SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૨ નથી. માટે તું સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને ચારિત્રને અંગીકાર કર.” ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને રાજાએ તત્કાળ રાજ્યઋદ્ધિનો ત્યાગ કરીને તે ગર્દભાલિ મુનિની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. હવે તે સંયત મુનિ સમાચારીમાં આસક્ત થઈને અપ્રતિબદ્ધપણે વિહાર કરતા કોઈ ગામમાં ગયા. ત્યાં કોઈ એક મુનિ સ્વર્ગથી ચ્યવીને ક્ષત્રિય રાજા થયા હતા, તેને કાંઈક નિમિત્ત મળવાથી જાતિસ્મરણશાન થયું હતું, તેથી વૈરાગ્ય પામીને તેણે પણ દીક્ષા લીધી હતી. તે મુનિએ વિહાર કરતા સંયત મુનિને જોયા. એટલે તેની પરીક્ષા કરવા માટે તેણે પૂછ્યું કે “હે મુનિ! તમારું નામ શું? ગોત્ર શું? અને શા માટે તમે આ પ્રવ્રજ્યા અંગીકાર કરી છે?” તે સાંભળીને સંયત મુનિએ જવાબ આપ્યો કે “મારું નામ સંયત મુનિ છે, મારું ગોત્ર ગૌતમ છે. ગર્દભાલિ નામના આચાર્ય મને ઉપદેશ આપીને જીવહિંસાથી નિવૃત્તિ પમાડી છે, અને મુક્તિરૂપ ફળ બતાવીને તેની પ્રાપ્તિ માટે મને દીક્ષા આપી છે.” તે સાંભળીને સંયત મુનિના ગુણથી જેનું ચિત્ત હર્ષિત થયું છે એવા તે ક્ષત્રિય મુનિએ ફરીથી કહ્યું કે “ક્રિયાવાદી પ્રમુખ સર્વે એક એક અંશનું ગ્રહણ કરવાથી યથાર્થ વસ્તુ સ્વરૂપને જાણી શકતા નથી અને કહી પણ શકતા નથી. તેથી અસત્રરૂપણાનો ત્યાગ કરીને તમારે સદ્ધર્મશીલ થવું. (સ્યાદ્વાદ ઘર્મમાં દૃઢ થવું.) વળી, परिग्रहग्रहावेशा-हर्भाषितरजः किराः । श्रूयन्ते विकृताः किं न, प्रलापा लिंगिनामपि ॥१॥ ભાવાર્થપરિગ્રહરૂપી ગ્રહ (ભૂતાદિક) ના આવેશથી ઉત્સુત્ર ભાષણરૂપ રજ વડે વ્યાત થયેલા અને દોષરૂપ વિકારવાળા જૈનવેષવિડંબકોના પણ પ્રલાપો (અસંબદ્ધ વચનબૃહો) શું નથી સંભળાતા? અર્થાત્ સંભળાય છે. પરિગ્રહરૂપ જે ગ્રહ તેના આવેશથી ગ્રસ્ત અને પરિગ્રહમાં આસક્ત થયેલા મુનિવેષઘારી પણ જ્ઞાનપૂજનાદિકનો ઉપદેશ કરીને પરિગ્રહ મેળવવાની ઇચ્છાથી ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે.” ફરીથી પણ ક્ષત્રિય મુનિએ મહાપુરુષોના દ્રષ્ટાંત વડે સ્થિર કરવા માટે સંયત મુનિને કહ્યું કે શ્રી ઉત્તરાધ્યયનના અઢારમા અધ્યયનમાં કહ્યું છે કે एयं पुण्यपयं सोच्चा, अत्थधम्मोवसोहियं । भरहो वि भारहं वासं, चिच्चा कामाइ पव्वए॥१॥ ભાવાર્થ-“આ પ્રમાણે અર્થ અને થર્મથી ઉપશોભિત એવું પુણ્યપદ (પવિત્ર પદ) સાંભળીને ભરતચક્રીએ પણ ભરતક્ષેત્રનો અને કામાદિકનો ત્યાગ કરીને પ્રવ્રજ્યા ગ્રહણ કરી.” આ પ્રમાણે તે ક્ષત્રિય મુનિએ ભરતાદિકથી માંડીને મહાબળ મુનિ પર્યત અનેક મહા પુરુષોનાં દ્રષ્ટાંતથી “પરિગ્રહ રહિત મુનિઓને જ્ઞાનપૂર્વક ક્રિયાઓ ફળદાયી છે.” એમ ઉપદેશ કરીને ફરીથી કહ્યું કે “જેમ ભરતાદિકે સ્યાદ્વાદ તત્ત્વનો આશ્રય કર્યો હતો, તેવી રીતે તમારે પણ તે જ ઘર્મમાં દ્રઢ ચિત્તવાળા થવું.” એ પ્રમાણે સાંભળીને સંયત મુનિએ હર્ષ પામી તે મુનિનો ઉપદેશ અંગીકાર કર્યો. પછી ચિરકાળ વિહાર કરીને અનુક્રમે કેવળજ્ઞાન પામી તે સંયત મુનિ મોક્ષે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy