SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૨ છે.’’ ઇત્યાદિ સ્તુતિ કરીને રાજા પોતાના મંદિર તરફ ગયા, અને પૌરજનો પણ તે શ્રેષ્ઠીની જ પ્રશંસા કરતા પોતપોતાને સ્થાને ગયા. ‘‘લોકસંજ્ઞાનો ત્યાગ કરીને જિનેન્દ્રના માર્ગના અનુભવથી આનંદ પામેલા સન્મતિવાળા તત્ત્વજ્ઞ પુરુષ લોકમાં પ્રતિષ્ઠા પામીને શુદ્ધ આત્મધર્મને વિસ્તારે છે.’ → વ્યાખ્યાન ૩૨૮ ચક્ષુ સ્વરૂપ चर्मचक्षुर्भृतः सर्वे देवाश्चावधिचक्षुषः । सर्वचक्षुर्धराः सिद्धाः, साधवः शास्त्रचक्षुषः ॥ १ ॥ 3 ભાવાર્થ-‘સર્વે લોકો ચર્મચક્ષુને ઘારણ કરનારા હોય છે, દેવતાઓ અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે, સિદ્ધ જીવો સર્વ ચક્ષુ(કેવળજ્ઞાન)ને ઘારણ કરનારા છે, અને સાધુઓ શાસ્ત્રરૂપી ચક્ષુને ઘારણ કરનારા છે.’’ સ્યાદ્વાદની રીતિએ શાસ્ત્ર એટલે જે શાસન (ઉપદેશ) કરે તે. મહાભારત, રામાયણ વગેરે ગ્રંથો આ લોક સંબંઘી શિક્ષા માત્ર આપનારા હોવાથી તે ગ્રંથો શાસ્ત્રની સંજ્ઞા પામતા નથી. જૈનાગમ પણ જેને સમ્યગ્દષ્ટિપણાની પરિણતિ હોય તેવા શુદ્ધ પ્રરૂપકને જ મોક્ષનું કારણ થાય છે. પણ તેની મિથ્યા પ્રરૂપણા કરી હોય તો તે ભવનું કારણ થાય છે. તે વિષે શ્રી નંદીસૂત્રમાં કહ્યું છે કે “વેડ્યું યુવાસંગ ગળિપિકાં સમ્મત્તરિઅહિય સમ્મેસુબ, મિચ્છત્તરિયિ મિચ્છનુŕ'' આ દ્વાદશાંગી ગણિપિટક સમકિતવંતે ગ્રહણ કર્યું હોય તો તે સભ્યશ્રુત કહેવાય છે, અને મિથ્યાત્વીએ ગ્રહણ કર્યું હોય તો તે મિથ્યાશ્રુત થાય છે. મૂળ શ્લોકમાં ‘શાસ્ત્ર’ શબ્દ છે. તે શાસ્ત્ર એટલે અનેકાંત મત વ્યવસ્થાપક વાક્યોનો સમૂહ, તે ચક્ષુ જેમને હોય તેઓને શાસ્ત્ર ચક્ષુવાળા નિગ્રંથ સાધુઓ જાણવા. અહીં આર્યરક્ષિત સૂરિનો સંબંધ છે તે આ પ્રમાણે– આર્યરક્ષિત સૂરિની કથા દશપુર નામના નગરમાં સોમદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને સોમા નામની પત્ની હતી. તે બન્ને જૈન ધર્મમાં દૃઢ હતા. તેમને આર્યરક્ષિત અને ફલ્ગુરક્ષિત નામે બે પુત્રો હતા. તેમાં મોટો પુત્ર આર્યરક્ષિત પાટલીપુર જઈને સાંગોપાંગ વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરીને પોતાના નગરમાં આવ્યો. તે વખતે રાજાએ મોટા ઉત્સવપૂર્વક તેને હસ્તી પર બેસાડી પુરપ્રવેશ કરાવ્યો, અને ઇનામ વગેરે આપી સન્માન કર્યું. પછી તે રાજાએ કરેલા સત્કાર સહિત પોતાની માતાને વંદન કરવા ઘેર ગયો. તેને જોઈ તેની માતા હે પુત્ર! તું સારો છે?' એટલું જ બોલીને મૌન રહી. માતાને ઉદાસીન દેખીને આર્યરક્ષિત બોલ્યો કે “હે માતા! મારી સાથે કેમ બોલતા નથી? અને સર્વ લોકને પૂજ્ય એવા સર્વ શાસ્ત્રના પારને પામેલા મને જોઈને તમે કેમ આનંદ પામતા નથી?’’ તે સાંભળીને તેની માતા બોલી કે હે પુત્ર! સ્વપરનો નાશ કરનારા, હિંસાનો ઉપદેશ કરનારા અને નરકને આપનારા આ શાસ્ત્રો ભણવાથી શું? આ શાસ્ત્રોના પ્રભાવથી તું ઘોર દુઃખસમુદ્રમાં પડીશ, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy