SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન 333] દ્રવ્યપૂજા–ભાવપૂજા ૧૬૧ ઇત્યાદિ યુક્તિથી માતાપિતાને પ્રતિબોઘ પમાડીને વામદેવે દીક્ષા ગ્રહણ કરી અને આત્મકાર્ય સાધ્યું. કેવળીના વાક્યથી દ્રવ્યયજ્ઞનો ત્યાગ કરીને ભાવયજ્ઞ કરવામાં રસિક થયેલા વામદેવે વક્રતાનો ત્યાગ કરી શીવ્રતાથી શિવસુખ પ્રાપ્ત કર્યું.” વ્યાખ્યાન 333 દ્રવ્યપૂજા-ભાવપૂજા स्याद्भेदोपासनारूपा, द्रव्यार्चा गृहमेधिनाम् । अभेदोपासनारूपा, साधूनां भावपूजना ॥१॥ ભાવાર્થ-“ગૃહસ્થીઓને ભેદઉપાસનારૂપ દ્રવ્યપૂજા હોય છે, અને સાધુઓને અભેદઉપાસનારૂપ ભાવપૂજા હોય છે.” ભેદઉપાસના રૂપ એટલે આત્માથી અર્હમ્ પરમેશ્વર જુદા છે, પ્રાપ્ત થયેલા આત્માનંદના વિલાસી છે. તેની ઉપાસના એટલે નિમિત્ત આલંબનરૂપ સેવા તે રૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થીઓને યોગ્ય છે, અને સાધુઓને તો અભેદ ઉપાસના એટલે પરમાત્માથકી પોતાનો આત્મા અભિન્ન છે એવા પ્રકારની ભાવપૂજા યોગ્ય છે. જો કે અઈમ્ ભગવાનના ગુણનું સ્મરણ કરવું, તેમનું બહુમાન કરવું, એવા ઉપયોગરૂપ સવિકલ્પ ભાવપૂજા ગૃહસ્થીઓને પણ છે, તો પણ ઉપયોગવાળી આત્મસ્વરૂપના એત્વરૂપ ભાવપૂજા તો મુનિઓને જ યોગ્ય છે. આ પ્રસંગ ઉપર એક સંબંધ છે. તે નીચે પ્રમાણે ધનસાર વણિકની કથા શ્રીપુર નગરમાં જિતારી રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં ઘનસાર નામનો એક વણિક રહેતો હતો. તે અત્યંત દરિદ્રી હોવાથી કોઈ પણ સ્થાને આદર પામતો નહીં, પરંતુ તે સ્વભાવે સરળ હતો, અને હમેશાં સદ્ગુરુ પાસે ઘર્મોપદેશ શ્રવણ કરતો હતો. એકદા તેણે વિનયપૂર્વક દીન વાણીથી ગુરુને પૂછ્યું કે “હે સ્વામી! હું દરિદ્રી, દુઃખી અને નિર્ધન કેમ થયો?” ગુરુએ કહ્યું કે “તેં પૂર્વભવે શ્રી જિનેશ્વરની પૂજા કરી નથી, તેથી દુઃખી થયો છે. હવે આ જન્મમાં તું દ્રવ્યપૂજા તથા ભાવપૂજા કર, જેથી તારા દુઃખનો ક્ષય થાય. તેમાં ભાવપૂજાનું સ્વરૂપ પૂર્વાચાર્યોએ એવું કહ્યું છે કે दयांभसा कृतस्नानः, सन्तोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजो, भावनापावनाशयः॥१॥ भक्तिश्रद्धानघुसृणो-न्मिश्रपारटीरजद्रवैः । નવહારયુક્લેવું, શુદ્ધમાત્માનમર્ચય રા. ભાવાર્થ-હે ઉત્તમ! દ્રવ્ય અને ભાવથી સ્વપરના પ્રાણસ્વરૂપ દયારૂપી જળ વડે સ્નાન કરીને, પૌદ્ગલિક સુખની ઇચ્છાના અભાવરૂપ સંતોષ–તકૂપ વસ્ત્રને ઘારણ કરીને, સ્વપરના વિભાગનું જે જ્ઞાન તદ્રુપ વિવેકનું તિલક કરીને તથા અરિહંતના ગુણગાનમાં એકાગ્રતારૂપ ભાવના વડે કરીને પવિત્ર અંત:કરણવાળો થઈ, ભક્તિ અને શ્રદ્ધારૂપ ચંદનથી મિશ્ર એવા કેસરના દ્રવે કરીને નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ નવ અંગોને ઘારણ કરનાર અનંત જ્ઞાનાદિ પર્યાયવાળા શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કર. Jain Educatioભાગ ૫-૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy