SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૨૮] ચક્ષુ સ્વરૂપ ૧૪૯ એવું જાણવાથી મને શી રીતે આનંદ થાય? માટે જો તું દૃષ્ટિવાદનો અભ્યાસ કરે તો મારો આત્મા પ્રસન્ન થાય.’’ વિનીત પુત્રે વિવેકથી માતાને પૂછ્યું કે “તે શાસ્ત્ર ક્યાં ભણાય છે?’' માતા બોલી કે “તોસલીપુત્ર નામના ગુરુ પાસે.’' પછી આર્યરક્ષિત માતાનું વચન અંગીકાર કરી પ્રાતઃકાળે માતાની રજા લઈ ભણવા ચાલ્યા, તેવામાં તેને મળવા માટે આવતો તેના પિતાનો મિત્ર બ્રાહ્મણ સાડાનવ શેરડીનાં સાંઠા લઈને સામો મળ્યો. તે બ્રાહ્મણ પ્રેમથી આર્યરક્ષિતને મળીને બોલ્યો કે ‘“તમારે માટે હું આ શેરડીના સાંઠા લાવ્યો છું તે લો.’' તે બોલ્યો કે “એ સાંઠા મારી માતાને આપજો. હું કાર્ય માટે જાઉં છું.’’ એટલે તે બ્રાહ્મણે તેની માતા પાસે જઈને સાડા નવ સાંઠા આપી આર્યરક્ષિત સાથે થયેલી વાત કહી. તે સાંભળીને માતાએ વિચાર્યું કે “જરૂર આ શુકનથી એવું સૂચવન થાય છે કે મારો પુત્ર સાડા નવ પૂર્વનો અભ્યાસ કરશે.'’ અહીં આર્યરક્ષિત પોતે ગુરુને વંદનાદિક કરવાની રીતિથી અજ્ઞાત હોવાથી દૃઢરથ નામના શ્રાવકને સાથે લઈને ગુરુ પાસે ગયો, અને શ્રાવકની વિધિ પ્રમાણે ગુરુને વાંદીને બેઠો. પછી તે દૃઢરથે ગુરુને આર્યરક્ષિતની જાતિ, કુળ વગેરે કહીને વિશેષમાં એટલું કહ્યું કે ‘‘આ ચૌદ વિદ્યાનો પારગામી થયો છે, અને તેને ગઈ કાલે રાજાએ હસ્તી પર બેસાડીને પુરપ્રવેશ કરાવ્યો છે.’’ પછી આર્યરક્ષિતે ગુરુને કહ્યું કે “હે ગુરુ! હું દૃષ્ટિવાદ ભણવા માટે આપ પૂજ્યને આશ્રયે આવ્યો છું. તે ભણાવીને મારા પર કૃપા કરો.’” તે સાંભળીને ગુરુ બોલ્યા કે “જો એમ હોય તો તું દીક્ષા ગ્રહણ કર, જેથી અનુક્રમે તને દૃષ્ટિવાદનો અમે અભ્યાસ કરાવીએ.’’ તે સાંભળીને આર્યરક્ષિતે ગુરુ પાસે દીક્ષા લીધી. પછી તેણે ગુરુને કહ્યું કે “મારા અહીં રહેવાથી રાજા, સ્વજનો તથા પૌરલોકો રાગને લીધે બળાત્કારે મને ચારિત્રથી ભ્રષ્ટ કરશે.’’ તે સાંભળીને ગુરુ ગચ્છ સહિત આર્યરક્ષિતને લઈને અન્ય સ્થાને ગયા. આ શિષ્યની ચોરી પ્રથમ જ શ્રી મહાવીર સ્વામીના શાસનમાં થઈ. પછી તોસલીપુત્ર ગુરુને જેટલું જ્ઞાન હતું તે સર્વે આર્યરક્ષિતે ગ્રહણ કર્યું. પછી ગુરુની આજ્ઞાથી વધારે ભણવા માટે તે શ્રી વજસ્વામી પાસે જવા નીકળ્યા. માર્ગમાં કોઈ ગ્રામમાં શ્રી ભદ્રગુપ્ત નામના સૂરિ હતા. તેમને જઈને આર્યરક્ષિતે વંદના કરી. આર્યરક્ષિતને સર્વ ગુણ યુક્ત જોઈ ઓળખીને હર્ષથી આલિંગન આપી સૂરિ બોલ્યા કે “હે વત્સ! મારું જીવિત અલ્પ રહ્યું છે, તેથી હું અનશન કરવા ઇચ્છું છું, માટે તું મારો નિર્યામક થા, એમ હું યાચના કરું છું.’’ આર્યરક્ષિતે તેમનું વચન અંગીકાર કર્યું. પછી ભદ્રગુપ્ત સૂરિએ અનશન લઈને આર્યરક્ષિતને કહ્યું કે “હે વત્સ! તું વજ્રસ્વામીની સાથે એક ઉપાશ્રયમાં રહીશ નહીં, પણ ભિન્ન સ્થાને રહીને તેમની પાસે શ્રુતનો અભ્યાસ ક૨જે; કેમકે જે સોપક્રમ આયુષ્યવાળો જીવ વજસ્વામીની સાથે એક રાત્રી પણ રહે તે વજસ્વામી સાથે મૃત્યુ પામે એમ છે.’’ આ પ્રમાણેનું તેમનું વચન અંગીકાર કરી તેમની નિર્યામણા કરીને તેમના મૃત્યુ પામ્યા બાદ આર્યરક્ષિત વજસ્વામીએ અલંકૃત કરેલી નગરીએ ગયા. પ્રથમ રાત્રી ગામની બહાર રહ્યા. તે રાત્રીને પાછલે પહોરે વજસ્વામીને સ્વપ્નું આવ્યું કે “મારા પાત્રમાં રહેલું સર્વ દૂધ કોઈ અતિથિ પી ગયો.” પ્રાતઃકાળે આર્યરક્ષિત મુનિ વજ્રસૂરિ પાસે આવી તેમને વિધિપૂર્વક વંદના કરીને તેમની પાસે બેઠા; એટલે સૂરિએ તેનું સ્વાગત કરીને પૂછ્યું કે “કયા ઉપાશ્રયમાં તું રહ્યો છે?’’ તે બોલ્યા કે “હું ગામની બહાર રહ્યો છું.” ત્યારે વજ્રસૂરિ બોલ્યા કે “હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy