SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૨૭] લોકસંજ્ઞા ૧૪૭ સ્વામી! અમે પહેલાં શ્રી સુધર્માસ્વામીની પાસે માંસ અને મદિરાનો નિયમ લીઘો હતો, તે નિયમનો અમે ભંગ કર્યો, તેથી અમે મહા પાપી છીએ; કેમકે ‘વ્રતોપી મહાપાપી' વ્રતનો લોપ કરનાર મહાપાપી કહેવાય છે; તેથી અમે આ પ્રાસાદમાં આવ્યા છીએ.'' બીજી કોઈ કથામાં એમ કહેલું સંભળાય છે કે—સુદર્શન શ્રેષ્ઠી કે જેણે રાજગૃહી નગરીના લોકોપર અર્જુનમાલીથી થતા ઉપસર્ગનું નિવારણ કર્યું હતું તે શ્રેષ્ઠી પોતાની સ્ત્રી સહિત મનમાં વિચાર કરીને તે શ્યામ ચૈત્યમાં ગયા હતા, અને બીજા સર્વે શ્વેત ચૈત્યમાં ગયા હતા. શ્વેત ચૈત્યમાં ઉપર પ્રમાણે સર્વ લોકોને પૂછીને રાજા શ્રેણિક શ્યામ ચૈત્યમાં પેસતાં જ સુદર્શન શ્રેષ્ઠીને જોઈ અભયકુમા૨ને પૂછ્યું કે “જેનું ધર્મીપણું બાળગોપાળ સર્વમાં પ્રસિદ્ધ છે, અને જેના ધર્મની કીર્તિ ત્રણ લોકમાં વિખ્યાત છે, એવા આ શ્રેષ્ઠી આ પાપપ્રાસાદમાં કેમ પેઠેલા છે?’” મંત્રીએ કહ્યું કે ‘“આપ ત્યાં જઈને તેને પૂછો કે જેથી આપના સંશયની નિવૃત્તિ થાય.’’ તે સાંભળીને રાજા પરિવાર સહિત ત્યાં ગયા. પાલખીમાંથી ઊતરીને તેણે શ્રેષ્ઠીને પૂછ્યું કે ‘‘તમે તો મહા ધર્મિષ્ઠ છો, અને આ શ્યામ પ્રાસાદમાં કેમ પેઠા છો?’’ શ્રેષ્ઠી બોલ્યા કે હે સ્વામી! શ્રી મહાવીર સ્વામીએ બતાવેલો શ્રાવક ધર્મ પણ હું યથાવિધિ પાળી શકતો નથી; કેમકે નિરંતર ષટ્કાય જીવની હિંસા થાય છે. માટે હું શી રીતે ઘર્મી કહેવાઉં? ગાડરિયા પ્રવાહની જેમ લોકસંજ્ઞાનો ત્યાગ કરીને જે ધર્મરસિક શ્રાવકો શ્રી મહાવીરના વાક્યને યથાસ્થિત પાળે છે તેઓ જ ખરા ધર્મિષ્ઠ છે, તેમાં પણ સંપૂર્ણ ધર્મરસિક તો મુનિઓ જ છે. કેમકે પ્રાપ્ત: षष्ठं गुणस्थानं, भवदुर्गाद्रिलंघनम् । लोकसंज्ञारतो न स्यान्मुनिर्लोकोत्तर स्थितिः ॥ १ ॥ ભાવાર્થ—“લોકોત્તર સ્થિતિવાળા મુનિ ભવરૂપી વિષમ પર્વતને ઉલ્લંઘન કરનારું, સર્વવિરતિરૂપ, પ્રમત્ત નામનું છઠ્ઠું ગુણસ્થાનક પામીને લોકસંજ્ઞામાં આસક્ત થતા નથી; અર્થાત્ સર્વ લોકોએ જે કર્યું તે કરવું એમ ગતાનુગતિક ન્યાયમાં આસક્ત થતા નથી—તેમાં આગ્રહી થતા નથી; કેમકે મુનિ, લોકની મર્યાદા બહાર રહેલા છે. લોક વિષયમાં ઉત્સુક છે અને મુનિ તો નિષ્કામ છે. લોક પૌદ્ગલિક સંપત્તિને શ્રેષ્ઠ માને છે અને મુનિ જ્ઞાનાદિક સંપત્તિને શ્રેષ્ઠ માને છે; માટે તેવા મુનિને લોકસંજ્ઞાથી શું? કાંઈ જ નહીં.'' કહ્યું છે કે– आत्मसाक्षिक सद्धर्मसिद्धौ किं लोकयात्रया । તંત્ર પ્રસન્નચન્દ્રસ્ય, મરતસ્ય ૨ નિર્શનમ્ ॥૨॥ ભાવાર્થ-આત્મસાક્ષીએ સદ્ધર્મની સિદ્ધિ થાય છે તો પછી લોકસંજ્ઞાની શી જરૂર છે? અહીં પ્રસન્નચંદ્ર મુનિ તથા ભરત ચક્રીનું દૃષ્ટાંત જાણી લેવું.’’ લોકસંજ્ઞાનો ત્યાગ કરીને આત્મસ્વરૂપના ઉપયોગરૂપ ભોગસુખમાં મગ્ન થયેલા મુનિઓ ઉદય પામેલા ઇંદ્રિયસુખને બળતા એવા પોતાના ઘરથી થતા પ્રકાશ જેવું માને છે; કેમકે તેમાં કાંઈ પણ ખરું સુખ નથી.’’ ઇત્યાદિક સુદર્શન શ્રેષ્ઠીએ પ્રકાશ કરેલું ધર્મનું સ્વરૂપ સાંભળીને સંશયરહિત થયેલા શ્રેણિક રાજાએ સુદર્શન શ્રેષ્ઠીને પ્રણામ કરીને સર્વ પૌરજનોની સમક્ષ તેમને મોટું સન્માન આપતાં કહ્યું કે “અહો! મારું નગર શ્રેષ્ઠ છે કે જેમાં તમારા જેવા પવિત્ર અને ધર્મિષ્ઠ મનુષ્યો રહે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy