SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સંભ ૨૨ ભાવાર્થ-“મહાત્માને બાહ્ય દ્રષ્ટિના પ્રચારોનો રોઘ થવાથી સર્વ સમૃદ્ધિ અંતઃકરણમાં જ ફુટ રીતે ભાસે છે.” સ્વરૂપ અને પરરૂપના ભેદજ્ઞાન વડે શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવમાં લીન થયેલા મહાત્માને સર્વ સમૃદ્ધિઓ અંતઃકરણમાં જ ફુટ ભાસે છે. “હું સ્વરૂપાનંદમય છું, હું નિર્મળ, અખંડ અને સર્વ પ્રકાશક જ્ઞાનવાળો છું, ઇંદ્ર ચંદ્રાદિકની સંપત્તિઓ તો ઔપચારિક છે, અને હું તો અવિનાશી તથા અનંત પર્યાયવાળી સંપત્તિથી યુક્ત છું.” આવી રીતના આત્મસ્વરૂપના જ્ઞાનથી યુક્ત થયેલા મહાત્માને પોતાના આત્મામાં જ સર્વ સંપત્તિઓ ભાસે છે; પણ બાહ્ય દ્રષ્ટિપ્રચાર એટલે વિષયોમાં પ્રવર્તતી જે ઇંદ્રિયો તેમનો પ્રચાર બંઘ થાય ત્યારે જ સર્વ સંપત્તિઓ ભાસે છે; કેમકે ચંચળ ઉપયોગવાળા ઇંદ્રિયોના પ્રચારથી આત્માની અંદર રહેલી, અમૂર્ત અને કર્મથી અવરાયેલી આત્મસ્વરૂપની સંપત્તિ જણાતી જ નથી, પણ ઇંદ્રિયોની ચંચળતા રોકવાથી સ્થિર ચૈતન્યના ઉપયોગ વડે કર્મમળના પડલથી ઢંકાયેલી એવી આત્મસંપત્તિ પણ જોવામાં આવે છે. समाधिनन्दनं धैर्य, दंभोलिः समता शची ।। જ્ઞાનં મહાવિમાનં ૨, વાસવશ્વરિય મુને પરા ભાવાર્થ-“મુનિને ક્રિડા કરવા માટે સમાધિરૂપ નંદનવન છે, ધૈર્યરૂપી વજ છે, સમતારૂપી ઇંદ્રાણી છે, અને જ્ઞાનરૂપી મોટું વિમાન છે; માટે મુનિ પાસે આ પ્રમાણે ઇન્દ્રની સર્વ સમૃદ્ધિ છે.” અહીં મુનિ એટલે આત્મસ્વરૂપના જ્ઞાનના અનુભવમાં લીન થયેલાને ઉપર પ્રમાણે ઇન્દ્રની શોભા હોય છે. તેમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયના એકપણાએ કરીને નિર્વિકલ્પ આનંદરૂપ સમાધિને નિંદનવન કહેલું છે. ઇંદ્રને નંદનવન ક્રીડાના સુખને માટે છે, તેવી જ રીતે મુનિને પણ સમાધિ ક્રીડા સુખને માટે છે. ધૈર્ય એટલે આત્મવીર્ય અર્થાત્ ઔદયિક ભાવમાં અક્ષુબ્ધતા તદ્રુપ જ કહેલું છે. સમતારૂપી સ્વઘર્મપત્ની (ઇંદ્રાણી) કહી છે, અને સર્વ વસ્તુના અવબોઘવાળું જ્ઞાન તદ્રુપ મહા વિમાન કહેલું છે. ઇત્યાદિ ત્રઋદ્ધિથી પરિવૃત્ત મુનિ ઇંદ્ર જેવા જ લાગે છે. વળી– विस्तारितक्रियाज्ञान-चर्मछत्रो निवारयन् । मोहम्लेच्छमहावृष्टिं, चक्रवर्ती न किं मुनिः॥३॥ ભાવાર્થ-“ક્રિયારૂપી ચર્મરત્નને અને જ્ઞાનરૂપી છત્રરત્નને જેણે વિસ્તાર્યું છે, અને તે સાધન વડે મોહરૂપી સ્વેચ્છાએ કરેલી મહાવૃષ્ટિનું નિવારણ કરે છે એવા મુનિ શું ચક્રવર્તી નથી? છે જ.” આ બે શ્લોકોનું તાત્પર્ય એવું છે કે “દેવોમાં ઇંદ્ર શ્રેષ્ઠ છે અને મનુષ્યોમાં ચક્રવર્તી શ્રેષ્ઠ છે. તે બન્નેની સમૃદ્ધિનું સુખ મુનિના સ્વભાવમાં જ અંતર્ભાવ પામ્યું છે, તો બીજાના સુખનું તો શું કહેવું?” વળી તીર્થકરની સમૃદ્ધિનું સુખ પણ મુનિના આત્મસ્વભાવમાં સમાયેલું છે. તે આ પ્રમાણે रत्नस्त्रिभिः पवित्रा या, श्रोतोभिरिव जाह्नवी । सिद्धयोगस्य साप्यर्हत्पदवी न दवीयसी ॥१॥ ભાવાર્થ-“સ્વર્ગ, મૃત્યુ અને પાતાલના ત્રણ પ્રવાહે કરીને ગંગાનદીની જેમ ત્રણ રત્ન કરીને પવિત્ર એવી જે જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયવાળી, આઠ પ્રાતિહાર્યથી યુક્ત અને જગતને ઘર્મોપદેશ વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy