SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ સુકોશલ મુનિની કથા અયોધ્યા નગરીમાં કીર્તિધર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સહદેવી નામે પટ્ટરાણી હતી. અન્યદા રાજાએ સુકોશલ નામનો પુત્ર થયે સતે તેની બાલ્યવયમાં જ દીક્ષા લીધી. સુકોશલ મોટો થયો એટલે દેશનો અધિપતિ થયો. કેટલેક કાળે કીર્તિઘર મુનિ પૃથ્વી પર વિહાર કરતાં અયોધ્યાનગરીમાં આવ્યા. મધ્યાહ્ન સમયે ગોચરીને માટે તેમણે નગરીમાં પ્રવેશ કર્યો. તે વખતે સહદેવી રાણીએ તેને જોઈને વિચાર કર્યો કે “જો કદાચ સુકોશલ આ તેના પિતા કીર્તિધર મુનિને જોશે તો તે નક્કી દીક્ષા લેશે.’’ એમ વિચારીને તેણે પોતાના સેવકને કહીને તે મુનિને નગર બહાર કાઢી મુકાવ્યા. તે જોઈને સુકોશલની ઘાત્રી (ઘાવ માતા) રુદન કરવા લાગી. સુકોશલે તેને પૂછ્યું કે ‘હે માતા ! તમે કેમ રુઓ છો?’’ તે બોલી કે ‘‘તમારા પિતા કીર્તિઘર મુનિને તમારી માતાએ નગર બહાર કઢાવી મૂક્યા તેથી હું રોઉં છું.’ તે સાંભળી રાજા સર્વ સમૃદ્ધિ સહિત મુનિને વાંદવા ગયો. ત્યાં મુનિને વાંદીને થર્મદેશના સાંભળી. પછી રાજાએ પૂછ્યું કે “હે સ્વામી! મહાન ઉપસર્ગ પ્રાપ્ત થયા છતાં પણ મુનિજનો પોતાના નિર્ભયતા ગુણનું રક્ષણ શી રીતે કરતા હશે?’’ મુનિ બોલ્યા કે– विषं विषस्य वह्नेश्च, वह्निरेव यदौषधम् । तत्सत्यं भवभीतानामुपसर्गेऽपि यन्न भीः ॥ १ ॥ ભાવાર્થ-‘વિષનું ઔષધ વિષ છે અને અગ્નિનું ઔષધ અગ્નિ છે, તે સત્ય છે; કેમકે ભવથી ભય પામેલાને ઉપસર્ગમાં પણ ભય હોતો નથી.’’ ૧૪૪ જેમ કોઈ માણસ વિષથી પીડા પામ્યો હોય તો તે વિષનું ઔષધ વિષ જ કરે છે, જેમ સર્પથી ડંખાયેલો માણસ લીંબડો વગેરે ચાવવાથી ભય પામતો નથી, અથવા કોઈ અગ્નિથી દગ્ધ થયેલો માણસ અગ્નિદાહની પીડાનું નિવારણ કરવા માટે ફરીથી અગ્નિનો તાપ અંગીકાર કરે છે તે સત્ય છે; કેમકે ભવથી ભય પામેલા મુનિઓ અનાદિ કાળના સંચય કરેલા કર્મનો ક્ષય કરવામાં ઉદ્યમવંત થયેલા હોવાથી ઉપસર્ગો વડે ઘણા કર્મનો ક્ષય થતો માનીને ભયભીત થતા નથી; કેમકે મોક્ષરૂપ સાઘ્ય કાર્યમાં નિર્ભયતા ગુણ સહાયકારક છે. [સ્તંભ ૨૨ स्थैर्यं भवभयादेव, व्यवहारे मुनिर्व्रजेत् । સ્વાત્મારામસમાધી તુ, તવષ્યન્તર્નિમન્નતિ રા ભાવાર્થ-‘ભવના ભયથી જ એટલે નરક તથા નિગોદાદિકમાં પ્રાપ્ત થતા દુઃખ ઉદ્વેગાદિકથી ભય પામીને તત્ત્વજ્ઞાની મુનિ એષણાદિક વ્યાવહારિક ક્રિયામાં સ્થિરતાને ઘારણ કરે છે; તેથી તે ભવનો ભય પણ જ્ઞાનાનંદમય આત્મસમાધિમાં લીન થઈ જાય છે, એટલે વિનાશ પામી જાય છે. અર્થાત્ આત્મઘ્યાનમાં લીન થયેલા સુખદુ:ખમાં સમાન અવસ્થાવાળા મુનિઓને ભયનો અભાવ જ હોય છે.'' આ સંસારમાં મગ્ન થયેલા જીવોને ધર્મની ઇચ્છા જ થતી નથી. ઇંદ્રિયોના સુખનો સ્વાદ લેવામાં તલ્લીન થયેલા પ્રાણીઓ મદોન્મત્તની જેમ વિવેકરહિતપણે જ્યાં ત્યાં ભટકે છે, દુઃખથી ઉદ્વેગ પામીને તે દુ:ખના નાશ માટે અનેક ઉપાયના ચિંતનથી વ્યાકુળ થઈ ભૂંડની જેમ મહામોહરૂપી ભવસાગરમાં પરિભ્રમણ કરે છે. વધારે શું કહેવું? સર્વ સિદ્ધિને આપનારા શ્રીમાન્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.erg
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy