SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૨૬] ચિત્તની એકાગ્રતા ૧૪૩ પછી શ્રી જિનેશ્વર પાસે આવી પ્રભુને પ્રદક્ષિણા કરી “નમર્તીથ' એમ બોલીને કેવળીની સભામાં બેઠા. અનુક્રમે મોક્ષપદને પામ્યા. કર્મનું ફળ અહીં જ મળે તો તે સારું છે, કેમકે તે કર્મને જીતવા માટે તેનો પ્રતિકાર કરનાર મળી શકે; તેથી જ ઢંઢણઋષિ જિનેન્દ્રના ગુણોનું ધ્યાન કરીને સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનને પામ્યા.” વ્યાખ્યાન ૩૨૬ ચિત્તની એકાગ્રતા तैलपात्रधरो यद्वद्राधावेधोद्यतो यथा । क्रियास्वनन्यचित्तः स्याद्भवभीतस्तथा मुनिः॥१॥ ભાવાર્થ-જેમ તેલના પાત્રને ઘારણ કરનારો, અથવા જેમ રાઘાવેશ કરવાને તૈયાર થયેલો માણસ એકચિત્તવાળો થાય છે, તેમ ભવથી ભય પામેલા મુનિ પણ ક્રિયાને વિષે એકાગ્રચિત્તવાળા થાય છે.” જેમ મરણના ભયથી ભય પામેલો માણસ તેલના પાત્રને ઘારણ કરીને પ્રમાદરહિત રહે છે, તે જ પ્રમાણે મુનિ આત્મગુણના ઘાતથી ભય પામીને સંસારમાં અપ્રમાદી રહે છે. કોઈ રાજાએ કોઈ લક્ષણોપેત માણસને ઉપદેશ આપવા માટે ગુનેગાર ઠરાવીને તેનો વઘ કરવાની આજ્ઞા આપી. તે વખતે સભાજનોએ રાજાને વિનંતિ કરી કે “હે સ્વામી! એનો અપરાધ માફ કરો, એને મારો નહીં.” ત્યારે રાજાએ કહ્યું કે “જો તે તેલથી ભરેલા મોટા થાળને ઘારણ કરીને સ્થાને સ્થાને અનેક પ્રકારના નાટક અને વાજિંત્રોથી વ્યાકુળ થયેલા આખા નગરમાં ભ્રમણ કરી તેલનું એક બિંદુ પણ પડ્યા વિના અહીં આવે તો હું તેને મારું નહીં, પણ જો તેલનું એક બિંદુ પણ પડે તો તત્કાળ તેના પ્રાણનો નાશ કરીશ.” એ વાત પેલા માણસે કબૂલ કરી, અને તે જ પ્રમાણે અનેક જનોથી વ્યાપ્ત થયેલા માર્ગમાં નાટક વાજિંત્રાદિ તરફ દ્રષ્ટિ પણ કર્યા વિના માથે તેલનો થાળ રાખી એક ચિત્તે ચાલવામાં ઉપયોગ રાખીને તેલનું બિંદુ પણ પાડ્યા વિના આખું નગર ફરીને આવ્યો, તે જ પ્રમાણે મુનિ પણ અનેક પ્રકારના સુખદુ:ખથી વ્યાકુળ એવા આ સંસારમાં આત્મસિદ્ધિને માટે પ્રમાદ-રહિત થાય છે. વળી જેમ સ્વયંવરમાં કન્યાને પરણવા માટે રાધાવેધ કરવા તૈયાર થયેલો માણસ સ્થિર ચિત્તવાળો થાય, તેમ ભવથી ભય પામેલા મુનિ સંસારમાં ભ્રમણ કરવાથી અને ગુણના આવરણાદિક મહા દુઃખથી ભય પામીને સમિતિ ગુણિરૂપ ક્રિયાઓમાં એકચિત્ત થાય છે. કહ્યું છે કે अमिसलुद्धेण वणे, सीहेण य दाढचक्कसंगहिया । तह वि हु समाहिपत्ता, संवरजुत्ता मुणिवरिंदा ॥१॥ ભાવાર્થ-“વનને વિષે માંસમાં લુબ્ધ થયેલા સિંહે દાઢરૂપ ચક્રથી ગ્રહણ કર્યા, તો પણ સંવરમાં યુક્ત એવા મુનિવરો સમાથિને પ્રાપ્ત થયા.” આ અર્થનું સમર્થન કરવા માટે સુકોશલ મુનિનો સંબંધ છે તે આ પ્રમાણેJain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy