SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ | [સ્તંભ ૨૨ કરે છે.” પછી શ્રીકૃષ્ણ ભગવાનને પૂછ્યું કે “તે મહામુનિ અત્યારે ક્યાં છે તે કહો કે જેથી હું તેમને વંદન કરું?” તે સાંભળીને કરમાં રહેલા નિર્મળ જળની જેમ સર્વ વિશ્વને જોનારા પ્રભુએ કહ્યું કે “હે મુકુન્દ! તે મુનિ અત્યારે ભિક્ષા માટે દ્વારિકાપુરીમાં ગયા છે. તે તમે પુરીમાં પ્રવેશ કરશો ત્યારે ભિક્ષાને માટે અટન કરતા તેમને સામા મળશે.” તે સાંભળીને જેણે અનેક પ્રાણીઓને સિદ્ધિની સન્મુખ કર્યા છે એવા કૃપાનિધિ શ્રી નેમિનાથ સ્વામીને પ્રણામ કરીને શ્રીકૃષ્ણ પુર તરફ ચાલ્યા. પુરમાં પેસતાં જ તેમણે દૂરથી જેનું શરીર અતિ કૃશ થયેલું હતું, કક્ષામાં જેણે ભિક્ષાનું પાત્ર રાખેલું હતું, તીર્થકરે પોતે જ પ્રશંસા કરેલી હોવાથી ત્રણ ભુવનમાં જે અદ્વિતીય સુપાત્ર હતા અને અનાદિકાળથી સંચિત કરેલા કર્મરૂપી દર્ભના મૂળને જેમણે દાતરડું મૂકી દીધું હતું, એવા તે મુનિને જોઈને વિચાર્યું કે “શું આ જ ઢંઢણર્ષિ હશે કે કોઈ બીજા સાધુ હશે? પણ શ્રી જિનેશ્વરે કહ્યું છે કે “પુરમાં પ્રવેશ કરતાં તે તમને સામા મળશે' માટે ખરેખર આ તે જ મુનિ છે. અહો! પ્રથમ આનું સ્વરૂપ દેવકુમાર જેવું હતું. આજ કેવું નિસ્તેજ થયેલું છે?” એમ વિચારીને હર્ષથી શ્રીકૃષ્ણ હાથી પરથી ઊતરી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પૃથ્વીતળ સુધી મસ્તક નમાવી વંદના કરીને હાથ જોડી નિરાબાઘ વિહારાદિની પૃચ્છા કરી. પછી તેમની સ્તુતિ કરવા લાગ્યા કે “હે મુનિ! આજનો દિવસ મારો સફળ થયો, અત્યારની ક્ષણ સુલક્ષણવાળી થઈ અને અત્યારનો પ્રહર મને સુખદાયી થયો, કે જેમાં આપના વંદનનો ઉત્સવ મને પ્રાપ્ત થયો.” ઇત્યાદિ સ્તુતિ કરતા શ્રીકૃષ્ણને છોડીને તે નિઃસ્પૃહી મુનિ આગળ ચાલ્યા. આ સર્વ હકીકત કોઈ ગૃહસ્થ પોતાના ગોખમાં બેઠા બેઠા જોઈ, તેથી તેણે વિચાર કર્યો કે અહો! આ કોઈ મહામુનિ છે કે જેને શ્રીકૃષ્ણ પોતે વંદના કરી.” એમ વિચારી નીચે ઊતરીને તે ગૃહસ્થ મુનિને પોતાને ઘેર લઈ જઈને સિંહકેસરીઆ મોદક વહોરાવ્યા. તે લઈને મુનિ પ્રભુ પાસે ગયા. પ્રભુના ચરણને નમીને મુનિ બોલ્યા કે “હે સ્વામી! આજે મારો અભિગ્રહ પરિપૂર્ણ થયો.” પ્રભુ બોલ્યા કે “હે ઢંઢણ! એ આહાર તારી લબ્ધિથી તને મળ્યો નથી, પણ હરિએ તારી સ્તુતિ કરી તેથી તે વણિકે તને પ્રતિલાભિત કર્યો છે; માટે તે હરિની લબ્ધિથી મળ્યો છે.” આ પ્રમાણે પરમાત્માનું વચન સાંભળીને હૃષ્ટતુષ્ટ થયેલા મુનિ અત્યંત પ્રીતિભાવ પામ્યા. ઘણે માસે આહાર મળ્યા છતાં પણ લોલુપતા અને ઉત્સુકતાદિક દોષથી રહિત, અભિગ્રહમાં આસક્ત અને પ્રભુના પરમભક્ત એવા તે નિઃસ્પૃહ મુનિએ વિચાર્યું કે “પરની લબ્ધિથી મળેલી આ ભિક્ષા ત્યાગ કરવા યોગ્ય છે.” એમ વિચારીને તે મુનિ ઈટ પકવવાના નીંભાડા પાસે ગયા અને ત્યાં શુદ્ધ ચંડિલમાં તે મોદકનું ચૂર્ણ કરીને રાખમાં નાખતા નાખતા પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા કે “અહો! અભિગ્રહની અપેક્ષા વિનાનો જે આહાર તેના અભિલાષી થયેલા મને ઘિક્કાર છે, અને અહો! ભગવાનના જ્ઞાનને ઘન્ય છે કે જેણે મારા અભિગ્રહનું રક્ષણ કર્યું. સૂક્ષ્મ જ્ઞાન વિના અંતરમાં રહેલા સૂક્ષ્મ ભાવને કોણ જાણી શકે?” આ પ્રમાણે શુક્લધ્યાનમાં આરૂઢ થયેલા મુનિએ મોદકનું ચૂર્ણ કરવાના મિષથી સર્વ કર્મોને ચૂરી નાંખી તત્કાળ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી દેવતાઓએ રચેલા સુવર્ણકમળપર બેસી તે કેવળી મુનિએ પોતાના જ અંતરાય કર્મ સંબંથી દેશના આપીને કહ્યું કે “હે ભવ્ય પ્રાણીઓ! આ પ્રમાણે અંતરાય કર્મનું ફળ જાણીને કોઈએ કોઈને પણ અંતરાય કરવો નહીં.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy