SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ વ્યાખ્યાન ૩૨૫] કર્મનાં ફળ એકદા તે મુનિને પૂર્વે કરેલા અન્તરાય કર્મનો ઉદય થયો, તેથી તે ભિક્ષાને માટે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં શુદ્ધ ભિક્ષા પામે નહીં; તેથી તેણે એવો અભિગ્રહ લીધો કે “આજ પછી જ્યારે હું મારી પોતાની લબ્ધિથી અન્ન પામીશ ત્યારે જ પારણું કરીશ, નહીં તો પારણું નહીં કરું; બીજા મુનિઓએ લાવેલો આહાર હું કરીશ નહીં.” એવો અભિગ્રહ લઈને પ્રભુની સાથે વિહાર કરતાં અન્યદા દ્વારિકા નગરીમાં આવ્યા. ત્યાં પણ તેવી જ રીતે પોતે વિષ્ણુના પુત્ર છતાં અને જગતગુરુના શિષ્ય છતાં, સ્વર્ગની લક્ષ્મીને પણ જીતનાર એવી સમૃદ્ધિવાળી દ્વારિકા નગરીમાં પણ મોટા શ્રીમંતોના ઘરમાં પર્યટન કરતાં ઢઢણમુનિ પોતાને યોગ્ય કાંઈ પણ આહાર પામ્યા નહીં. એક દિવસ કોઈ બીજા મુનિ ઢઢણમુનિની સાથે ગોચરી ગયા તો તેને પણ આહાર મળ્યો નહીં; તેથી બીજા મુનિઓએ પ્રભુને પૂછ્યું કે “હે ભગવન્! આ ઢંઢણઋષિ કયા કર્મને લીઘે શ્રાવકના ઘરથી પણ ભિક્ષા પામતા નથી?” ભગવાન બોલ્યા કે “તેના પૂર્વભવનું વૃત્તાંત સાંભળો પૂર્વે ઘાન્યપુર નામના ગામમાં પારાસર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે રાજાનો નિયોગી (અધિકારી) હોવાથી રાજાએ તેને તે ગામમાં પાંચસો સાંતીનો (તેટલા ખેતરનો) અધિકાર આપ્યો હતો. એકદા ખેડૂતોને માટે ભોજન આવ્યું હતું, બળદો માટે ઘાસ આવ્યું હતું અને સર્વે ભૂખ તરસથી થાકી ગયા હતા, તો પણ તે પારાસરે તે પાંચસો ખેડૂતોને જમવાની રજા આપી નહીં, અને કહ્યું કે “મારા ખેતરમાં એક એક ચાસ ખેડીને પછી સર્વ ભોજનાદિક કરો.” તે સાંભળી પરાધીન ખેડૂતોએ તેના કહેવા પ્રમાણે કર્યું. આ વખતે તેણે અંતરાય કર્મ બાંધ્યું. ત્યાંથી મૃત્યુ પામી ઘણા ભવ ભ્રમણ કરીને કાંઈક પુણ્યના પ્રભાવથી અહીં કૃષ્ણના પુત્ર થયા છે. તેણે વૈરાગ્યથી દીક્ષા લીધી છે અને અભિગ્રહ ઘારણ કરેલો છે. તે ગોચરી માટે જેવી રીતે જાય છે તેવી જ રીતે પૂર્વના કર્મ કરીને ભિક્ષા વિના જ પાછા આવે છે; પણ તેનામાં કૈલાસ પર્વત કરતાં પણ અનંતગણું ધૈર્ય છે, કેમકે તેને ભિક્ષા મળતી નથી તોપણ તે ઉગ પામતા નથી, તેમજ બીજાઓની નિંદા કરતા નથી; પરંતુ દીનતા ઘારણ કર્યા વિના જ હમેશાં અલાભપરિષહને સહન કરે છે, અને સર્વ પ્રકારે પરપુગલથી ઉત્પન્ન થયેલા તથા અનેક જીવની હિંસાદિ વડે નીપજેલા આહારના દોષોનું ચિંતન કરીને અનાહારીના ગુણોની પ્રશંસા કરતા સતા મોટી સકામ નિર્જરા કરે છે.” આ પ્રમાણે શ્રી જિનેન્દ્રના મુખથી સાંભળીને સર્વ સાઘુઓ આશ્ચર્ય પામી ઢંઢણમુનિની પ્રશંસા કરવા લાગ્યા. અનુક્રમે અલાભપરિષહ સહન કરતાં ઢંઢણર્ષિને છ માસ વ્યતીત થયા. તે અવસરે પ્રભુને વાંદવા માટે આવેલા શ્રી કૃષ્ણ શર્મદેશના થઈ રહ્યા પછી પ્રભુને પૂછ્યું કે “હે ભગવન્! અઢાર હજાર શીલાંગરૂપી રથમાં બેઠેલા આ અઢાર હજાર મુનિઓમાં વિશેષ દુષ્કર કાર્ય કરનાર કોણ છે?” ત્રિભુવનપતિએ કહ્યું કે “હે કૃષ્ણ! સર્વે સાઘુઓ દુષ્કર ક્રિયા, ગુણરત્નસંવત્સરાદિ તપ, જિનકલ્યની તુલના અને બાવીશ પરિષહોનું સહન કરવું ઇત્યાદિ સ્કૂલના પામ્યા વિના કરે છે, તો પણ તે સર્વેમાં માયારૂપી પૃથ્વીને વિદારણ કરવામાં ખેડૂત સમાન તમારો પુત્ર ઢંઢણર્ષિ હાલમાં અતિ ઉત્કૃષ્ટ છે. તે અદીન મન વડે છ માસથી અલાભપરિષહને સહન કરે છે.” તે સાંભળીને શ્રીકૃષ્ણ વિચાર કર્યો કે “અહો! મારા પુત્રનો જન્મ તથા જીવિતવ્યને ધન્ય છે કે જેની શુદ્ધ વૃત્તિની ત્રિકાળના સમસ્ત પદાર્થોને જાણનાર શ્રી તીર્થકર પોતે બાર પર્ષદાની સમક્ષ પ્રશંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy