SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ વ્યાખ્યાન ૩૨૭] લોકસંજ્ઞા વીતરાગને વંદનાદિક પણ કરતા નથી, અને ઇંદ્રિયો સંબંઘી વિષયસુખ મેળવવાને માટે જન્મ પર્યંત કરેલા તપ, ઉપવાસ વગેરે કષ્ટકારી અનુષ્ઠાનને હારી જાય છે. નિદાનના દોષોને પણ ગણતા નથી. મોક્ષના હેતુરૂપ જૈનશાસનને દેવાદિક સુખના હેતુરૂપ માનીને મોહ પામે છે તથા મિથ્યાત્વથી વાસિત થયેલા તે જીવો ઐશ્વર્યાદિક મેળવવાને માટે મત્સ્યની જેમ ભવસમુદ્રમાં ભટકે છે, માટે છે સુકોશલ રાજા! ભવને વિષે નિરંતર ઉદ્વેગ (વૈરાગ્ય) ઘારણ કરવો તે જ યોગ્ય છે અને તે જ મોટા ઉપસર્ગોમાં પણ સહાયકારક છે એમ જાણવું.” આ પ્રમાણે ગુરુના મુખથી ઉપદેશ સાંભળીને પ્રતિબોધ પામેલા સુકોશલ રાજાએ તેમની પાસે દીક્ષા લીધી. પછી સહદેવી રાણી પુત્રના વિયોગથી તથા પતિ પરના દ્વેષથી મૃત્યુ પામીને કોઈ વનમાં વાઘણ થઈ. દૈવયોગે વિહાર કરતાં કીર્તિઘર તથા સુકોશલ મુનિ તે જ વનમાં આવી ચાતુર્માસિક તપ કરીને રહ્યા. તપને અંતે પારણાને દિવસે ભિક્ષા માટે જતાં વાઘણે તે બન્નેને જોયા, એટલે તેની સામે ક્રોઘથી દોડી. તેને આવતી જોઈને બન્ને મુનિએ પ્રાણાંત ઉપસર્ગ જાણી કાયોત્સર્ગ કર્યો. વાઘણે તેમને પાડી દીઘા ને ખાવા લાગી. તે વાઘણથી ભક્ષણ કરાતા સુકોશલ મુનિ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. પછી કીર્તિઘર મુનિનું ભક્ષણ કરતાં તે મુનિના મુખમાં સુવર્ણની રેખાથી મઢેલા દાંત તેણે જોયા, એટલે ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પતિને ઓળખીને તેને અત્યંત પશ્ચાત્તાપ થયો, એટલે તરત જ તે વાઘણે અનશન અંગીકાર કર્યું અને મરણ પામીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં ગઈ. કીર્તિઘર મુનિ પણ શુક્લ ધ્યાન વડે કાળ કરીને અજરામર (મોક્ષ) પદને પામ્યા. ભયથી ઉદ્વેગ પામેલા સુકોશલ મુનિએ ઉપસર્ગ પામ્યા છતાં પણ તત્ત્વદ્રષ્ટિ રાખીને દ્રઢતાનો ત્યાગ કર્યો નહીં, તેમજ કીર્તિધર મુનિએ પણ સ્થિરતાનો ત્યાગ કર્યો નહીં, તેવી જ બીજા મુનિઓએ પણ તત્ત્વદ્રષ્ટિ અને ઉપસર્ગમાં સ્થિરતા ઘારણ કરવી.” વ્યાખ્યાન ૩૨૭ લોકસંજ્ઞા નિર્વેદી એટલે ભવથી વૈરાગ્ય પામેલો અને મોક્ષનું સાઘન કરવામાં ઉદ્યમવંત થયેલો પ્રાણી. લોકસંજ્ઞામાં મોહ પામતો નથી, કેમકે લોકસંજ્ઞા ઘર્મના સાધનનો વ્યાઘાત કરનારી છે, તેથી તે ત્યાગ કરવા યોગ્ય જ છે. કહ્યું છે કે लोकमालंब्य कर्तव्यं, कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो, न त्याज्यः स्यात् कदाचन ॥१॥ ભાવાર્થ-“ઘણા માણસોએ જે કર્યું તે કરવું–એમ જો લોકનું અવલંબન લઈએ, તો પછી મિથ્યાત્વીનો ઘર્મ કદાપિ તજવા લાયક થાય જ નહીં, કેમકે મિથ્યા ઘર્મનું આચરણ ઘણા લોકો કરે છે.” આ જગતમાં પ્લેચ્છ આચારનું આચરણ કરનારા ઘણા લોકો છે. કહ્યું છે કે “અનાર્યો કરતાં આર્ય થોડા છે, આર્યો કરતાં જૈનઘર્મી થોડા છે, અને જૈનોમાં પણ જૈનઘર્મની પરિણતિવાળા બહુ થોડા છે. માટે ઘણા લોકોનું અનુસરણ કરવું નહીં.” વળી– Jain Educ(ભાગ ૫ - ૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy