SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ તેને તે ઘેબર જમાડ્યા છે.” તે સાંભળીને વણિક ખેદયુક્ત થઈ વિચાર કરવા લાગ્યો કે “મેં બીજાને માટે થઈને બિચારી આભીરીને નકામી છેતરી, તેને છેતરવાનું પાપ મને લાગ્યું, અને ઘેબર તો બીજાએં ખાધા. મૂર્ણ પુરુષો સ્ત્રી પુત્રાદિકને માટે અત્યંત પાપ કર્મ કરે છે, પણ તે પાપનું ફળ તો તેને પોતાને જ ભોગવવું પડે છે.” એમ વિચારી તે ગામ બહાર જઈને દેહચિંતા કરી પાછો વળતાં સૂર્યના તાપ વડે ગ્લાનિ પામવાથી એક વૃક્ષ નીચે વિશ્રાન્તિ લેવા બેઠો; તેવામાં કોઈ મુનિને ગોચરી જતા જોઈને તેણે કહ્યું કે “હે પૂજ્ય! અહીં આવો. જરા વિશ્રાંતિ લો અને મારી એક વાત સાંભળો.” તે સાંભળીને જ્ઞાની મુનિએ કહ્યું કે “હું મારા પોતાના કાર્ય માટે ઉતાવળે જાઉં છું, તેથી હું રોકાઈશ નહીં.” વણિક બોલ્યો કે “હે મહારાજ! શું બીજાને કામે પણ કોઈ જતા હશે કે જેથી, આપ એવું બોલ્યા કે-હું મારા પોતાના કાર્ય માટે જાઉં છું?” મુનિ બોલ્યા કે “બીજાના કાર્ય માટે ઘણા જીવો ક્લેશ પામે છે; તેમાં પ્રથમ તો સ્ત્રીપુત્રાદિકને માટે ક્લેશ પામતો એવો તું જ દ્રષ્ટાંતરૂપ છે.” આ એક જ વાક્યથી પ્રતિબોઘ પામીને તે વણિકે મુનિને કહ્યું કે “આપ તપનું પારણું વગેરે કરો. પછી હું આપની પાસે આવીશ.” પછી મુનિ નિર્દોષ આહાર વડે દેહને ભાડું આપીને સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા. તે વખતે તે વણિકે તેમની પાસે જઈ ઘર્મનું શ્રવણ કર્યું, તે આ પ્રમાણે अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनापि, न गम्यं यद्बुधा जगुः॥४॥ ભાવાર્થ-“ઉત્કૃષ્ટ એવું બ્રહ્મ ઇંદ્રિયોને ગોચર નથી; તેથી વિશુદ્ધ અનુભવ વિના શાસ્ત્રની સેંકડો યુક્તિઓથી–અનેક આગમરહસ્યના અવબોઘથી પણ તે પ્રાપ્ત થતું નથી એમ પંડિતો કહે છે. न सुषुप्तिरमोहत्वा-त्रापि च स्वापजागरौ । *વેપનાશત્પવિત્રાન્ત-સ્તુય ચાનુમવે શા |રા. ભાવાર્થ-આત્મઅનુભવ અવસ્થામાં, મોહ નહીં હોવાથી સુષુપ્તિ અવસ્થા હોતી નથી, તેમજ સંકલ્પવિકલ્પનો પણ અભાવ હોવાથી સ્વા૫ તથા જાગર અવસ્થા પણ હોતી નથી, પરંતુ તે ત્રણે દશાથી ભિન્ન એવી તુર્ય (ચોથી) દશા હોય છે. દશા ચાર છે–તેમાં અતિ શયન કરવારૂપ સુષુપ્તિ અવસ્થા મિથ્યાત્વીને હોય છે. શયનરૂપ (સ્વા૫) અવસ્થા સમ્યવૃષ્ટિને હોય છે. જાગર દશા અપ્રમત્ત મુનિને હોય છે, અને તુર્થ દશા તો ઉત્તરોત્તર સયોગીકેવળી પર્યત હોય છે. પ્રથાંતરમાં તીવ્રનિદ્રાધૂર્ણિત ચિત્તવાળાને સુષુતિ અવસ્થા કહી છે, તે અનુભવ જ્ઞાનવાળાને હોતી નથી; કેમકે અનુભવી મોહથી રહિત હોય છે. તેમજ સ્વાપ તથા જાગર દશા પણ અનુભવીને હોતી નથી, કેમકે તે કલ્પનાયુક્ત છે, અને અનુભવમાં કલ્પનાનો અભાવ હોય છે, તેથી સંપૂર્ણ નય પક્ષને આઘારે અનુભવમાં તુર્ય (ઉજાગર) દશા જ કહેલી છે.” | ઇત્યાદિ ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામેલા વણિકે ગુરુને કહ્યું કે “હે ગુરુ! બંઘુવર્ગની રજા લઈને દીક્ષા લેવા માટે હું અહીં પાછો આવું ત્યાં સુધી આપ અહીં જ રહેજો.” એમ કહીને ઘેર જઈ ૧ કલ્પના તે વિકલ્પચેતના તેનું શિલ્પ તે વિજ્ઞાન, તેમાં જે વિશ્રાંતિ તે કલ્પના શિલ્પ વિશ્રાંતિ' જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy