SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી ઉપદેશપ્રાસાંદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ તોસલીપુત્રના શિષ્ય સોમપુત્ર! તું બહાર રહીને શી રીતે અભ્યાસ કરી શકીશ?’’ આર્યરક્ષિતે કહ્યું કે “હે સ્વામી! શ્રી ભદ્રગુપ્ત સૂરિની શિક્ષાથી મેં ભિન્ન ઉપાશ્રયનો આશ્રય કર્યો છે.’’ તે સાંભળીને વજ્રસ્વામીએ ઉપયોગ આપ્યો, એટલે તે નિમિત્ત જાણીને બોલ્યા કે ‘જ્ઞાનના સાગર સમાન તે પૂજ્ય સૂરિએ તને યુક્ત જ કહ્યું છે.” પછી શ્રી વજસ્વામીએ તેને પૂર્વની વાચના આપવા માંડી અને આર્યરક્ષિતે ગ્રહણ કરવા માંડી. અનુક્રમે થોડા સમયમાં જ તેણે નવ પૂર્વનો અભ્યાસ કરી લીધો. પછી દશમું પૂર્વ ભણવાને પ્રવર્તેલા આર્યરક્ષિત મુનિને ગુરુએ કહ્યું કે “હવે દશમા પૂર્વના યમકને જલદી ભણ.'' એટલે આર્યરક્ષિત તે કઠિનતાવાળા યમકને પણ શીઘ્ર ભણવા લાગ્યા. અહીં આર્યરક્ષિતના વિયોગથી પીડા પામતા તેના માતાપિતાએ તેને બોલાવવા માટે ફલ્ગુરક્ષિતને મોકલ્યો; એટલે તે નાનો ભાઈ મોટા ભાઈ પાસે આવીને બોલ્યો કે ‘‘હે ભાઈ! તમે આપણા કુટુંબને પ્રતિબોધ આપો, મારી સાથે ઘેર ચાલો, અને મને પણ તમારી દીક્ષા આપો.’’ તે સાંભળીને તેણે નાના ભાઈને દીક્ષા આપીને ગુરુને વિનંતિ કરી કે “હે સ્વામી! આપની આજ્ઞા હોય તો હું મારા માબાપને પ્રતિબોધ કરવા માટે ગામ જાઉં.’” ગુરુ બોલ્યા કે “હે વત્સ! તું અભ્યાસ કર, ઘેર જા નહીં.'' યમકની વિષમતાથી ખેદ પામેલા તેણે ફરીથી ગુરુને પૂછ્યું કે ‘હે સ્વામી! મેં દશમા પૂર્વમાં કેટલો અભ્યાસ કર્યો?' ગુરુ હસીને બોલ્યા કે “હે વત્સ! દશમા પૂર્વનું એક બિંદુમાત્ર તેં ગ્રહણ કર્યું છે, અને સમુદ્ર જેટલું બાકી રહ્યું છે; પરંતુ તું ખેદ કેમ કરે છે? તું ઉદ્યમી છો, વળી બુદ્ધિશાળી છો, તેથી જલદી પાર પામી જઈશ.’’ આ પ્રમાણે ગુરુએ તેને અભ્યાસ કરવાને માટે ઉત્સાહિત કર્યો, તો પણ તે નાના ભાઈ સહિત વારંવાર ગુરુ પાસે જઈને કહેવા લાગ્યો કે “આ મારો ભાઈ મને બોલાવવા માટે અહીં આવ્યો છે, માટે આપ મને ત્યાં જવાની આજ્ઞા આપો.'' ત્યારે ગુરુએ શ્રુતનો ઉપયોગ આપ્યો. તે ઉપરથી તેમને જણાયું કે “આ આર્યરક્ષિત ગયા પછી શીઘ્ર પાછો આવશે નહીં, અને મારું આયુષ્ય બહુ થોડું રહ્યું છે, તેથી દશમું પૂર્વ તો મારામાં જ રહેશે, કોઈ ગ્રહણ કરશે નહીં.’’ આ પ્રમાણે ભાવીભાવ જાણીને શ્રી વજસ્વામીએ તેને જવાની રજા આપી. પછી આર્યરક્ષિત મુનિ પોતાના ભાઈ ફલ્ગુરક્ષિતની સાથે દશપુર નગરે આવ્યા. ત્યાં ધર્મદેશના આપીને પોતાના સમગ્ર કુટુંબને પ્રતિબોધ પમાડ્યો, અને રાજા પણ સમકિત પામ્યો. એકદા શ્રી સૌધર્મેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર જિનેશ્વરને વંદના કરવા ગયા. ત્યાં પ્રભુના મુખથી સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ સાંભળીને તેણે પ્રભુને પૂછ્યું કે ‘હે સ્વામી! ભરતક્ષેત્રમાં આવું સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ કહેનાર કોઈ છે?” પ્રભુએ કહ્યું કે ‘આર્યરક્ષિત છે.’ તે સાંભળીને ઇન્દ્ર ભરતક્ષેત્રમાં આવ્યા. ત્યાં આર્યરક્ષિત સૂરિને વંદના કરીને સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ પૂછ્યું, એટલે સૂરિએ સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ યથાસ્થિત કહી બતાવ્યું. તે સાંભળીને હર્ષ પામેલા ઇન્દ્ર સ્વસ્થાને ગયા. ત્યાર પછી શ્રી આર્યરક્ષિત સ્વામીએ અનુયોગ પૃથક્ પૃથક્ સ્થાપન કર્યા, અને પ્રાંતે આયુષ્ય પૂર્ણ થતાં અનશન કરીને સ્વર્ગે ગયા. ‘‘કામક્રીડા સંબંધી સુખનાં સ્થાનભૂત એવી નવોઢા સ્ત્રીનો ત્યાગ કરીને નવીન શાસ્ત્રાર્થ ગ્રહણ કરવામાં ઉદ્યમી થયેલા આર્યરક્ષિત સૂરિ દેવેન્દ્રને પણ વંદન કરવા યોગ્ય થયા; માટે બીજા ભવ્ય પ્રાણીઓએ પણ તેવી રીતે વર્તવું.’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.erg
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy