SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૩૦] અનુભવ ૧૫3 “હિંસાને તથા મમતા(પરિગ્રહ)ને તજીને તથા ક્ષત્રિય સાઘુએ કહેલા એક જ વચનને સાંભળીને સંયત મુનિ ચારિત્ર પાળવામાં વિશેષ આદરવાળા થયા. તે પ્રમાણે બીજા વિદ્વાનોએ પણ અનુસરવું.” વ્યાખ્યાન ૩૩છે. અનુભવ व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शन एव हि । पारं तु प्रापयत्येको-ऽनुभवो भववारिधेः॥१॥ ભાવાર્થ-“સર્વ શાસ્ત્રોનો વ્યાપાર તો દિગ્ગદર્શન માત્ર જ છે, પરંતુ ભવસમુદ્રના પારને તો એક અનુભવ જ પમાડે છે.” સર્વ શાસ્ત્રોનો તથા અનુયોગ કથાદિકનો (ઘર્મવ્યાખ્યાનાદિકનો) જે વ્યાપાર એટલે અભ્યાસ શ્રવણ વગેરે છે, તે માત્ર દિગ્દર્શન જ છે. જેમ કોઈ વટેમાર્ગ કોઈ માણસને કોઈ ગામનો માર્ગ પૂછે છે, તો તે માણસ તેને માત્ર માર્ગ જ બતાવે છે; પણ ગામની પ્રાપ્તિ તો પોતાના પગ ચલાવવાથી જ થાય છે. એ પ્રમાણે શાસ્ત્રનો અભ્યાસ માત્ર તત્ત્વસાઘનની વિધિને જ બતાવે છે; પણ સંસારસાગરના પારને તો એક અનુભવ જ પમાડે છે. શ્રી સૂયગડાંગ વગેરે સૂત્રોમાં અધ્યાત્મ ભાવે કરીને જ સિદ્ધિ કહેલી છે. તેથી સદ્ગુરુના ચરણની સેવા કરનારે આત્મસ્વરૂપના ભાસનમાં તન્મયપણું ઉપજાવવું. આ પ્રસંગ ઉપર આભીરીને ઠગનાર વણિકની કથા છે તે આ પ્રમાણે આભીરીવંચક વણિક કથા કોઈ ગામમાં એક વણિક હતો, તે દુકાને બેસીને હમેશાં વેપાર કરતો હતો. એકદા તેની દુકાને કોઈ અતિ સરલ સ્વભાવની આભીરી બે રૂપિયા લઈને કપાસ લેવા આવી. તેણે વણિકના હાથમાં બે રૂપિયા આપી તેનો કપાસ આપવા કહ્યું, એટલે તે વણિકે “હાલમાં કપાસ બહુ મોંઘો છે.” એમ કહીને અર્ધા અર્થો રૂપિયાની બે ઘારણ તોળીને તેને એક રૂપિયાનો કપાસ આપ્યો. તે અતિ સરલ સ્વભાવવાળી આભીરી “બે વખત જોખી આપવાથી બે રૂપિયાનો મને કપાસ આપ્યો.” એમ જાણીને તે પાસ લઈને જલદી પોતાને ઘેર ગઈ. પછી તે વણિકે વિચાર્યું કે “આજે એક રૂપિયો ફોગટનો મળ્યો છે, માટે આજ તો હું તેનું ઉત્તમ ભોજન જમું.” એમ વિચારીને તે રૂપિયાનું ઘી, ખાંડ, ઘઉં વગેરે ખરીદીને ઘેર મોકલ્યું, અને પોતાની સ્ત્રીને તેના ઘેબર કરવાનું કહેવરાવ્યું. તે સ્ત્રીએ ઘેબર તૈયાર કર્યા; તેવામાં બીજા કોઈ ગામમાં રહેતો તેનો જમાઈ પોતાના મિત્ર સહિત કાંઈ કામ સારુ ત્યાં આવ્યો. તેને જોઈને હર્ષિત થયેલી પેલા વણિકની સ્ત્રીએ તે બન્નેને ઘેબર જમાડ્યા. “સ્ત્રીઓને જમાઈ પર અતિ સ્નેહ હોય છે.” તેઓ જમીને ગયા પછી તે વણિક ભોજનને માટે ઘેર આવ્યો, ત્યારે હંમેશની જેમ સ્વાભાવિક ભોજન જોઈને તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે “હે પ્રિયા! તેં આજે ઘેબર કેમ કર્યા નહીં?” સ્ત્રીએ જવાબ આપ્યો કે “હે સ્વામી! ઘેબર તો કર્યા હતા, પણ તે સત્પાત્રને જમાડ્યા છે. આજે કાંઈ કામ માટે આપણા જમાઈ તેના મિત્ર સહિત અહીં આવ્યા હતા, તેને જવાની ઉતાવળ હતી, તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy