SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ વ્યાખ્યાન ૩૨૯]. મૂચ્છત્યાગ કર્તવ્ય વ્યાખ્યાન ૩૯ મૂચ્છત્યાગ કર્તવ્ય मूर्छाच्छन्नधियां सर्व, जगदेव परिग्रहः । मूर्छाया रहितानां तु, जगदेवापरिग्रहः॥१॥ ભાવાર્થ-“મૂર્છાથી જેની બુદ્ધિ આચ્છાદિત થયેલી છે એવા માણસોને આખું જગત પરિગ્રહરૂપ છે, અને મૂચ્છથી રહિત થયેલાને જગત જ અપરિગ્રહરૂપ છે.” મૂચ્છમાં મગ્ન થયેલા જીવોને સર્વ જગત પોતાનું થયું નથી, તો પણ તેના પરિગ્રહરૂપ જ છે; કેમકે તે “હું સર્વ જગતનો સ્વામી થાઉં, તેનો ભોક્તા થાઉં એવી ઇચ્છાથી યુક્ત છે, અને મૂર્છાએ કરીને રહિત થયેલા પ્રાણીને “પૌગલિક સર્વ વસ્તુ આત્માથી ભિન્ન છે અને અગ્રાહ્ય છે.” એમ વિચારીને સર્વનો ત્યાગ કરવાથી જગત પરિગ્રહ રૂપે નથી. અહીં કોઈને સંદેહ થાય કે “જીવ અને પુગલ (શરીર) એક ક્ષેત્ર અવગાહીને રહેલા હોવાથી જીવને તે પુગલનો પરિગ્રહ કેમ ન કહેવાય?” તેનો ઉત્તર કહે છે કે “જીવને તે પુદ્ગલ ઉપર રાગદ્વેષની પરિણતિ થાય, તો જ તે પરિગ્રહપણાને પામે છે, અને રાગદ્વેષની પરિણતિનો ત્યાગ કરવાથી શ્રમણ ગુણ પ્રગટ થાય છે.' આ પ્રસંગ ઉપર સંયત મુનિનો સંબંધ છે, તે આ પ્રમાણે સંયત મુનિની કથા કાંડિલ્યપુર નામના નગરમાં સંયત નામે રાજા રાજ્ય કરતો હતો. તે એકદા મૃગયા રમવા વનમાં ગયો. માંસના સ્વાદમાં લુબ્ધ થયેલો તે રાજા અશ્વ ઉપર ચઢીને ત્રાસ પામેલા મૃગોની પાછળ તેમનો વઘ કરવા દોડ્યો. તે વનના કોઈ એક પ્રદેશમાં એક મુનિ ઘર્મધ્યાનમાં મગ્ન રહેલા હતા. તે મુનિની પાસે આવતાં મૃગોને હણવા લાગ્યો. તેવામાં મુનિને જોઈને તે ભય પામ્યો, એટલે તેને વંદના કરીને રાજા બોલ્યો કે “હે પૂજ્ય! આ મૃગના વઘથી થયેલો મારો અપરાઘ માફ કરો.” મુનિ તો ધ્યાનમાં હોવાથી મૌન રહેલા હતા તેથી તેમણે રાજાને કાંઈ જવાબ આપ્યો નહીં, એટલે તો રાજા અઘિક ભયભ્રાંત થયો, અને વિચાર કરવા લાગ્યો કે “ક્રોઘ પામેલા આ મુનિ કોણ જાણે શું કરશે?” ફરીથી તે હાથ જોડીને ભયથી બોલ્યો કે “હું સંયત નામે રાજા છું, માટે મારા પર કૃપા કરી મારી સાથે બોલો. તમે ક્રોઘ પામેલા જણાઓ છો, તેથી તેજ વડે કોટી મનુષ્યોને ભસ્મ કરવા સમર્થ છો.” આ પ્રમાણે સાંભળીને મુનિ બોલ્યા કે “હે રાજન્! તને અભય છે. તને કોઈ બાળીને ભસ્મ કરતું નથી.” એ રીતે રાજાને આશ્વાસન આપીને મુનિએ તેને ઘર્મોપદેશ આપ્યો કે “હે રાજા! આ સંસાર અનિત્ય છે, તો તું હિંસામાં કેમ આસક્ત થાય છે? નરકના હેતુભૂત હિંસા કરવી તને યોગ્ય નથી. જેમ તને મૃત્યુનો ભય છે તેમ બીજા પ્રાણીઓને પણ મરણનો ભય છે, માટે પરલોકના હિતનું કાર્ય કર. સ્ત્રી, પુત્ર અને આ દેહ પણ જીવતાની પાછળ જીવે છે, અર્થાત્ તેણે મેળવેલા દ્રવ્યાદિકનો ઉપભોગ કરે છે. પણ તે જીવ મૃત્યુ પામે છે ત્યારે તે સ્ત્રી પુત્રાદિક તેની પાછળ જતા નથી. માટે તેઓ શી રીતે આ જીવના સહાયભૂત થાય? તેથી તે સર્વ કૃતઘ્નીઓ ઉપર આસ્થા કરવી યોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy