થાય?” ભગવાને કહ્યું કે “હે ગૌતમ! સ્તુતિ, સ્તવન અને મંગળથી જીવોને જ્ઞાન, દર્શન અને ચારિત્રનો લાભ થાય. વળી જિનેશ્વરની પૂજા કરવાથી પૌલિક સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે, ઘન, ઘાન્ય, રાજ્ય, ચક્રવર્તીપણું તથા ઇન્દ્રપણાની લક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે અને છેવટ ચિદાનંદ સંપત્તિ (મુક્તિ) પણ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શ્રી જિનેશ્વરની સેવા બન્ને પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિમાં કારણભૂત છે.” | ઇત્યાદિ ગુરુમુખથી ઘર્મદેશના સાંભળીને ઘનસારે ગુરુને પૂછીને “આજથી શ્રી અર્વજોની પૂજા કર્યા વિના મુખમાં પાણી પણ નાંખવું નહીં.” એવો અભિગ્રહ ગ્રહણ કર્યો. તે દિવસથી જ આરંભીને તે શ્રેષ્ઠી હમેશાં જિનપ્રતિમાની કેસર, ચંદન, કપૂર (બરાસ) વગેરે સુગંધી દ્રવ્યોથી અને સુગંધી એવા જાઈ, પદ્મ, ચંપો, કેતકી, માલતી, મચકુંદ વગેરેનાં તાજાં પુષ્પોથી પૂજા કરવા લાગ્યો. એ પ્રમાણે ત્રિકરણ શુદ્ધિ વડે નિરંતર બહુમાનથી શ્રી જિનેન્દ્રની પ્રભુતાને જ્ઞાનવૃષ્ટિરૂપ માર્ગમાં ઉતારીને પૂજા કરતાં તે ઘનસારે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. તે પુણ્યના તાત્કાલિક ઉદયથી તેના ઘરમાં અનેક પ્રકારની લક્ષ્મી પ્રગટ થઈ; એટલે વિશેષે કરીને જિનભક્તિ કરતા એવા તે શ્રેષ્ઠીએ જિનચૈત્ય, જિનબિંબ, પુસ્તક અને ચતુર્વિધ સંઘ એ સાતે ક્ષેત્રમાં ઘણું ઘન ખચ્યું. એ પ્રમાણે હમેશાં દ્રવ્યપૂજા, ભાવપૂજા કરતાં ઘનસાર શ્રેષ્ઠી સમકિત પામી, દેવનું આયુષ્ય બાંથી મનુષ્યભવનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રથમ સ્વર્ગમાં દેવતા થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળને વિષે ઉત્પન્ન થઈ સદ્ગુરુ સમીપે દીક્ષા લઈ મુક્તિસુખને પામશે. આ શ્રાદ્ધઘર્મી ઘનસાર શ્રેષ્ઠીએ જિનેશ્વરની પૂજાનું ફળ શીધ્રપણે આ ભવમાં જ મેળવ્યું, અને પછીના ભવમાં ચારિત્ર લઈને ભાવપૂજાની વિશુદ્ધિ વડે તે મુક્તિને પામ્યો. તેનું દ્રષ્ટાંત સાંભળીને અન્ય ભવ્ય પ્રાણીઓએ પણ દ્રવ્ય તથા ભાવ એ બન્ને પ્રકારની પૂજા અવશ્ય કરવી.” વ્યાખ્યાન ૩૩૪ ધ્યાન . ध्याता ध्यानं तथा ध्येय-मेकतावगतं त्रयम् । तस्य ह्यनन्यचित्तस्य, सर्वदुःखक्षयो भवेत् ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy